આયુષ્માન ભારત સ્કીમ: મરેલાની પણ સારવાર, 1 મોબાઇલથી 10 લાખના રજિસ્ટ્રેશન

Comptroller and Auditor General of India (CAG)એ કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત સ્કીમ પર ચોંકાવનારો ખુલાસો કર્યો છે. CAGએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આ યોજના હેઠળ એવા દર્દીઓ પણ લાભ ઉઠાવી રહ્યા છે જેમને પહેલા મૃત બતાવાયા હતા એટલું જ નહી AB-PMJY Schemeના 9 લાખથી વધારે લાભાર્થી એક જ મોબાઇલ નંબર સાથે જોડાયેલા છે.

ઓડિટ રિપોર્ટમાં સૌથી મોટી એ ગેરિરીતી સામે આવી છે કે આ યોજના હેઠળ જે દર્દીઓ સારવાર કરાવી રહ્યા છે,જે દર્દીઓને પહેલાં મરેલા બતાવાયા હતા, મર્યા પછી પણ તેમની સારવાર ચાલી રહી છે. Transaction Management System (TMS)      માં મૃત્યુના કેસોના ડેટાનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું કે આયુષ્માન ભારત યોજના હેઠળ સારવાર દરમિયાન 88,760 દર્દીઓના મોત થયા છે. આ દર્દીઓના સંબંધમાં નવી સારવાર સંબંધિત કુલ 2,14,923 દાવાઓ સિસ્ટમમાં ચૂકવેલ તરીકે દર્શાવવામાં આવ્યા છે. ઓડિટ રિપોર્ટ વધુમાં જણાવે છે કે ઉપરોક્ત દાવાઓ સાથે સંકળાયેલા લગભગ 3,903 કેસોમાં દાવાની રકમ હોસ્પિટલોને ચૂકવવામાં આવી હતી. જેમાં 3346 દર્દીઓ સંબંધિત પેમેન્ટ 6.97 કરોડ રૂપિયા હતું.

મરણ પામેલા વ્યકિતઓની સારવારનો ક્લેઇમ કરવામાં સૌથી વધારે કેસો દેશના 5 રાજ્યોમાં જોવા મળ્યા છે. જેમા છત્તીસગઢ, હરિયાણા, ઝારખંડ, કેરળ, મધ્ય પ્રદેશ સામેલ છે.

CAGના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના ક્લેઇમ State Health Authority (SHA) દ્રારા જરૂરી પરીક્ષણો ચકાસ્યા વિના આવા દાવાઓની સફળ ચુકવણી એ એક મોટી ભૂલ સૂચવે છે. ઓડિટમાં ડેટાનું વિશ્લેષણ કરતાં એ પણ જાણવા મળ્યું કે આ યોજનાના એક જ લાભાર્થીને એક જ સમયે અનેક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. જુલાઈ 2020 માં નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) દ્વારા પણ આ મુદ્દો પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

NHAએ કહ્યું હતું કે આ કિસ્સાઓ એવા સંજોગોમાં સામે આવે છે જ્યાં બાળક એક હોસ્પિટલમાં જન્મે છે અને માતાના PMJAY ID નો ઉપયોગ કરીને નવજાત સંભાળ માટે બીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પરંતુ CAGની તપાસમાં બહાર આવ્યું છે કે ડેટાબેઝમાં 48,387 દર્દીઓના 78,396 દાવાઓ મળી આવ્યા હતા, જેમાં આ દર્દીઓને પ્રથમ સારવાર માટે રજા આપવાની તારીખ એ જ દર્દીની બીજી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવાની તારીખ કરતાં પાછળથી હતી. આવા દર્દીઓમાં 23,670 પુરૂષ દર્દીઓનો સમાવેશ થાય છે.

આયુષ્માન ભારત યોજનાને લઇને CAGના ઓડિટ રિપોર્ટમાં જે બીજો મોટો ખુલાસો કરવામાં આવ્યો છે જે ચોંકાવનારો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લાખો લાભાર્થી એવા છે જે એક જ મોબાઇલ નંબર પર રજિસ્ટર્ડ છે. આયુષ્માન ભારત યોજનામાં મોબાઇલ નંબરનું રજિસ્ટ્રેશન સૌથી જરૂરી છે.

CAGના રિપોર્ટમાં બહાર આવ્યું છે કે લાભાર્થીઓની નોંધણી અને વેરિફિકેશનમાં ગંભીર ગેરરીતિઓ સામે આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે BIS ડેટાબેઝના ડેટાનું વિશ્લેષણ કર્યા બાદ જાણવા મળ્યું છે કે એક જ મોબાઈલ નંબર પર ઘણા લાભાર્થીઓ નોંધાયેલા છે.

About The Author

Related Posts

Top News

આખા દેશમાં 28 ટકા પોલીસ અધિકારીઓની જગ્યાઓ ખાલી; માત્ર 8 ટકા મહિલા અધિકારીઓ

ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025 તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યો છે. આ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે ભારતના...
National 
આખા દેશમાં 28 ટકા પોલીસ અધિકારીઓની જગ્યાઓ ખાલી; માત્ર 8 ટકા મહિલા અધિકારીઓ

પંચર રિપેર કરતા પિતાના પુત્રએ IAS પરીક્ષા પાસ કરી, ઇકબાલ અહેમદની એક પ્રેરણારૂપ વાર્તા

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ મંગળવારે સિવિલ સર્વિસ પરીક્ષા 2024ના પરિણામો જાહેર કર્યા. આમાં, UPના...
Education 
પંચર રિપેર કરતા પિતાના પુત્રએ IAS પરીક્ષા પાસ કરી, ઇકબાલ અહેમદની એક પ્રેરણારૂપ વાર્તા

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ભારતીય મૂળના ઉષાની લવ સ્ટોરી જાણો

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેમના પત્ની ઉષા ચિલુકુરી 4 દિવસના ભારત પ્રવાસે આવેલા છે સાથે તેમના બાળકો ઇવાન, વિવેક...
World 
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ભારતીય મૂળના ઉષાની લવ સ્ટોરી જાણો

સુપ્રીમ કોર્ટના જજે કહ્યું- મહિલાઓને સ્વતંત્ર રીતે જીવવો દો, તેમની પર વોચ ન રાખો

સુપ્રીમ કોર્ટે દેશમાં મહિલાઓની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરી છે અને સમાજમાં મહિલાઓ વિશેની વિચારધારામાં બદલાવ લાવવાની જરૂરિયાત પર ભાર...
National 
સુપ્રીમ કોર્ટના જજે કહ્યું- મહિલાઓને સ્વતંત્ર રીતે જીવવો દો, તેમની પર વોચ ન રાખો
Copyright (c) Khabarchhe All Rights Reserved.