અમદાવાદના વધુ એક બ્રિજ પર તિરાડ અને ખાડા નજરે પડ્યા, વાહનચાલકોના જીવ જોખમમાં

રાજ્યમાં રોજબરોજ બ્રિજમાં ખામીઓ સામે આવી રહી છે ક્યાંક બ્રિજમાં તિરાડ પડે છે તો ક્યાંક ખાડા પડી ગયા છે. તંત્ર દ્વારા બ્રિજ ઇન્સ્પેક્શન કરાવવામાં આવે છે, પરંતુ ત્યારબાદ રિપોર્ટના આધારે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. શનિવારે ઋષિ દધીચિ બ્રિજ પર પોપડા ઉખડી ગયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. તો હવે અમદાવાદના સૌથી VVIP અને અમદાવાદ - ગાંધીનગરને જોડતા ઈન્દિરા બ્રિજ પર તિરાડ અને ખાડા જોવા મળ્યા છે. બ્રિજની વચ્ચે જ પડેલી આ તિરાડ અને ખાડા માત્ર ઉપરના હિસ્સા પૂરતા જ સીમિત છે કે અંદર પણ નુકસાન થયું છે? તે તપાસનો વિષય છે.

ઇન્દિરા બ્રિજ પરથી મુખ્યમંત્રીથી લઈને તમામ નેતાઓ અને ધારાસભ્યો અવરજવર કરે છે. ખાસ કરીને એરપોર્ટથી ગાંધીનગર જવા માટેના બ્રિજ ઉપર તિરાડ અને ખાડા પડતા તંત્રની સામે ખૂબ મોટા સવાલ ઉભા થયા છે. મોરબી અને ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ બ્રિજ ઉપર તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા છતા પણ તંત્ર દ્વારા આ મામલે ધ્યાન આપી રીપેરિંગ કરવામાં આવતું નથી.

Indira-Bridge1
divyabhaskar.co.in

અમદાવાદના આ બ્રિજ ઉપરથી દરરોજ એક લાખ જેટલા વાહન ચાલકો પસાર થાય છે ગાંધીનગર અને અમદાવાદ અવર-જવર માટે આ બ્રિજનો ઉપયોગ વધારે થતો હોય છે ત્યારે બ્રિજ ઉપર ખાડા પડવાની ઘટનાને લઈને રાજ્યના માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે સવાલ ઊભા થયા છે.

ઈન્દિરા બ્રિજ ઉપર અગાઉ પણ આ પ્રમાણે ખાડા પડ્યા હતા અને તેને રીપેરિંગ કરવાની જરૂરિયાત હોય છે, પરંતુ રાજ્યનો માર્ગ અને મકાન વિભાગ આ બ્રિજ ઉપર વધારે ધ્યાન આપતો નથી. ખાસ કરીને આ બ્રિજ VVIP બ્રિજ કહેવામાં આવે છે જ્યારે વડાપ્રધાન પણ ગુજરાત આવે છે ત્યારે ગાંધીનગર જવા માટે ઇન્દિરા બ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ બ્રિજ ઉપર આવી ક્ષતિ વિભાગની ખૂબ મોટી બેદરકારી કહી શકાય છે.

Indira-Bridge2
divyabhaskar.co.in

સાબરમતી નદી પરના 3-3 બ્રિજમાં બેદરકારી સામે આવ્યા બાદ પણ અન્ય બ્રિજોની વિસ્તૃત તપાસ કરવાની તકેદારી લેવામાં આવી નથી. પરિણામે સાબરમતી નદીના જુદા-જુદા બ્રિજ પરથી દરરોજ પસાર થઈ રહેલા હજારો નાગરિકોના જીવ જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. તિરાડો પડતા સુભાષ બ્રિજ બ્રિજ ભલે બંધ કરવામાં આવ્યો પણ હજુ ઘણાં બ્રિજ બંધ થવાની લાઇનમાં છે.

About The Author

Related Posts

Top News

વરુણ અને અભિષેકે કરેલી આ ભૂલો ટીમ ઇન્ડિયાને સેમીફાઇનલમાંથી બહાર કરાવી શકે છે!

વરુણ ચક્રવર્તી અને અભિષેક શર્મા. એક રહસ્યમય સ્પિનર, બીજો વિસ્ફોટક ઓપનર. પરંતુ વરુણ અને અભિષેકે વેસ્ટ ઇન્ડીઝ સામે T20...
Sports 
વરુણ અને અભિષેકે કરેલી આ ભૂલો ટીમ ઇન્ડિયાને સેમીફાઇનલમાંથી બહાર કરાવી શકે છે!

ભંગારમાં પડેલું 105 વર્ષ જૂનું જર્મન ટ્રેક્ટર સવા કરોડમાં વેચાયું; ઇન્ટરનેટ પર થયું વાયરલ

ક્યારેક, ભંગારમાં પણ એવી કિંમતી વસ્તુઓ મળી જાય છે કે જેની કિંમત લાખો કરોડોની હોય છે. જાલંધરમાં એક દાયકાઓથી...
National 
ભંગારમાં પડેલું 105 વર્ષ જૂનું જર્મન ટ્રેક્ટર સવા કરોડમાં વેચાયું; ઇન્ટરનેટ પર થયું વાયરલ

ITR ફાઇલિંગમાં હોશિયારી બતાવવી મોંઘી પડી, IT વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકારી દીધો

પુણેના એક વ્યક્તિ નેવાસેને ખોટા ઇનવોઇસ સબમિટ કરવાનું મોંઘું પડી ગયું. થોડા હજાર રૂપિયા ટેક્સ બચાવવાના પ્રયાસમાં તેને હવે લાખો...
Business 
ITR ફાઇલિંગમાં હોશિયારી બતાવવી મોંઘી પડી, IT વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકારી દીધો

હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

યુનાઇટેડ સ્ટેટ્સના મેસેચ્યુસેટ્સ સ્થિત કેમ્બ્રિજ સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટીને એક સંસ્કૃત પોસ્ટના કારણે હિન્દૂ સમાજ સામે શરમજનક સ્થિતિમાં મૂકવું પડ્યું હતું...
Education 
હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.