કયા 2 કારણ છે, જેના લીધે ટેકઓફની થોડી જ મિનિટ બાદ ક્રેશ થઈ જાય છે પ્લેન? એક્સપર્ટે જણાવ્યું

અમદાવાદ એરપોર્ટ પર ટેકઓફના સમયે એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થઈ ગયું છે. વિમાનમાં 242 લોકો સવાર હતા. આ સાથે તેમાં 2 પાઇલટ અને 10 કેબિન ક્રૂ પણ હતા. વિમાન દુર્ઘટના બાદ દરેક વિમાન દુર્ઘટનાના કારણો બાબતે જાણવા માગે છે, પરંતુ દુર્ઘટનાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ ઘણા એવિએશન એક્સપર્ટ ક્રેશ થવાના કારણનું અનુમાન લગાવી રહ્યા છે અને બતાવી રહ્યા છે કે કયા કારણે આવા અકસ્માત થઈ જાય છે. એવામાં, ચાલો જાણીએ કે આખરે કયા કારણે આવા અકસ્માત થાય છે.

Ahmedabad plan crash
thehindu.com

 

એવિએશન એક્સપર્ટ ડૉ. વંદના સિંહે કહ્યું કે, જ્યારે ફ્લાઇટ ટેકઓફ કરે છે, ત્યારે એ વિમાન મેક્સિમમ ઇંધણ સાથે ઉડાણ ભારે છે. અત્યારે અમદાવાદ વિમાન દુર્ઘટનાનું એક્યૂરેટ કારણ નહીં કહી શકાય અને તેની જાણકારી ફ્લાઇટ ડેટા રેકોર્ડર જ બતાવી શકશે, પરંતુ કેટલાક કારણ હોય છે, જેના કારણે વિમાન ક્રેશ થઈ શકે છે.

Air India Plane
cnbctv18.com

 

પહેલું કારણ

વંદના સિંહે કહ્યું કે, ટેકઓફના તુરંત બાદ વિમાન ક્રેશ થવાનું એક મહત્ત્વપૂર્ણ કારણ લોડ ફેક્ટર હોઈ શકે છે. લોડ ફેક્ટરની ખોટી ગણતરી ઘણીવાર ક્રેશનું કારણ બની જાય છે. તમને જણાવી દઈએ કે, લોડ ફેક્ટર કોઈપણ વિમાનમાં મૂકવામાં આવતા વજનનો સાચો ગુણોત્તર છે, જે વિમાનની સંરચનાના આધારે નક્કી કરવામાં આવે છે. આ ફ્લાઇટમાં આગળ અને પાછળ મુસાફરોને બેસાડીને તેને નિશ્ચિત કરવામાં આવે છે, જેથી પ્રેશર કંટ્રોલ કરી શકાય. તેમણે જણાવ્યું કે, પ્રાથમિક માહિતી સામે આવી રહી છે કે વિમાનનું એક પૈડું કોઈ ઇમારતમાં અટક્યું છે. એવામાં, કહી શકાય છે કે વજનની ખોટી ગણતરીને કારણે આવું થઈ શકે છે. આમ તો, ફ્લાઇટમાં પહેલાં આવી બધી માહિતી તપાસવામાં આવે છે.

Ahmedabad plan crash
ndtv.com

 

બીજું કારણ

વંદના સિંહે જણાવ્યું હતું કે, તેનું બીજું કારણ એ હોઈ શકે છે કે તેનો લેન્ડિંગ ગિયર સારી રીતે બંધ ન થયો હોય. લેન્ડિંગ ગિયર કોઈપણ ફ્લાઇટનો એ હિસ્સો હોય છે, જે ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન રનવેના સંપર્કમાં આવવા પર આખું વજન સંભાળવા અને કાઇનેટિક એનર્જી (ગતિ ઉર્જા)ને શોષવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ એ જ હિસ્સો હોય છે જેમાંથી વિમાનના પૈડા બહાર આવે છે અને વિમાન રનવે પર ચાલે છે.

About The Author

Related Posts

Top News

નીતિશ કુમારે 4 જ મહિનામાં CM પદ છોડ્યું, બાવાના બેઉ બગડવાના હતા એટલે... 

છેલ્લા 20 વર્ષથી મુખ્યમંત્રી તરીકે બિહાર પર રાજ કરનારા નીતિશ કુમારે એક્સ પ્લેટફોર્મ પર લખીને ઇચ્છા વ્યક્ત કરી છે કે...
Politics 
નીતિશ કુમારે 4 જ મહિનામાં CM પદ છોડ્યું, બાવાના બેઉ બગડવાના હતા એટલે... 

નીતિશ કુમારના પુત્ર નિશાંત નાયબ મુખ્યમંત્રી... તો પછી બિહારના આગામી મુખ્યમંત્રી કોણ બનશે?

બિહારના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે...
Politics 
નીતિશ કુમારના પુત્ર નિશાંત નાયબ મુખ્યમંત્રી... તો પછી બિહારના આગામી મુખ્યમંત્રી કોણ બનશે?

એકાત્મભાવ સાથે ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠનમાં અદભુત સંકલન

ભાજપ એક કેડર બેઝ પક્ષ તરીકે ઓળખ ધરાવે છે. હા એ વાત જુદી છે કે ગુજરાતમાં વર્ષ  2017 થી 2025...
Gujarat 
એકાત્મભાવ સાથે ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠનમાં અદભુત સંકલન

શું યુદ્ધનો અંત આવવાનો છે? અફરાતફરી પછી શેરબજારમાં શાનદાર તેજી, આ છે 3 કારણો

છેલ્લા 3 ટ્રેડિંગ સત્રોમાં શેરબજારમાં ભારે ઘટાડો થયો હતો, પરંતુ ગુરુવારે શેરબજારમાં શાનદાર તેજી આવી છે. સેન્સેક્સ 440 પોઈન્ટ...
Business 
શું યુદ્ધનો અંત આવવાનો છે? અફરાતફરી પછી શેરબજારમાં શાનદાર તેજી, આ છે 3 કારણો

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.