શું અમારા છોકરાઓની કિંમત 4 લાખ જ છે? રૂપિયા નથી જોઇતા, ફાંસી...: કૃણાલના પિતા

અમને જલ્દીમાં જલ્દી ન્યાય મળે, આરોપીને સજા થાય. મારા છોકરાએ કોલેજ કરી, એ પછી બીજા 2 વર્ષ ભણ્યો, એ પછી બી.એડ કર્યું, એ પછી બીજા બે વર્ષ ભણ્યો, કેનેડા જઇને કોર્ષ કર્યા. આ છોકરાઓને ભણાવવાના 60-60 લાખ રૂપિયા થાય છે અને સરકાર 4 લાખ રૂપિયાની રાહત આપે છે. શું અમારા છોકરાઓની કિંમત 4 લાખ રૂપિયા જ છે? નાનપણથી ભણાવવામાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. બસ આરોપીઓને ફાંસી આપો અમારે પૈસા નથી જોઇતા. અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર થયેલા અકસ્માતમાં મોતને ભેટેલા બોટાદના યુવાન કૃણાલ કોડિયાના પિતાએ પુત્રના મોતનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર બુધવારે રાત્રે જેગુઆર કારમાં જઇ રહેલા 19 વર્ષના તથ્ય પટેલે અકસ્માત કર્યો હતો અને તેમાં 9 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં બોટાદના 3 યુવાનો  રોનક વિહલપરા, કૃણાલ કોડિયા અને અક્ષર ચાવડાના મોત થયા હતા.

કૃણાલ કોડીયાના કાકાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમારા છોકરાઓને અમે માંડ માંડ કરીને ભણાવીએ અને આવા નબીરાઓ અકસ્માત કરીને જીવ છીનવી લે. આવી કોઇ ઘટનાન ફરી ન બને તેના પર સરકાર ધ્યાન આપે. આરોપીને ફાંસની સજા થવી જોઇએ. કૃણાલના પિતાએ કહ્યું કે, અમને પૈસા નથી જોઇતા, બસ, આરોપીને જલ્દીમાં જલ્દી સજા કરો. મારા છોકરના ભણાવવા માટે લાખો રૂપિયા ખર્ચ્યા છે અને સરકાર 4 લાખ રૂપિયા સહાય આપે છે.

રોનક, કૃણાલ અને અક્ષર

રોનક, કૃણાલ અને અક્ષર ત્રણેય મિત્રો હતા અને અમદાવાદમાં રહેતા હતા. રોનક અને કુણાલે મોડી રાત સુધી વાંચ્યા પછી ઇસ્કોન બ્રીજ તરફ ચા પીવા નિકળ્યા હતા. અક્ષય પહેલેથી જ ત્યાં હતો. ઇસ્કોન બ્રીજ પર થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં ઇજાગ્રસ્તોને મદદ કરવા માટે ત્રણેય મિત્રો પહોંચ્યા હતા અને જેગુઆર કારની અડફટે આવી ગયા હતા. મદદ કરવા ગયેલા ત્રણેય મિત્રોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

રોનક રાજુભાઇ વિહલપરા ભણવામાં હોંશિયાર વિદ્યાર્થી હતો અને ઉચ્ચ અભ્યાસ કરવા માટે અમદાવાદ આવ્યો હતો. અમદાવાદામાં રોનક કમ્પ્યુટર એન્જિનિયરીંગનો અભ્યાસ કરતો હતો. કૃણાલ અને રોનક  PGમાં રહેતા હતા. જ્યારે અક્ષર બે દિવસ પહેલાં જ બોટાદથી અમદાવાદ આવ્યો હતો અને કૃણાલ-રોનક સાથે PGમાં રહેવાનું નક્કી કર્યું હતું. પરંતુ ત્રણેય મિત્રોને કાળ ભરખી ગયો હતો.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.