ગોધરામાં બે કોમ વચ્ચે પથ્થરમારો,10ની ધરપકડ,રસ્તા પર પસાર થતા રોક્યા તો હોબાળો થય

ગુજરાતના ગોધરા શહેરમાં રસ્તા પરથી પસાર થવાને લઈને બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો અને પોલીસે આ ઘટનાના સંબંધમાં મંગળવારે 10 લોકોની ધરપકડ કરી હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા ગોધરા શહેરમાં રસ્તા પરથી પસાર થવાને લઈને બે સમુદાયના સભ્યો વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસે મંગળવારે આ વિષે માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સોમવારે સાંજે થયેલી આ અથડામણમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો અને પોલીસે મંગળવારે આ ઘટનાના સંબંધમાં 10 લોકોની ધરપકડ કરી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, કાદરખાન પઠાણની ફરિયાદ પર નોંધાયેલી FIR મુજબ, એક આરોપી મિત્રાંગ પરમાર અને અન્ય કેટલાક લોકોએ તેમને તેમના વિસ્તારમાંથી પસાર થતા રસ્તાનો ઉપયોગ કરવા માટે રોક્યો હતો અને તે રસ્તા પરથી આવવા જવાની ના પાડી દીધી હતી.

પઠાણે એવો દાવો કર્યો હતો કે, તે જે રોડનો રોજિંદો ઉપયોગ કરતો હતો તે, રેલ્વે અંડરપાસના નિર્માણને કારણે બંધ હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, પઠાણે તેની ફરિયાદમાં આરોપ મૂક્યો હતો કે, તે સોમવારે સાંજે તેની મોટરસાઇકલ પર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પરમારે તેને પસાર થતો અટકાવ્યો હતો. આ બાબતે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. અધિકારીએ કહ્યું કે, આ પછી ઝઘડો વધી ગયો હતો અને બંને સમુદાયના સભ્યોએ એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ગોધરામાં પથ્થરમારાની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસ અધિકારીએ કહ્યું કે, બંને પક્ષોની ફરિયાદના આધારે બે FIR નોંધવામાં આવી છે. જેમાં બંને કોમના પાંચ-પાંચ આરોપીના નામ સામે આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, FIRમાં પરમારે પઠાણ અને અન્ય ચાર લોકો પર ગેરકાનૂની રીતે ભેગા થવાનો આરોપ લગાવ્યો હતો, તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને માર માર્યો હતો. પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 323, 335 (દુઃખ પહોંચાડવા), 504 (શાંતિ ભંગ કરવા માટે ઇરાદાપૂર્વકનું અપમાન), 143, 149 (ગેરકાયદેસર રીતે ભેગા થવું) અને 147 (હુલ્લડો) હેઠળ બંને સમુદાયોના દરેક પાંચ સભ્યો સામે ગુનો નોંધ્યો હતો અને તેમની ધરપકડ કરવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

ટ્રેનમાંથી સોનાનું મંગળસૂત્ર અને રોકડની ચોરી, કોર્ટે કહ્યું- મુસાફરને રૂપિયા ચૂકવો

પંજાબનું એક દંપતિ 14 ડિસેમ્બર 2021ના દિવસે ડિબ્રુગઢથી નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યું હતું તેમણે થર્ડ એસી કોચમા...
National 
ટ્રેનમાંથી સોનાનું મંગળસૂત્ર અને રોકડની ચોરી, કોર્ટે કહ્યું- મુસાફરને રૂપિયા ચૂકવો

જંતર-મંતર પર હજારો લોકો ઉમટ્યા, પોલીસનો લાઠીચાર્જ, સરકાર વાત કરવા તૈયાર

દેશમાં NEET પેપર લીક અને વધતી જતી બેરોજગારી સામે કોકરોચ જનતા પાર્ટી (CJP)નો વિરોધ વધુ તીવ્ર બન્યો છે....
National 
જંતર-મંતર પર હજારો લોકો ઉમટ્યા, પોલીસનો લાઠીચાર્જ, સરકાર વાત કરવા તૈયાર

જયપુરની હવેલીના ખોદકામમાં સોનાના સિક્કા ભરેલા 15 કળશ અને 8 હજારથી વધુ ચાંદીના સિક્કા મળ્યા, કોન્ટ્રાક્ટરે અંદરોઅંદર વેચી લીધા

આ સમાચાર રાજસ્થાનના જયપુરથી આવ્યા છે. ત્રિપોલિયા બજારના વિદ્યાધરનો માર્ગ વિસ્તારમાં એક પૂર્વજોની હવેલીમાં કરોડો રૂપિયાનો ખજાનો મળી આવ્યાના દાવાથી...
National 
જયપુરની હવેલીના ખોદકામમાં સોનાના સિક્કા ભરેલા 15 કળશ અને 8 હજારથી વધુ ચાંદીના સિક્કા મળ્યા, કોન્ટ્રાક્ટરે અંદરોઅંદર વેચી લીધા

'અમને નવું જીવન આપો અથવા ઈચ્છામૃ*ત્યુ', રાજસ્થાનમાં બાળજન્મ પછી ડાયાલિસિસ પર 5 મહિલાઓ

રાજસ્થાનની સરકારી હોસ્પિટલમાં ડાયાલિસિસ પર જીવતી પાંચ મહિલાઓ દ્વારા આ અપીલ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને લખેલા પત્રમાં, ...
National 
'અમને નવું જીવન આપો અથવા ઈચ્છામૃ*ત્યુ', રાજસ્થાનમાં બાળજન્મ પછી ડાયાલિસિસ પર 5 મહિલાઓ
Copyright (c) Khabarchhe All Rights Reserved.