સુરત: નવપરિણીતા ફિઝિયોથેરાપિસ્ટનો આપઘાત, હજુ 27 દિવસ પહેલા જ લગ્ન કરેલા

સુરતમાં એક યુવાન મહિલા ફિઝિયોથેરાપિસ્ટે નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ મહિલાના હજુ તો 27 દિવસ પહેલાં જ લગ્ન થયા હતા. જો કે આપઘાતનું કારણ હજુ સામે આવ્યું નથી. નવપરણીતા ફિઝિયોથેરાપિસ્ટનો આપઘાત તબીબી આલમમમાં ચર્ચાનો વિષય બન્યો છે.મંગળવારે પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને બુધવારે તેણીની સુરતની તાપી નદીના કિનારેથી લાશ મળી હતી. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે.

જાણવા મળેલી માહિતી મુજબ હેમાંગી પટેલ ફિઝિયોથેરાપીસ્ટ હતા અને સુરતના પાલનપુર પાટીયા વિસ્તારમાં આવેલી શ્રીરંગ સોસાયટીમાં રહેતા ડેરીક પટેલ સાથે લગ્ન થયા હતા. હેમાંગીના લગ્ન હજુ 27 દિવસ પહેલાં જ થયા હતા. પતિ ડેરિક ઓનલાઇન બિઝનેસ સાથે સંકળાયેલા છે. હેમાંગી પટેલ મંગળવારે નોકરીએ જવાનું કહીને ઘરેથી નિકળ્યા હતા, પરંતુ કલીનિક પર પહોંચ્યા નહોતા. જ્યારે પતિ ડેરીકને આ વાતની ખબર પડી તો પોલીસમાં હેમાંગીના ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પરંતુ બીજે દિવસે હેમાંગીની હનુમાન ટેકરી નજીક તાપી નદીમાંથી લાશ મળી હતી.

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, મંગળવારે હેમાંગી પટેલ બપોરે ઘરે આવી હતી અને પતિ ડેરિક સાથે ફોન પર વાત પણ કરી હતી. એ પછી પોતાનું ટુ વ્હીલર લઇને હેમાંગી નોકરીએ નિકળી ગઇ હતી. પરંતુ બપોર પછી ક્લીનિકના ડોકટરની ડેરિકભાઇ સાથે વાત થઇ હતી કે હેમાંગી આજે કલીનિક આવી નથી. હેમાંગીના પતિએ રાંદેર પોલીસ સ્ટેશનમાં પત્નીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

હેમાંગીની આખી રાત શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તેની કોઇ ભાળ મળી નહોતી. બુધવારે તાપી નદીના કિનારેથી હેમાંગીની લાશ મળી આવી છે. પોલીસનું માનવું છે કે હેમાંગીએ નદીમાં કુદીને આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક તારણ છે. હેમાંગીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

જો કે, પોલીસ માટે એ કોયડો બન્યો છે કે,  હજુ તો લગ્નને 27  દિવસ જ થયા છે, એમાં એવું તે શું થયું કે ભણેલી ગણેલી હેમાંગીએ આપઘાત જેવું આત્યાંતિક પગલું ભરવું પડ્યું? હેમાંગીના પિયરના લોકોએ હજુ સુધી કોઇ ફરિયાદ નોંધાવી નથી. સિંગણપોર પોલીસ વધુ તપાસ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.