ઘરના સંસ્કાર, માતાપિતાના આશીર્વાદ ભગવાનના સામીપ્ય તરફ દોરી જાય છે: આનંદીબેન પટેલ

થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશા રાજ્યપાલ આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, ઘરના સંસ્કારો, માતાપિતાના આશીર્વાદ ભગવાનના સામીપ્ય તરફ દોરી જાય છે. લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ અને સ્વામિનારાયણ સંપ્રદાય સમાજને સંસ્કારમય ઉછેર દિશાદર્શન કરવાની જવાબદારી સુપેરે નિભાવી રહ્યા છે, જે સરાહનીય છે.

ગુજરાતમાં 40 વર્ષ સુધી બાળકોને કિશોરીઓને કુપોષણમુક્ત કરવા અને સુપોષણ જાગૃતિ અંગે પ્રયાસો કર્યા હતા, અને વર્ષ 2003 માં મહિલા અને બાળ વિકાસમંત્રી તરીકે સખી મંડળોની શરૂઆત કરાવી હતી એમ પણ રાજ્યપાલે જણાવ્યું હતું. તેમણે સુરતમાં ટીબીથી પીડિત 3000 બાળકોને ટીબીમુક્ત કરવા સમાજ શ્રેષ્ઠીઓને આ બાળકોને દત્તક લઈ પોષક આહાર પૂરો પાડવા અપીલ કરી હતી.

તેમણે ઘરઘરમાં પોતાની દીકરીઓના બ્લડ ટેસ્ટ કરાવી 13 ટકા કરતા ઓછું હિમોગ્લોબીન હોય તો પોષક આહાર આપી સુપોષિત કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. આનંદીબેને અંધ શ્રદ્ધા અને કુરિવાજો દૂર થાય, સત્સંગ સભાઓના આયોજનથી લક્ષ્મીમંડળની બહેનો દ્વારા નવી પેઢીમાં સંસ્કારસિંચનના ઉમદા પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમજ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.

વડાપ્રધાને શરૂ કરેલી મુદ્રા લોનના કારણે લાખો મહિલાઓ લોન લઈને આત્મનિર્ભર બની હોવાનો ઉલ્લેખ કરી તેમણે દીકરી, કિશોરીઓ દિનચર્યા અને ભોજન પ્રણાલીમાં પરિવર્તન લાવી પોષણયુકત આહાર લેવાની હિમાયત કરી હતી ,સાથોસાથ તેમણે સર્વાઈકલ કેન્સર ન થાય તે માટે 9 થી 14 વર્ષની કિશોરીઓને કેન્સર પ્રતિરોધક વેકસીન લેવડાવવાની અપીલ કરી હતી.

 

Related Posts

Top News

આ કેરીનો કિલોનો ભાવ છે 3 લાખ રૂપિયા, અડધો ડઝન જર્મન શેફર્ડ, ગાર્ડ અને CCTV કરે છે દેખરેખ

તમે કેરીની વેરાયટી બાબતે સાંભળ્યું જ હશે, પરંતુ દુનિયાની સૌથી મોંઘી કેરી કેવી હોય છે અને તે કેવી દેખાય છે....
National 
આ કેરીનો કિલોનો ભાવ છે 3 લાખ રૂપિયા, અડધો ડઝન જર્મન શેફર્ડ, ગાર્ડ અને CCTV કરે છે દેખરેખ

રત્ન કલાકાર આર્થિક પેકેજ: જૂના GRમાં કોઇ ફેરફાર થયો નથી, સત્ય જાણો

ગુજરાત સરકારે તાજેતરમાં ડાયમંડ ઉદ્યોગ માટે એક આર્થિક પેકેજની જાહેરાત કરી હતી અને 24 મે 2025ના દિવસે GR બહાર...
Gujarat 
રત્ન કલાકાર આર્થિક પેકેજ: જૂના GRમાં કોઇ ફેરફાર થયો નથી, સત્ય જાણો

નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં ફીમાં 2.76 લાખ રૂપિયાનો વધારો, 25.76 લાખ કરાઈ

ફી રેગ્લુલેટરી કમિટી (FRC)એ ગુજરાતની મેડિકલ કોલેજોમાં બે વર્ષ માટે તોતિંગ ફી વધારાને મંજૂરી આપી દીધી છે, ...
Education 
નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં ફીમાં 2.76 લાખ રૂપિયાનો વધારો, 25.76 લાખ કરાઈ

કાશ્મીરની ખીણમાં બનેલા દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજ વિશે જાણો

કાશ્મીરની ખીણમાં ચિનાબ નદી પર બનેલો રેલવે બ્રિજ દુનિયાના સૌથી ઉંચો બ્રિજ છે, જેનું 6 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ...
National 
કાશ્મીરની ખીણમાં બનેલા દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજ વિશે જાણો
Copyright (c) Khabarchhe All Rights Reserved.