ગુજરાત સરકારે ફેક્ટરી કામદારોના કલાકો 12 સુધી વધાર્યા, પણ શું આના માટે પૈસા વધુ મળશે?

ગુજરાત વિધાનસભાએ તાજેતરમાં એક બિલ પસાર કર્યું છે, જે ફેક્ટરી અને ઔદ્યોગિક કામદારો માટે દૈનિક કામના કલાકો 9 થી વધારીને 12 કલાક કરે છે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય રોકાણ અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવાનો છે. શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP)એ આ બિલને સમર્થન આપ્યું, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) સહિતના વિપક્ષી દળોએ તેનો સખત વિરોધ કર્યો.

Gujarat-assembly1
abplive.com

મુખ્ય જોગવાઈઓ અને હેતુ

આ નવા કાયદા મુજબ, કામદારો માટે દૈનિક 12 કલાક કામ કરવું શક્ય બનશે, જોકે સાપ્તાહિક કામના કુલ કલાકો 48 થી વધુ નહીં હોય. ઉદ્યોગ મંત્રી બલવંત સિંહ રાજપૂતે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આ ફેરફારથી કામદારોને ચાર દિવસ 12 કલાક કામ કર્યા પછી બાકીના ત્રણ દિવસની રજા મળશે.  આ પગલાથી રોજગારની તકો વધશે અને આર્થિક ગતિવિધિઓને વેગ મળશે તેવું સરકારનું માનવું છે.

નવા નિયમો મહિલા કામદારોને સાંજે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીની રાત્રિ શિફ્ટમાં કામ કરવાની પરવાનગી આપે છે, પરંતુ તેના માટે ફેક્ટરી માલિકોએ પૂરતી સુરક્ષાની વ્યવસ્થા કરવી ફરજિયાત છે. આ બિલ જુલાઈમાં લાગુ કરાયેલા વટહુકમનું સ્થાન લે છે.

વિપક્ષનો વિરોધ અને આરોપો

વિપક્ષી દળોએ આ બિલને 'શ્રમ શોષણ' ગણાવીને તેનો વિરોધ કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું કે, આ બિલ ગરીબ અને કુપોષિત કામદારોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરશે. તેમણે દલીલ કરી કે, ભલે બિલમાં કામદારોની સંમતિની વાત હોય, પરંતુ ગરીબ કામદારો પાસે વિકલ્પ નથી હોતો અને ના પાડવાથી તેઓ નોકરી ગુમાવી શકે છે.

Gujarat-assembly
bbc.com

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પણ આ બિલનો વિરોધ કરતા કહ્યું કે, આ કાયદો કામદારોને બદલે ફેક્ટરી માલિકોને ફાયદો પહોંચાડવા માટે લાવવામાં આવ્યો છે. તેમણે બિલને તાત્કાલિક રીતે લાગુ કરવાના હેતુ પર પણ સવાલ ઉઠાવ્યો. બોટાદના પૂર્વ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિરોધ પ્રગટ કરવા માટે વિધાનસભામાં બિલની નકલ ફાડી હતી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.