એકપણ ક્ષેત્ર એવું નથી જેમાં અગ્રવાલ સમાજનું યોગદાન ના હોય: રાજ્યપાલ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અગ્રવાલ બિઝનેસ કૉન્ક્લેવનો શુભારંભ કરાવતાં કહ્યું કે, જે વ્યક્તિ ધર્મના માર્ગે ધન કમાય છે, પુણ્ય-પરોપકાર અને દીન-દુખિયાની સેવામાં એ ધન વાપરે છે અને બીજાના ઘાવ પર પોતાના હૃદયથી મલમ લગાવે છે એવી વ્યક્તિનું જીવન જ સાર્થક છે. આદર્શવાદી અને સમાજવાદી મહારાજા અગ્રસેનનો વંશજ અગ્રવાલ સમાજ ધર્મથી ધન કમાઈને શ્રેષ્ઠ સેવા કાર્યોમાં વાપરે પણ છે. વેપાર-ઉદ્યોગના નવા યુગના પડકારો અને નવી ટેક્નોલોજીથી સમાજની નવી પેઢી સારી રીતે વાકેફ થાય અને પ્રગતિ કરે એવી શુભકામનાઓ તેમણે આપી હતી.

અગ્રવાલ વિકાસ મહાસભા દ્વારા તારીખ 17-18 જૂન 2023 દરમિયાન અમદાવાદમાં નારાયણી હાઇટ્સમાં અગ્રવાલ બિઝનેસ કૉન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ કૉન્કલેવનો શુભારંભ કરાવતાં કહ્યું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અથાગ પ્રયત્નોથી ભારતનું અર્થતંત્ર વિશ્વમાં પ્રથમ પાંચ ક્રમમાં આવી ગયું છે. દેશના દરેક ખૂણામાં વિસ્તરેલા અગ્રવાલ સમાજે ભૂતળથી લઈને અંતરિક્ષ સુધીના ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. આ પ્રકારે અગ્રવાલ સમાજ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પણ મોટું યોગદાન આપીને ભારતનું ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરી રહ્યો છે. કરોડો લોકોને રોજગારી મળી રહે છે. સેવાની સાથોસાથ સમાજનું જીવનસ્તર પણ ઊંચું લાવવામાં અગ્રવાલ સમાજનું યોગદાન મહત્વનું છે.

અગ્રવાલ બિઝનેસ કૉન્ક્લેવ અંતર્ગત વેપાર-ઉદ્યોગ સહિત વિવિધ ક્ષેત્રોના તજજ્ઞો, નિષ્ણાતો અને આગેવાનો પ્રેરણાદાયી માર્ગદર્શન આપશે. અગ્રવાલ સમાજના યુવાનો, ભાઇ-બહેનો અને વડીલો મોટી સંખ્યામાં આ કૉન્કલેવમાં ભાગ લઈ રહ્યા છે. આ કૉન્કલેવમાં યુવા પેઢીને આધુનિક ટેક્નોલોજીથી માહિતગાર કરાશે, એટલું જ નહીં અગ્રવાલ સમાજના લોકો સામાજિક અને આર્થિક રીતે પરસ્પર વધુ ઘનિષ્ઠતાથી જોડાશે, સહિયારા પુરુષાર્થથી સફળતાના શિખરે પહોંચવાના પાઠ ભણશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, વેપાર વ્યવસાય જ નહીં કલા, સાહિત્ય, રાજકારણ, વિજ્ઞાન કે વિશ્વનું એક પણ ક્ષેત્ર એવું નથી જેમાં અગ્રવાલ સમાજનું નોંધપાત્ર યોગદાન ન હોય. આ સમાજ કોઈપણ પ્રકારની જરૂરિયાત વખતે છાતી કાઢીને દરેક સમાજની પડખે ઉભો રહ્યો છે. તેમણે આ માટે અગ્રવાલ સમાજને અભિનંદન આપ્યા હતા.

About The Author

Related Posts

Top News

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.