સુરતની વન્યા ભટ્ટે બ્રોડવેના મ્યુઝિકલ ડ્રામા-માય ફેર લેડીમાં- એલાઇઝા ડૂલિટલ તરીકે દર્શકોને મોહી લીધા

બેંગલુરુ, 3 માર્ચ: દેશની અગ્રણી ક્રાઇસ્ટ યુનિવર્સિટી ખાતે 1 અને 2 માર્ચે ઇન્ટરનેશલ લેવલે બ્રોડવે પર ભજવાતા લર્નર અને લોયેની દ્વારા લિખિત માય ફેર લેડી નાટકનું ભવ્ય આયોજન કર્યું હતું જે દર્શકોને મંત્રમુગ્ધ કરી ગયું. આ નાટક ચાર આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ નિર્માણ પામ્યું હતું અને મ્યુઝિક થિયેટર ઇન્ટરનેશનલ (MTI)નું લાયસન્સ મેળવીને કરવામાં આવ્યું  હતું. શોના મુખ્ય આકર્ષણમાં વન્યા ભટ્ટની એલાઇઝા ડૂલિટલની ભૂમિકા હતી, જે દર્શકોના મન પર ગજબની છાપ છોડી ગઈ.

surat
Khabarchhe.com

આ બંને દિવસો દરમિયાન ઓડિટોરિયમ લોકોથી ખચાખચ ભરેલું હતું. નાટકની મોહક વાર્તા, પાત્રનિર્માણ અને ભવ્ય મંચ વ્યવસ્થાએ સૌને પ્રભાવિત કર્યા. બન્ને દિવસોએ શોના અંતે પ્રેક્ષકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. 

surat
Khabarchhe.com

વન્યા ભટ્ટ, જે ક્રાઇસ્ટ યુનિવર્સિટીની વિદ્યાર્થિની છે. તેણે વેસ્ટર્ન ક્લાસિકલ વોકલની તાલીમ લીધેલી છે. તે સૂરતની સાર્વજનિક યુનિવર્સિટીની સ્કોપા કોલેજમાંથી ડ્રામામાં ડિપ્લોમાં પણ કરી ચૂકી છે.  આ ઇન્ટરનેશનલ અનુભવ વિશે વન્યાએ જણાવ્યું, “મારા માટે આ જીવનની સૌથી મોટી તક હતી. આ માટે હું મારી યુનિવર્સિટી અને પ્રોફેસરોની આભારી છું, જેમના માર્ગદર્શનથી આ અનુભવ મારા માટે અવિસ્મરણીય બન્યો. એલાઇઝા ડૂલિટલનું પાત્ર નિભાવવું મારા માટે એક ચેલેન્જિંગ અને રોમાંચક અનુભવ રહ્યો.”

surat
Khabarchhe.com

મૂળ સુરત, ગુજરાતની વતની વન્યા ભટ્ટ એક પ્રતિભાશાળી ગાયિકા અને સંગીતકાર છે. તેણે બાળપણથી સંગીતમાં રુચિ હતી અને અનેક સ્પર્ધાઓ અને શોઝમાં ભાગ લીધો છે. તેઓ શ્રીનાથજીના હવેલી સંગીતમાં પણ પરફોર્મ કરે છે. વન્યાનું બાજત આજ વધાઈ ગોકુલ માં સહિત પાંચ ભજનોનું આલબમ રીલીઝ થયું છે.

About The Author

Related Posts

Top News

શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

બોલીવુડ અને ટીવીના સિનિયર અદાકારા પ્રવીણા દેશપાંડેનું મંગળવારે 61 વર્ષની ઉંમરે નિધન થયું. આ માહિતી એક્ટ્રેસના પરિવારે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ...
Charcha Patra 
શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

વિશ્વગુરુ/સુપરપાવરની હોડમાં ન પડતા અને સુખી, શાંતિપૂર્ણ તથા સુરક્ષિત જીવન જીવતા દેશો પણ વિશ્વમાં છે. આ દેશોમાં મુખ્યત્વે નાના અને...
Lifestyle 
વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...

AI ઇમ્પેક્ટ સમિટ 2026માં ગલગોટિયાસ યુનિવર્સિટી દ્વારા રજૂ કરાયેલા રોબો ડોગથી વિવાદ ઉભો થઇ ગયો છે. આ રોબો ડોગ...
Tech and Auto 
જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...

મહારાષ્ટ્રમાં મુસ્લિમોના 5% અનામતનો આદેશ રદ્દ, AIMIMએ કર્યો કટાક્ષ- ‘સરકારે રમઝાનની ભેટ આપી’

મહારાષ્ટ્ર સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત મુસ્લિમ સમુદાયને આપવામાં આવેલી 5% અનામત અંગેના અગાઉના નિર્ણયને રદ કરી દીધો છે....
Politics 
મહારાષ્ટ્રમાં મુસ્લિમોના 5% અનામતનો આદેશ રદ્દ, AIMIMએ કર્યો કટાક્ષ- ‘સરકારે રમઝાનની ભેટ આપી’
Copyright (c) Khabarchhe All Rights Reserved.