156 સીટથી પાટીલને સંતોષ નથી, તેમના મતે વધુ મહેનત કરી હોત તો આટલી સીટ આવી હોત

વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને એક ખૂણામાં સમેટી અને આમ આદમી પાર્ટી (AAP)ને માત્ર 5 સીટો પર રોકીને ભારતીય જનતા પાર્ટી (BJP)ની જીતના નવા નાયક બનીને ઉભરેલા સી.આર. પાટિલ અત્યારે પણ સંતુષ્ટ નથી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે હિંમતનગરમાં પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્દઘાટન કરવાના અવસર પર કહ્યું કે, વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 176 સીટો જીતી શકે છે. 20 સીટો પર પાર્ટીના ઉમેદવાર 5 હજાર કરતા ઓછા મતોના અંતરથી હાર્યા.

જો કાર્યકર્તાઓએ વધુ મહેનત કરી હોત તો પાર્ટીની સીટોની કુલ સંખ્યા 182માંથી 176 હોત. પાટીલે મંચ પરથી કહ્યું કે, ચૂંટણીમાં જે જીત મળી છે, હું તેનાથી સંતુષ્ટ નથી. પાટીલે આ અવસર પર પોતાના નવા પ્લાનનો પણ ખુલાસો કર્યો, જે વિપક્ષની ઊંઘ ઉડાવી શકે છે. સી.આર. પાટીલે કાર્યક્રમમાં ઉપસ્થિત નેતાઓ અને કાર્યકર્તાઓને કહ્યું કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપની 26માંથી 26 સીટ જીતશે. તેમાં કોઈ શંકા નથી, પરંતુ કોઈ પણ સીટ પર વિપક્ષી પાર્ટીઓના ઉમેદવારોની ડિપોઝિટ ન બચવી જોઈએ.

સી.આર. પાટીલે સાબરકાંઠા જિલ્લાનું ઉદાહરણ આપતા કહ્યું કે, જિલ્લામાં 1,324 બૂથોમાંથી 400 બૂથો પર ભાજપ પાછળ રહી છે. જો જોઈએ તો 33 ટકા બૂથ પર આપણે નબળા સાબિત થયા. સી.આર. પાટીલે પોતાના અંદાજમાં નેતાઓ અને કાર્યકર્તાઓને કહ્યું કે, લોકસભાની ચૂંટણીમાં એ ન થવું જોઈએ. પેજ સમિતિના મોડલથી આપણે આગળ નીકળી શકીએ છીએ. તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે, આપણે જીત માટે નહીં, પરંતુ વિપક્ષની ડિપોઝિટ જપ્ત કરવા માટે તૈયારીમાં લાગવાનું છે.

સી.આર. પાટીલે કહ્યું કે, નરેન્દ્ર મોદી પર ગુજરાતની જનતાનો અતૂટ વિશ્વાસ છે. તેમણે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં વર્ષ 2014 અને વર્ષ 2019ની તુલનામાં જીતને વધુ મોટી કરવાની યોજના બનાવી છે. તે હેઠળ સી.આર. પાટીલે જે બૂથ પર પાર્ટી પાછળ રહી છે, એ બૂથોને ચિહ્નિત કરીને કાર્યયોજના બનાવવાના નિર્દેશ આપ્યા છે. પાટીલ ઈચ્છે છે કે, જ્યારે વર્ષ 2024માં ત્રીજી વખત નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તો તેમાં ગુજરાતની જીત વિશેષ હોવી જોઈએ.

તેમણે આગળ કહ્યું કે, ગુજરાતમાં એકમતથી તેમના પક્ષમાં વોટિંગ થવી જોઈએ. ડિસેમ્બરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 182માંથી 156 સીટો પર જીત મળી હતી. તે રાજ્યમાં ભાજપની સૌથી મોટી જીત છે. કોંગ્રેસને 17 અને આમ આદમીને માત્ર 5 સીટ મળી શકી. 3 અપક્ષ ઉમેદવાર જીતવામાં સફળ થયા હતા. જો કે આ 3 અપક્ષ ઉમેદવાર ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી ચૂક્યા છે. એક સીટ પર સમાજવાદી પાર્ટીના ઉમેદવારને જીત મળી હતી.

About The Author

Related Posts

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.