જ્યાં જુઓ ત્યાં નકલી જ નકલી..., સુરતમાં કરાયું નકલી ડિમોલિશન, તંત્રના નામે મકાનોમાં કોણે તોડ-ફોડ કરી?

સુરતમાંથી એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. સુરતના વેડ દરવાજા વિસ્તારમાં આવેલા નાસિર નગરમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના વર્ષો જૂના મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, આ કાર્યવાહી સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા કરવામાં આવી હોવાનું કહીને મકાનો તોડી પડાયા હતા, પરંતુ હવે પાલિકાએ આ આખા મામલે પોતાના હાથ ખંખેરી લીધા છે. મ્યુનિસિપલ કોર્પોરેશને સ્પષ્ટ કર્યું છે કે તેમણે આવું કોઈ ડિમોલિશન કર્યું જ નથી, જેના કારણે સુરતમાં ‘નકલી ડિમોલિશન’નો આ મોટો સ્કેમ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

ગુજરાત ફર્સ્ટના અહેવાલ મુજબ, જ્યારે કોંગ્રેસના નેતાઓ અને અસરગ્રસ્તોએ આ મામલે પાલિકાના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી, ત્યારે પાલિકાએ જવાબ આપ્યો કે, ‘નાસિર નગરમાં અમે કોઈ ડિમોલિશન કર્યું જ નથી અને આ કાર્યવાહી સાથે અમારે કોઈ લેવાદેવા નથી. પાલિકાના અધિકારીઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ‘ડિમોલિશન કરનાર ટીમમાં પાલિકાનો કોઈ પણ માણસ હાજર નહોતો.

Fake-demolition1
sandesh.com

સ્થાનિકોના જણાવ્યા મુજબ, જ્યારે મકાનો તોડવામાં આવ્યા ત્યારે ઘટનાસ્થળે પોલીસ પ્રોટેક્શન પણ હાજર હતું. લોકોએ સ્પષ્ટ જોયું હતું કે ખાખી વર્દીમાં પોલીસ જવાનો અને વાદળી શર્ટ પહેરેલા અધિકારીઓ ઘટનાસ્થળે તૈનાત હતા. જો પાલિકાએ આ કાર્યવાહી નથી કરી, તો સવાલ એ થાય છે કે પોલીસ બંદોબસ્ત સાથે તંત્રના નામે આટલી મોટી કાર્યવાહી કરવાની હિંમત કોણે કરી?

જે જગ્યાએ ડિમોલિશન કરવામાં આવ્યું છે, ત્યાં બાજુમાં જ એક બિલ્ડરનો નિર્માણાધીન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આથી, એવી પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોઈને આર્થિક લાભ પહોંચાડવા માટે જ રોડ પહોળો કરવાના બહાને આ મકાનો તોડી પાડવામાં આવ્યા છે. શું કોઈ ખાનગી વ્યક્તિ કે બિલ્ડરના ઇશારે તંત્રના નામે આ કૃત્ય કરવામાં આવ્યું? શું અધિકારીઓની મિલીભગત વિના આ શક્ય છે ખરું?

Fake-demolition2
gujarati.abplive.com

આ ગંભીર મામલે હવે કોંગ્રેસ અગ્રણીઓ અને અસરગ્રસ્તો પોલીસ કમિશનરને રૂબરૂ મળીને રજૂઆત કરશે. પાલિકા અને પોલીસ બંનેની ભૂમિકા શંકાના દાયરામાં આવતા સુરતમાં હવે 'નકલી ડિમોલિશન'નો કિસ્સો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

આ મામલે પાલિકા ગોળ-ગોળ જવાબો આપી રહી છે, જે અનેક ગંભીર સવાલો ઊભા કરે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, જ્યારે મકાનો તોડવામાં આવ્યા ત્યારે ઘટનાસ્થળે પૂરતો પોલીસ બંદોબસ્ત હાજર હતો અને લોકોએ સ્પષ્ટ જોયું હતું કે ખાખી વર્દીમાં પોલીસ જવાનો અને વાદળી શર્ટ પહેરેલા લાઈન દોરીના અધિકારીઓ ત્યાં તૈનાત રહીને મકાનો તોડાવી રહ્યા હતા. ત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો મ્યુનિસિપલ કોર્પોરેશને આ ઓપરેશન નથી કર્યું, તો પછી પોલીસ પ્રોટેક્શન મેળવીને સરકારી તંત્રના નામે આટલી મોટી ગેરકાયદેસર કાર્યવાહી કરવાની હિંમત સુરતમાં કોણે કરી?

About The Author

Related Posts

Top News

2,172 કરોડની લોન 579 કરોડમાં પતાવટ; સવાલોના ઘેરામાં સરકારી એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની NARCL

ખાનગી કંપનીઓ દ્વારા કથિત હેરાફેરી અંગે ઘણી ફરિયાદો જોઈ અને સાંભળી હશે. પરંતુ જ્યારે સરકારી માલિકીની કંપની તરફથી બેદરકારી સામે...
Business 
2,172 કરોડની લોન 579 કરોડમાં પતાવટ; સવાલોના ઘેરામાં સરકારી એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની NARCL

અન્નામલાઈએ નીતિન નબીનને 5 પાનાંનું રાજીનામું સોંપ્યું, ટૂંક સમયમાં નવી પાર્ટીની જાહેરાત કરશે

કે. અન્નામલાઈએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો સાથ છોડી દીધો છે. અન્નામલાઈએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને પોતાનું રાજીનામું સુપરત કર્યું...
Politics 
અન્નામલાઈએ નીતિન નબીનને 5 પાનાંનું રાજીનામું સોંપ્યું, ટૂંક સમયમાં નવી પાર્ટીની જાહેરાત કરશે

સોના-ચાંદી અંગે રોબર્ટ કિયોસાકીનો સ્વર અચાનક બદલાઈ ગયો; 'કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો...'

લોકપ્રિય પુસ્તક 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને...
Business 
સોના-ચાંદી અંગે રોબર્ટ કિયોસાકીનો સ્વર અચાનક બદલાઈ ગયો; 'કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો...'

જ્યાં જુઓ ત્યાં નકલી જ નકલી..., સુરતમાં કરાયું નકલી ડિમોલિશન, તંત્રના નામે મકાનોમાં કોણે તોડ-ફોડ કરી?

સુરતમાંથી એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. સુરતના વેડ દરવાજા વિસ્તારમાં આવેલા નાસિર નગરમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના વર્ષો જૂના...
Gujarat 
જ્યાં જુઓ ત્યાં નકલી જ નકલી..., સુરતમાં કરાયું નકલી ડિમોલિશન, તંત્રના નામે મકાનોમાં કોણે તોડ-ફોડ કરી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.