...જ્યારે પિતાએ જ લેટર લખીને કહેલું- દીકરો બૂટલેગર છે, ભાજપને નુકસાન થશે

પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું 82 વર્ષની વયે ટૂંકી માંદગી બાદ નિધન થયું છે. તેમણે મેહલોલમાં આવેલા તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા છે. સતત 5 ટર્મ સુધી તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે. બે ટર્મ સાંસદ રહી ચૂક્યા છે. પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના નિધનથી ગુજરાતના રાજકારણમાં શોકનું મોજું ફરી વળ્યું છે છે. પ્રભાતસિંહ ચૌહાણે પોતાના રાજકીય કરિયરની શરૂઆત મેહલોલ ગામના સરપંચ તરીકે કરી હતી. તેઓ  તાલુકા અને જિલ્લા પંચાયતમાં વિવિધ પદો પર ફરજ બજાવી ચૂક્યા હતા.

વર્ષ 2017માં જ્યારે પ્રભાતસિંહ ચૌહાણના પુત્રવધૂ સુમનસિંહ ચૌહાણને ભાજપે કાલોલથી ટિકિટ આપી હતી, ત્યારે પ્રભાતસિંહ ગુસ્સે થઇ ગયા હતા. તેમણે પત્રમાં આરોપ લગાવ્યો હતો કે તેમનો પુત્ર પ્રવીણસિંહ એક બુટલેગર છે અને તેમની પત્નીને ટિકિટ આપવાથી પક્ષને નુકસાન થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, પ્રવીણસિંહ પ્રભાતસિંહ અને તેમના પહેલા પત્ની રમીલાબેનના પુત્ર છે. તેમની સામે સરકારી આવાસમાં દારૂની હેરફેરના આરોપ હેઠળ કેસ દાખલ થયો હતો. આ મામલાને નજીકથી જોનારા ઉમંગ સોની જણાવે છે કે, તે સમયના SP, J.K. ભટ્ટે છાપેમારી કરી હતી અને પ્રવીણસિંહ ફરાર થઈ ગયા હતા. જો કે, ત્યારબાદ તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.

એ વખતે પ્રભાતસિંહે નિવેદન આપ્યું હતું કે તેમનો પુત્ર તેમના કહ્યામાં નથી. ઉમંગ સોની આગળ જણાવે છે કે, જ્યારે સુમનસિંહને ટિકિટ ન આપવા માટે પ્રભાતસિંહે પોતાના સત્તાવાર લેટરહેડ પર હાઇકમાનને પત્ર લખ્યો અને તેને નજરઅંદાજ કરીને ભાજપે સુમનસિંહને ટિકિટ આપી તો પ્રભાતસિંહની નારાજગી વધી. વર્ષ 2019માં પણ જ્યારે પ્રભાતસિંહને લોકસભાની ટિકિટ આપવામાં નહોતી આવી ત્યારે તેઓ નારાજ થયા હતા. જો કે પછી ભાજપને તેમને મનાવી લીધા હોવાનું કહેવાય છે અને પાછળથી તેઓ ભાજપના પ્રચારમાં પણ સામેલ થયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંચ પણ શેર કર્યું હતું.

વર્ષ 1980 અને વર્ષ 1985માં પ્રભાતસિંહ ચૌહાણે પ્રથમ બે વિધાનસભા ચૂંટણી કાલોલ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પરથી લડી હતી અને બંને વખત તેમણે જીત મેળવી હતી. ત્યારબાદ વર્ષ 1990માં કોંગ્રેસે ટિકિટ ન આપતા તેઓ ભાજપમાં જોડાયા અને ભાજપમાંથી તેઓ વર્ષ 1995, વર્ષ 1998 અને વર્ષ 2002માં ચૂંટણી લડ્યા અને જીત પણ હાંસલ કરી હતી. પોતાના કાર્યકાળ દરમિયાન પ્રભાતસિંહ ચૌહાણ ગુજરાત સરકારમાં પર્યાવરણ, આદિજાતિ વિકાસ અને યાત્રાધામ વિકાસ મંત્રાલયમાં મંત્રી તરીકેની સેવા આપી ચૂક્યા હતા.

ત્યારબાદ વર્ષ 2007માં તેઓ કોંગ્રેસના સી.કે. રાઉલજી સામે હારી ગયા હતા. આ વખત તેમના પુત્ર પણ કાલોલથી અપક્ષ ઉમેવાદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા જો કે, તેઓ પણ હારી ગયા હતા. તેઓ વર્ષ 2009 અને વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા પણ હતા. ટૂંકમાં તેઓ તેઓ પંચમહાલના સાંસદ તરીકે પણ 2 ટર્મ સુધી રહ્યા હતા. તેમને વર્ષ 2019માં ભાજપે લોકસભાની ટિકિટ ન આપતા તેઓ નારાજ થયા હતા. ગત વર્ષ સુધી તેઓ રાજકારણમાં સક્રિય હતા. ભાજપથી નારાજ થઈને તેઓ ગત વર્ષે નવેમ્બરમાં કોંગ્રેસમાં જોડાયા હતા.

પ્રભાત સિંહ ચૌહાણનો જન્મ 15 જૂન 1941ના રોજ પંચમહાલ જિલ્લામાં થયો હતો. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ શ્રી કે.કે. હાઇસ્કુલ પંચમહાલ વેજલપુરથી હાંસલ કર્યું હતું, તેમણે SSC સુધીનો અભ્યાસ કર્યો હતો. એ સિવાય નિરક્ષરતા, વસ્તી, કુપોષણ, મદ્યપાન વગેરે જેવા ગ્રામીણ સમુદાયોમાં રહેલા વિવિધ દુષણોનો ગાઢ અભ્યાસ કર્યો હતો. તેઓ રાજકારણમાં જોડાયા એ અગાઉ એક કૃષિવિદ, શિક્ષણવિદ ઉપરાંત એક સામાજિક કાર્યકર હતા.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.