કયા 2 કારણ છે, જેના લીધે ટેકઓફની થોડી જ મિનિટ બાદ ક્રેશ થઈ જાય છે પ્લેન? એક્સપર્ટે જણાવ્યું

અમદાવાદ એરપોર્ટ પર ટેકઓફના સમયે એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થઈ ગયું છે. વિમાનમાં 242 લોકો સવાર હતા. આ સાથે તેમાં 2 પાઇલટ અને 10 કેબિન ક્રૂ પણ હતા. વિમાન દુર્ઘટના બાદ દરેક વિમાન દુર્ઘટનાના કારણો બાબતે જાણવા માગે છે, પરંતુ દુર્ઘટનાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ ઘણા એવિએશન એક્સપર્ટ ક્રેશ થવાના કારણનું અનુમાન લગાવી રહ્યા છે અને બતાવી રહ્યા છે કે કયા કારણે આવા અકસ્માત થઈ જાય છે. એવામાં, ચાલો જાણીએ કે આખરે કયા કારણે આવા અકસ્માત થાય છે.

Ahmedabad plan crash
thehindu.com

 

એવિએશન એક્સપર્ટ ડૉ. વંદના સિંહે કહ્યું કે, જ્યારે ફ્લાઇટ ટેકઓફ કરે છે, ત્યારે એ વિમાન મેક્સિમમ ઇંધણ સાથે ઉડાણ ભારે છે. અત્યારે અમદાવાદ વિમાન દુર્ઘટનાનું એક્યૂરેટ કારણ નહીં કહી શકાય અને તેની જાણકારી ફ્લાઇટ ડેટા રેકોર્ડર જ બતાવી શકશે, પરંતુ કેટલાક કારણ હોય છે, જેના કારણે વિમાન ક્રેશ થઈ શકે છે.

Air India Plane
cnbctv18.com

 

પહેલું કારણ

વંદના સિંહે કહ્યું કે, ટેકઓફના તુરંત બાદ વિમાન ક્રેશ થવાનું એક મહત્ત્વપૂર્ણ કારણ લોડ ફેક્ટર હોઈ શકે છે. લોડ ફેક્ટરની ખોટી ગણતરી ઘણીવાર ક્રેશનું કારણ બની જાય છે. તમને જણાવી દઈએ કે, લોડ ફેક્ટર કોઈપણ વિમાનમાં મૂકવામાં આવતા વજનનો સાચો ગુણોત્તર છે, જે વિમાનની સંરચનાના આધારે નક્કી કરવામાં આવે છે. આ ફ્લાઇટમાં આગળ અને પાછળ મુસાફરોને બેસાડીને તેને નિશ્ચિત કરવામાં આવે છે, જેથી પ્રેશર કંટ્રોલ કરી શકાય. તેમણે જણાવ્યું કે, પ્રાથમિક માહિતી સામે આવી રહી છે કે વિમાનનું એક પૈડું કોઈ ઇમારતમાં અટક્યું છે. એવામાં, કહી શકાય છે કે વજનની ખોટી ગણતરીને કારણે આવું થઈ શકે છે. આમ તો, ફ્લાઇટમાં પહેલાં આવી બધી માહિતી તપાસવામાં આવે છે.

Ahmedabad plan crash
ndtv.com

 

બીજું કારણ

વંદના સિંહે જણાવ્યું હતું કે, તેનું બીજું કારણ એ હોઈ શકે છે કે તેનો લેન્ડિંગ ગિયર સારી રીતે બંધ ન થયો હોય. લેન્ડિંગ ગિયર કોઈપણ ફ્લાઇટનો એ હિસ્સો હોય છે, જે ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન રનવેના સંપર્કમાં આવવા પર આખું વજન સંભાળવા અને કાઇનેટિક એનર્જી (ગતિ ઉર્જા)ને શોષવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ એ જ હિસ્સો હોય છે જેમાંથી વિમાનના પૈડા બહાર આવે છે અને વિમાન રનવે પર ચાલે છે.

About The Author

Top News

ગુજરાતના નાણામંત્રીએ 4 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું, જાણો કોને શું મળ્યું

નાણામંત્રી કનુભાઇ દેસાઇએ આજે વિધાનસભામાં વર્ષ 2026-27નું ₹4,08,053 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે. રાજ્યના આર્થિક વિકાસને વેગ આપવા માટે...
Gujarat 
ગુજરાતના નાણામંત્રીએ 4 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું, જાણો કોને શું મળ્યું

શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

બોલીવુડ અને ટીવીના સિનિયર અદાકારા પ્રવીણા દેશપાંડેનું મંગળવારે 61 વર્ષની ઉંમરે નિધન થયું. આ માહિતી એક્ટ્રેસના પરિવારે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ...
Charcha Patra 
શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

વિશ્વગુરુ/સુપરપાવરની હોડમાં ન પડતા અને સુખી, શાંતિપૂર્ણ તથા સુરક્ષિત જીવન જીવતા દેશો પણ વિશ્વમાં છે. આ દેશોમાં મુખ્યત્વે નાના અને...
Lifestyle 
વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...

AI ઇમ્પેક્ટ સમિટ 2026માં ગલગોટિયાસ યુનિવર્સિટી દ્વારા રજૂ કરાયેલા રોબો ડોગથી વિવાદ ઉભો થઇ ગયો છે. આ રોબો ડોગ...
Tech and Auto 
જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.