કયા 2 કારણ છે, જેના લીધે ટેકઓફની થોડી જ મિનિટ બાદ ક્રેશ થઈ જાય છે પ્લેન? એક્સપર્ટે જણાવ્યું

અમદાવાદ એરપોર્ટ પર ટેકઓફના સમયે એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થઈ ગયું છે. વિમાનમાં 242 લોકો સવાર હતા. આ સાથે તેમાં 2 પાઇલટ અને 10 કેબિન ક્રૂ પણ હતા. વિમાન દુર્ઘટના બાદ દરેક વિમાન દુર્ઘટનાના કારણો બાબતે જાણવા માગે છે, પરંતુ દુર્ઘટનાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ ઘણા એવિએશન એક્સપર્ટ ક્રેશ થવાના કારણનું અનુમાન લગાવી રહ્યા છે અને બતાવી રહ્યા છે કે કયા કારણે આવા અકસ્માત થઈ જાય છે. એવામાં, ચાલો જાણીએ કે આખરે કયા કારણે આવા અકસ્માત થાય છે.

Ahmedabad plan crash
thehindu.com

 

એવિએશન એક્સપર્ટ ડૉ. વંદના સિંહે કહ્યું કે, જ્યારે ફ્લાઇટ ટેકઓફ કરે છે, ત્યારે એ વિમાન મેક્સિમમ ઇંધણ સાથે ઉડાણ ભારે છે. અત્યારે અમદાવાદ વિમાન દુર્ઘટનાનું એક્યૂરેટ કારણ નહીં કહી શકાય અને તેની જાણકારી ફ્લાઇટ ડેટા રેકોર્ડર જ બતાવી શકશે, પરંતુ કેટલાક કારણ હોય છે, જેના કારણે વિમાન ક્રેશ થઈ શકે છે.

Air India Plane
cnbctv18.com

 

પહેલું કારણ

વંદના સિંહે કહ્યું કે, ટેકઓફના તુરંત બાદ વિમાન ક્રેશ થવાનું એક મહત્ત્વપૂર્ણ કારણ લોડ ફેક્ટર હોઈ શકે છે. લોડ ફેક્ટરની ખોટી ગણતરી ઘણીવાર ક્રેશનું કારણ બની જાય છે. તમને જણાવી દઈએ કે, લોડ ફેક્ટર કોઈપણ વિમાનમાં મૂકવામાં આવતા વજનનો સાચો ગુણોત્તર છે, જે વિમાનની સંરચનાના આધારે નક્કી કરવામાં આવે છે. આ ફ્લાઇટમાં આગળ અને પાછળ મુસાફરોને બેસાડીને તેને નિશ્ચિત કરવામાં આવે છે, જેથી પ્રેશર કંટ્રોલ કરી શકાય. તેમણે જણાવ્યું કે, પ્રાથમિક માહિતી સામે આવી રહી છે કે વિમાનનું એક પૈડું કોઈ ઇમારતમાં અટક્યું છે. એવામાં, કહી શકાય છે કે વજનની ખોટી ગણતરીને કારણે આવું થઈ શકે છે. આમ તો, ફ્લાઇટમાં પહેલાં આવી બધી માહિતી તપાસવામાં આવે છે.

Ahmedabad plan crash
ndtv.com

 

બીજું કારણ

વંદના સિંહે જણાવ્યું હતું કે, તેનું બીજું કારણ એ હોઈ શકે છે કે તેનો લેન્ડિંગ ગિયર સારી રીતે બંધ ન થયો હોય. લેન્ડિંગ ગિયર કોઈપણ ફ્લાઇટનો એ હિસ્સો હોય છે, જે ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન રનવેના સંપર્કમાં આવવા પર આખું વજન સંભાળવા અને કાઇનેટિક એનર્જી (ગતિ ઉર્જા)ને શોષવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ એ જ હિસ્સો હોય છે જેમાંથી વિમાનના પૈડા બહાર આવે છે અને વિમાન રનવે પર ચાલે છે.

Related Posts

Top News

શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

એવું લાગે છે કે વર્ષ 2025 યુદ્ધનું વર્ષ છે. માત્ર 7 મહિનામાં દુનિયાએ 3 યુદ્ધ જોયા છે. પહેલા ભારત અને...
World 
શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

ભારતીય શેરબજારમાં સતત ઘટાડો પોતાનું અસ્તિત્વ હજુ પણ ધરાવે છે. આજે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 720 પોઈન્ટથી વધુ...
Business 
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

બ્રિટનના પ્રવાસે ગયેલા  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન...
World  Politics 
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...

અલીગઢ જિલ્લાના એક ગામમાં પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખતી વખતે 11 સોનાના સિક્કા મળી આવતા અફરતફરી મચી ગઈ હતી. લોકો...
National 
ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.