‘આખું ગામ ખાલી થઈ જશે..’, જાણો કડીના ઇન્દ્રાડ ગામના લોકોએ ઉદ્યોગો ખસેડવાની માંગ કેમ કરી?

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઈન્દ્રાડ ગામમાં કેમિકલ કંપનીઓના પ્રદૂષણને કારણે ગ્રામજનો ભારે મુશ્કેલીનો પડી ગયા છે. લગભગ 6000ની વસ્તી ધરાવતું ઈન્દ્રાડ ગામ RCC રોડ, CCTV કેમેરા, શાળા, હાઈસ્કૂલ, બેંક અને આરોગ્ય કેન્દ્ર જેવી સુવિધાઓ સાથે વિકસિત છે, પરંતુ પ્રદૂષણથી લોકો પરેશાન છે. ઈન્દ્રાડ ગામના બોરવેલમાંથી લાલ રંગનું પ્રદૂષિત પાણી નીકળી રહ્યું છે અને કેન્સર જેવી ગંભીર બીમારીઓના ભયથી ગ્રામજનો સ્થળાંતર કરવા મજબૂર થઈ ગયા છે.

ઈન્દ્રાડ ગામમાં કાર્યરત 10-15 કેમિકલ યુનિટોના કારણે જળ અને વાયુ પ્રદૂષણ બેફામ વધી ગયું છે. ખેતરોના બોરવેલમાંથી નીકળતા લાલ પાણીને કારણે ખેતી અને પશુપાલનનો વ્યવસાય પડી ભાંગ્યો છે. છેલ્લા 10 વર્ષમાં ગામમાં કેન્સર અને TB જેવી ગંભીર બીમારીઓના પ્રમાણમાં ભારે વધારો થયો છે, જે ગ્રામજનો માટે ચિંતાનો વિષય છે. ગ્રામજનોનો આરોપ છે કે, GPCBના અધિકારીઓ અને કંપનીઓ વચ્ચે 'તોડપાણી' થાય છે. તેમની રજૂઆતો છતા પ્રદૂષણ નિયંત્રણ માટે કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી.

indrad4
divyabhaskar.co.in

સાથે જ ઈન્દ્રાડ ગામની કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી જમીનમાં ઉતારવામાં આવતું હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. જેના પરિણામે ગામના 5-6 જેટલા ગામના બોરવેલમાં હવે લાલ રંગનું કેમિકલયુક્ત પાણી આવી રહ્યું છે. આ પાણી ન તો પીવાલાયક છે કે ન તો ખેતી લાયક. પશુપાલન પર નભતા ગ્રામજનો માટે પશુઓને શું પીવડાવવું? તે મોટો સવાલ છે. લાલ પાણીના કારણે ખેતી પણ નષ્ટ થઈ રહી છે.

ઈન્દ્રાડ ગામના માજી સરપંચ ગણેશજી કચરાજી ઠાકોરે જણાવ્યું હતું કે, ‘ગામમાં પ્રદૂષણની સ્થિતિ ભયંકર છે. સવાર-સાંજ વાતાવરણ એટલું ખરાબ થઈ જાય છે કે શ્વાસ લેવામાં પણ પરેશાની થાય છે. જે વિસ્તારમાં ખેડૂતો રહે છે ત્યાં 15-20 કુટુંબો ખેતરમાં વસવાટ કરે છે, તેમની હાલત કફોડી છે. આ પ્રદૂષણના કારણે કેટલાક કુટુંબો તો સ્થળાંતર કરી ગયા છે અને જો આમ ને આમ ચાલ્યું તો આખું ગામ ખાલી થઈ જશે. ગ્રામજનોના મતે, દાયકા અગાઉ ઈન્દ્રાડ ગામમાં જે બીમારીઓ જોવા નહોતી મળતી તે હવે ઘરે-ઘરે જોવા મળે છે. પ્રદૂષિત હવા અને પાણીના કારણે ગામમાં કેન્સર, TB અને શ્વસનતંત્રની બીમારીઓનું પ્રમાણ વધ્યું છે.

indrad1
divyabhaskar.co.in

ગ્રામજનો એ વાતને લઈને નારાજ છે કે જ્યારે લોક સુનાવણી યોજાય છે ત્યારે ગ્રામજનો કંપનીઓનો સખત વિરોધ કરે છે, છતા કંપનીઓને મંજૂરીઓ મળી જાય છે. ગ્રામજનોએ સરકારને ચીમકી આપી છે કે જો આ કેમિકલ એકમોને તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે અથવા રણ વિસ્તારમાં ખસેડવામાં નહીં આવે, તો આગામી સમયમાં ઈન્દ્રાડ ગામ રહેવા લાયક નહીં બચે અને આખું ગામ ખાલી થઈ જશે.

indrad2
divyabhaskar.co.in

15 જાન્યુઆરીએ મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી (DDO) ડો. જાસ્મીન અસરતે ઈન્દ્રાડ અને કરણનગર ગામની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમણે ડાયાબિટીસથી પીડિત બાળકોની મુલાકાત લીધા બાદ ગ્રામ પંચાયતમાં ગ્રામજનો સાથે બેઠક કરી હતી, જ્યાં પ્રદૂષણ અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ મુલાકાત બાદ ગામના તલાટી દ્વારા કડી તાલુકા વિકાસ અધિકારી મૌલિક દેસાઈ અને ગુજરાત પ્રદૂષણ બોર્ડને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતા અત્યાર સુધી પ્રદૂષણ વિભાગના અધિકારીઓએ ગામની મુલાકાત લીધી નથી કે કોઈ કાર્યવાહી કરી નથી.

About The Author

Related Posts

Top News

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

મધ્ય પૂર્વમાં યુદ્ધના ઘર્ષણને કારણે મહારાષ્ટ્રના ખેડૂતો અને નિકાસકારોને ખુબ ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. દુબઈના જેબેલ...
Business 
યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.