સુરત: નવપરિણીતા ફિઝિયોથેરાપિસ્ટનો આપઘાત, હજુ 27 દિવસ પહેલા જ લગ્ન કરેલા

સુરતમાં એક યુવાન મહિલા ફિઝિયોથેરાપિસ્ટે નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ મહિલાના હજુ તો 27 દિવસ પહેલાં જ લગ્ન થયા હતા. જો કે આપઘાતનું કારણ હજુ સામે આવ્યું નથી. નવપરણીતા ફિઝિયોથેરાપિસ્ટનો આપઘાત તબીબી આલમમમાં ચર્ચાનો વિષય બન્યો છે.મંગળવારે પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને બુધવારે તેણીની સુરતની તાપી નદીના કિનારેથી લાશ મળી હતી. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે.

જાણવા મળેલી માહિતી મુજબ હેમાંગી પટેલ ફિઝિયોથેરાપીસ્ટ હતા અને સુરતના પાલનપુર પાટીયા વિસ્તારમાં આવેલી શ્રીરંગ સોસાયટીમાં રહેતા ડેરીક પટેલ સાથે લગ્ન થયા હતા. હેમાંગીના લગ્ન હજુ 27 દિવસ પહેલાં જ થયા હતા. પતિ ડેરિક ઓનલાઇન બિઝનેસ સાથે સંકળાયેલા છે. હેમાંગી પટેલ મંગળવારે નોકરીએ જવાનું કહીને ઘરેથી નિકળ્યા હતા, પરંતુ કલીનિક પર પહોંચ્યા નહોતા. જ્યારે પતિ ડેરીકને આ વાતની ખબર પડી તો પોલીસમાં હેમાંગીના ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પરંતુ બીજે દિવસે હેમાંગીની હનુમાન ટેકરી નજીક તાપી નદીમાંથી લાશ મળી હતી.

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, મંગળવારે હેમાંગી પટેલ બપોરે ઘરે આવી હતી અને પતિ ડેરિક સાથે ફોન પર વાત પણ કરી હતી. એ પછી પોતાનું ટુ વ્હીલર લઇને હેમાંગી નોકરીએ નિકળી ગઇ હતી. પરંતુ બપોર પછી ક્લીનિકના ડોકટરની ડેરિકભાઇ સાથે વાત થઇ હતી કે હેમાંગી આજે કલીનિક આવી નથી. હેમાંગીના પતિએ રાંદેર પોલીસ સ્ટેશનમાં પત્નીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

હેમાંગીની આખી રાત શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તેની કોઇ ભાળ મળી નહોતી. બુધવારે તાપી નદીના કિનારેથી હેમાંગીની લાશ મળી આવી છે. પોલીસનું માનવું છે કે હેમાંગીએ નદીમાં કુદીને આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક તારણ છે. હેમાંગીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

જો કે, પોલીસ માટે એ કોયડો બન્યો છે કે,  હજુ તો લગ્નને 27  દિવસ જ થયા છે, એમાં એવું તે શું થયું કે ભણેલી ગણેલી હેમાંગીએ આપઘાત જેવું આત્યાંતિક પગલું ભરવું પડ્યું? હેમાંગીના પિયરના લોકોએ હજુ સુધી કોઇ ફરિયાદ નોંધાવી નથી. સિંગણપોર પોલીસ વધુ તપાસ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-03-2025 દિવસ: શનિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ સાવધાન રહેવું પડશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.