દોઢ કરોડની લોટરીની લાલચમાં દાહોદની મહિલાએ ગુમાવ્યા 17 લાખ રૂપિયા

'લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે' આ કહેવત ફરી એકવાર સાચી સાબિત થઈ છે. લોટરીની લાલચમાં એક મહિલાએ 17 લાખ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. આવી જ એક ઘટના દાહોદમાં બની છે. દાહોદ જિલ્લાની રહેવાસી 36 વર્ષીય મહિલાએ દોઢ કરોડ રૂપિયાની લોટરીની લાલચમાં 17 લાખ રૂપિયા ગુમાવી દીધા. આ બાબતને લઈને પીડિતા મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાના વોટ્સએપ પર એક કરોડ ચાલીસ લાખ રૂપિયાની લોટરી નીકળવાના મેસેજ આવી રહ્યા હતા.

મહિલાએ જ્યારે તેના પર ક્લિક કર્યું તો સ્કેમર્સે તેને ફસાવી લીધી. ત્યારબાદ અલગ તારીખોમાં અલગ અલગ ખાતાઓમાં કુલ 17 લાખ રૂપિયા ઓનલાઇન હડપી લીધા. મહિલાને જ્યારે છેતરપિંડીનો અનુભવ થયો તો ઇમરજન્સીમાં પોલીસ પાસે જઈને ફરિયાદ નોંધાવી. દાહોદ બુરહાની સોસાયટીના શિરીન અપાર્ટમેન્ટમાં રહેનારી 36 વર્ષીય રશિદાબેન હુસેનભાઈ મન્સૂરભાઈના મોબાઈલ પર અલગ અલગ નંબરો પરથી વૉટ્સએપ મેસેજ આવી રહ્યા હતા.

તેમાં બાઉચર નંબર અને એ નંબરને સિલેક્ટ કરવા કહેવામાં આવ્યું હતું. નંબરનું સિલેક્શન કર્યા બાદ રશિદાબેનને ગિફ્ટના રૂપમાં એક ડાયમંડ સેટ, એક સોનાનો સેટ, એક આઇફોન અને એક પાઉન્ડ આપવાની વાત કહી. તેની સાથે જ એક કરોડ 40 લાખ રૂપિયાની લોટરી જીતવાની વાત પણ કહી. સ્કેમર્સ રૂપિયા ટ્રાન્સફર કરવા કહી રહ્યા હતા. રશિદાબેન સ્કેમર્સની વાતોમાં આવી ગઈ. સ્કેમર્સે ધીરે ધીરે રશિદાબેન પાસેથી અલગ અલગ ખાતાઓમાં લગભગ 17 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા.

ત્યારબાદ પણ જ્યારે કોઈ ગિફ્ટ અને લોટરીની રકમ ન મળી તો રશિદાબેનને છેતરપિંડીની જાણકારી મળી. છેતરપિંડી બાદ સ્કેમર્સે રશિદાબેનના વૉટ્સએપ પર મોકલેલા બધા મેસેજ ડીલિટ કરી દીધા. ઓનલાઇન છેતરપિંડીના શિકાર રશિદાબેન હુસેનભાઈ મન્સૂરભાઈ મુલ્લામિથાએ દાહોદ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. પોલિસે આ કેસમાં ઈપિકો કલમ 406, 420, 384 તેમજ IT એક્ટ કલમ 66(C) અને 66 (D) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.