અમદાવાદના બે યુવક ન્યૂઝીલેન્ડના દરિયામાં ડૂબી જતા મોત, મૃતદેહોને પરત મોકલવા..

શનિવારે સાંજે ન્યૂઝીલેન્ડના પશ્ચિમ ઓકલેન્ડના પિહા બિચ પર દરિયામાં ડૂબી જવાના કારણે બે લોકોના મોત થયઇ ગયા હતા. આ બંને યુવક અમદાવાદના હોવાનું કહેવામાં આી રહ્યું છે. ઇન્ડિયન હાઇ કમિશન દ્વારા પણ બંનેના મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને અમદાવાદમાં રહેતા તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. ઘટનામાં સૌરિન નયનકુમાર પટેલ (ઉંમર 28 વર્ષ) અને અંશુલ શાહ (ઉંમર 31 વર્ષ)નું મોત થયું છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પિહા બીચ પર ઇમર્જન્સી ક્રૂને સાંજે 6 વાગ્યા બાદ બોલાવવામાં આવ્યા હતા.

લાઇફગાર્ડ્સ દ્વારા કિનારે લાવવામાં આવતા બે લોકો બેહોશ હાલતમાં હતા. તાત્કાલિક સારવાર આપવા છતા તેમને પુનર્જીવિત કરવામાં અસમર્થ હતા. સૌરીન પટેલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતો, જે ઑગસ્ટમાં ન્યૂઝીલેન્ડ ગયો હતો, જ્યારે અંશુલ શાહ, ગેસ સ્ટેશન પર કેશિયર તરીકે કામ કરતો હતો અને નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ ગયો હતા. ઉલ્લેખનીય છે કે ઓકલેન્ડ શહેર વિસ્તારમાં 48 કલાકની અંદર પાંચ લોકો ડૂબી જવાના ઘટના સામે આવી છે. ભારતીય હાઇ કમિશન હાલમાં પરિવારજનોના સંપર્કમાં છે અને મૃતદેહોને પરત મોકલવા માટે તજવીજ હાથ ધરી છે.

અંશુલ અને સૌરીન પેટ્રોલિંગ વિસ્તારની બહાર સ્વિમિંગ કરી રહ્યા હતા, તેમને લાઇફગાર્ડ્સ દ્વારા કિનારે લાવવામાં આવ્યા હતા, જેમણે તેમને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ, હેલિકોપ્ટર બચાવ કામગીરીમાં મદદ કરવા માટે પહોંચ્યાં હતા. હેલિકોપ્ટર આવ્યો અને એક વ્યક્તિને બચાવવાની કામગીરી શરૂ કરી, એટલામાં એક મહિલા પોલીસકર્મી બીજા વ્યક્તિને બચાવવા હેલિકોપ્ટરમાંથી કૂદે છે. તેમણે તે વ્યક્તિને કેવી રીતે જોયો તે અમને ખબર નથી.

સર્ફ લાઇફ સેવર્સે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, બે લોકો એક સાથે પાણીમાં ભરાયા હોવાનું માનવામાં આવે છે. તેઓ લાયન રોકની ઉત્તરે મળી આવ્યા હતા. અમે લોકોને નક્કી કરેલી સીમા વચ્ચે લોકોને સ્વિમિંગ કરવા અપીલ કરીએ છીએ, જેથી આવી ઘટના ન બને. ઓકલેન્ડના લાઇફગાર્ડ ફેરોન ટર્નરે જણાવ્યું હતું કે, સ્વિમર્સને સાંજે 6 વાગ્યે પછી તરવા જવા પર એલર્ટ આપવામાં આવ્યું છે. અમે પાણીમાંથી એકનું રેસ્ક્યૂ કર્યું અને તરત જ બીજા વ્યક્તિને જોયો.

બંને વ્યક્તિ પેટ્રોલિંગ એરિયાની બહાર સ્વિમિંગ કરતા હતા. અમે બંનેને બચાવવાના પ્રયત્નો કર્યા, પરંતુ અંતે મૃત જાહેર કરવામાં આવ્યા. અઠવાડિયાના અંતમાં ઓકલેન્ડની આસપાસના દરિયામાં પાંચ લોકોના મોત થયા છે. આખા ન્યૂઝીલેન્ડમાં ડૂબવાથી મૃત્યુ પામનારા લોકોની કુલ સંખ્યા 10 પર પહોંચી છે. શનિવારે સવારે 11:30 આસપાસ તાકાપુનામાં પાણી દુર્ઘટનામાં એકનું મોત થઇ ગયું હતું, જ્યારે શુક્રવારે રાત્રે ઉત્તરના અલગ-અલગ દરિયા કિનારામાં બે લોકોના મોત થયા હતા.

સર્ફ લાઇફ સેવિંગ નોર્ધન રિજનના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર મેટ વિલિયમ્સે કહ્યું કે, લોકોએ બીચ પર સતર્ક રહેવું ખૂબ જરૂરી છે. આ અઠવાડિયે સમગ્ર ઓકલેન્ડ અને કોરોમંડલ દરિયાકિનારા પર દુર્ઘટનાઓનો દોર રહ્યો છે અને અમે એક ટ્રેન્ડ જોઇ રહ્યા છીએ. આવી દુર્ઘટના લાઇફગાર્ડ પેટ્રોલિંગ એરિયા અને પેટ્રોલિંગ કલાકોની બહાર બની રહી છે. દરિયો સુરક્ષિત નથી અને તમારો મિત્ર પણ નથી. તેથી મહેરબાની કરીને ભયજનક સપાટી સુધી સ્વિમિંગ કરવા ન જાઓ.

About The Author

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.