શું અમારા છોકરાઓની કિંમત 4 લાખ જ છે? રૂપિયા નથી જોઇતા, ફાંસી...: કૃણાલના પિતા

અમને જલ્દીમાં જલ્દી ન્યાય મળે, આરોપીને સજા થાય. મારા છોકરાએ કોલેજ કરી, એ પછી બીજા 2 વર્ષ ભણ્યો, એ પછી બી.એડ કર્યું, એ પછી બીજા બે વર્ષ ભણ્યો, કેનેડા જઇને કોર્ષ કર્યા. આ છોકરાઓને ભણાવવાના 60-60 લાખ રૂપિયા થાય છે અને સરકાર 4 લાખ રૂપિયાની રાહત આપે છે. શું અમારા છોકરાઓની કિંમત 4 લાખ રૂપિયા જ છે? નાનપણથી ભણાવવામાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. બસ આરોપીઓને ફાંસી આપો અમારે પૈસા નથી જોઇતા. અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર થયેલા અકસ્માતમાં મોતને ભેટેલા બોટાદના યુવાન કૃણાલ કોડિયાના પિતાએ પુત્રના મોતનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર બુધવારે રાત્રે જેગુઆર કારમાં જઇ રહેલા 19 વર્ષના તથ્ય પટેલે અકસ્માત કર્યો હતો અને તેમાં 9 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં બોટાદના 3 યુવાનો  રોનક વિહલપરા, કૃણાલ કોડિયા અને અક્ષર ચાવડાના મોત થયા હતા.

કૃણાલ કોડીયાના કાકાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમારા છોકરાઓને અમે માંડ માંડ કરીને ભણાવીએ અને આવા નબીરાઓ અકસ્માત કરીને જીવ છીનવી લે. આવી કોઇ ઘટનાન ફરી ન બને તેના પર સરકાર ધ્યાન આપે. આરોપીને ફાંસની સજા થવી જોઇએ. કૃણાલના પિતાએ કહ્યું કે, અમને પૈસા નથી જોઇતા, બસ, આરોપીને જલ્દીમાં જલ્દી સજા કરો. મારા છોકરના ભણાવવા માટે લાખો રૂપિયા ખર્ચ્યા છે અને સરકાર 4 લાખ રૂપિયા સહાય આપે છે.

રોનક, કૃણાલ અને અક્ષર

રોનક, કૃણાલ અને અક્ષર ત્રણેય મિત્રો હતા અને અમદાવાદમાં રહેતા હતા. રોનક અને કુણાલે મોડી રાત સુધી વાંચ્યા પછી ઇસ્કોન બ્રીજ તરફ ચા પીવા નિકળ્યા હતા. અક્ષય પહેલેથી જ ત્યાં હતો. ઇસ્કોન બ્રીજ પર થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં ઇજાગ્રસ્તોને મદદ કરવા માટે ત્રણેય મિત્રો પહોંચ્યા હતા અને જેગુઆર કારની અડફટે આવી ગયા હતા. મદદ કરવા ગયેલા ત્રણેય મિત્રોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

રોનક રાજુભાઇ વિહલપરા ભણવામાં હોંશિયાર વિદ્યાર્થી હતો અને ઉચ્ચ અભ્યાસ કરવા માટે અમદાવાદ આવ્યો હતો. અમદાવાદામાં રોનક કમ્પ્યુટર એન્જિનિયરીંગનો અભ્યાસ કરતો હતો. કૃણાલ અને રોનક  PGમાં રહેતા હતા. જ્યારે અક્ષર બે દિવસ પહેલાં જ બોટાદથી અમદાવાદ આવ્યો હતો અને કૃણાલ-રોનક સાથે PGમાં રહેવાનું નક્કી કર્યું હતું. પરંતુ ત્રણેય મિત્રોને કાળ ભરખી ગયો હતો.

About The Author

Related Posts

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.