ગુજરાતમાં રમઝાન દરમિયાન મુસ્લિમ બાળકો માટે શાળાનો સમય અલગ! આદેશથી VHP નારાજ

ગુજરાતના વડોદરા શહેરમાં રમઝાન મહિના અંગેના એક કથિત આદેશને લઈને હોબાળો મચી ગયો છે. વિશ્વ હિન્દુ પરિષદનું કહેવું છે કે, વડોદરા પ્રાથમિક શિક્ષણ સમિતિએ રમઝાન દરમિયાન મુસ્લિમ બાળકો માટે અલગ સમયપત્રક જાહેર કર્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ પ્રદર્શન કર્યું અને આ આદેશ પાછો ખેંચવાની માંગ કરી. તેમણે કહ્યું કે, જો આદેશ પાછો ખેંચવામાં નહીં આવે તો શ્રાવણ અને નવરાત્રિ દરમિયાન હિન્દુ વિદ્યાર્થીઓને પણ આવી જ રાહત આપવી જોઈએ.

ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદ પ્રવક્તા હિતેન્દ્ર રાજપૂતે ફેસબુક પર લખ્યું, 'CM ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર UCC (યુનિફોર્મ સિવિલ કોડ) લાગુ કરવાની તૈયારી કરી રહી છે, જ્યારે બીજી તરફ વડોદરા શિક્ષણ સમિતિએ શિક્ષણ વિભાગમાં ધર્મ આધારિત તુષ્ટિકરણને પ્રોત્સાહન આપતો પરિપત્ર બહાર પાડ્યો છે. સરકારે એ ન ભૂલવું જોઈએ કે, તુષ્ટિકરણનો વિરોધ તેની શક્તિનું કેન્દ્ર છે.'

Vadodara School
lokmat.com

આ દરમિયાન, VHPએ તેના સત્તાવાર X હેન્ડલ પર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને ટેગ કરીને લખ્યું છે કે, 'કૃપા કરીને આ પરિપત્રની સત્યતા તપાસો અને તેને તાત્કાલિક ધોરણે રદ કરો. જવાબદારો સામે કાર્યવાહી જરૂરી છે. યાદ રાખો, તુષ્ટિકરણના વિરોધને કારણે જ BJPને મજબૂત જાહેર સમર્થન મળ્યું છે. આ ગુજરાત છે, પાકિસ્તાન કે બાંગ્લાદેશ નહીં.'

Vadodara School
facebook.com

બીજી એક એક્સ-પોસ્ટમાં, VHPCM ભૂપેન્દ્ર પટેલના ફોટા સાથે યુનિફોર્મ સિવિલ કોડ (UCC)નો ઉલ્લેખ કરીને લખ્યું છે કે, એવું લાગે છે કે અધિકારીઓ, મંત્રીઓ સરકારના ઇરાદાઓથી વાકેફ નથી અને જેમ કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાત સરકારના નિર્ણયથી જાણે સંપૂર્ણપણે અલગ જ છે.'

Vadodara School
facebook.com

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બહાર પડાયેલા જાહેરનામાના પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, 'રમઝાન મહિનો શરૂ થઈ રહ્યો હોવાથી. જે શાળાઓમાં મુસ્લિમ સમુદાયના બાળકોની સંખ્યા વધુ છે ત્યાં સમય બદલવામાં આવી રહ્યો છે. તેનો અમલ 1 માર્ચ, 2025થી રમઝાન દરમિયાન લાગુ કરવામાં આવશે.

સવારની પાળીમાં શાળાનો સમય: સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી, રીસેસ-સવારે 9:30થી 10 વાગ્યા સુધી, બપોરની પાળીમાં શાળાનો સમય: 12:30 થી 4:30 વાગ્યા સુધી, રીસેસ-2:00થી 2:30 વાગ્યા સુધી.

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.