દેવાયત ખવડે જેલમાંથી બહાર આવી ડાયરો કરી ડાયલોગ માર્યો- મેં ઝૂકેગા નહીં...

લોકગાયક દેવાયત ખવડનો ભાવનગર ખાતે ડાયરાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ ડાયરાનો પ્રથમ કાર્યક્રમ હતો ત્યાં ડાયરા વચ્ચે કહ્યું હતું કે, મેં ઝૂકેગા નહીં, હકીકતમાં મારામારીના કેસમાં જેલવાસ ભોગવ્યા બાદ લોકો સમક્ષ આ વાત કહી બડાઈ હાંકી હતી. એક તરફ રાજકોટમાં મારામારી મામલે ભારે વિવાદ બાદ ફરીયાદ થઈ હતી અને અગાઉ કોર્ટમાં બેથી ત્રણ વખત જામીન માંગ્યા બાદ કોર્ટે રાજકોટમાં ના આવવાની શરતે શરતી જામીન આપ્યા છે. ત્યારે ભાવનગરના ડાયરામાં દેવાયત ખવડે આ વાત કહી હતી.

લોકગાયક દેવાયત ખવડને હાઈકોર્ટે મોટી રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટે દેવાયત ખવડની જામીન અરજી મંજૂર કરી છે. ઘણા સમયથી જેલમાં બંધ દેવાયત ખવડને શરતી જામીન આપવામાં આવ્યા છે. 6 મહિના સુધી રાજકોટમાં ના પ્રવેશવાની શરતે આ જામીન આપવામાં આવ્યા છે. 72 દિવસના જેલવાસ બાદ ખવડ ફિલ્મી ડાયલોગના અંદાજમાં જોવા મળ્યો હતો. હકીકતમાં આ કેસની વાત કરીએ તો, રાજકોટના સર્વેશ્વર ચોક પાસે મયુરસિંહ પર ગત 7 ડિસેમ્બરના રોજ હુમલો કર્યો હતો.

આ ઝઘડો જૂની અદાવતમાં થયો હતો. દેવાયત ખવડ તરફથી આ હુમલો કરવામાં આવ્યો હતો. જેના સીસીટીવી વાયરલ થયા હતા. આ મામલે દેવાયતની ધરપકડ ના થતા પોલીસ સામે પણ અગાઉ સવાલ ઉભા થયા હતા ત્યારબાદ સમગ્ર મામલે પીએમઓ સુધી ફરીયાદ કરાઈ હતી ત્યારે આખરે દેવાયત સામેથી હાજર થતા જેલવાસ 72 દિવસનો થયો હતો. એ પછી હવે જામીન મળતા દેવાયત લોકડાયરાના કાર્યક્રમો સ્ટેજ પર કરતા જોવા મળી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.