જો સવારે ઉઠવાની સાથે જ આવે છે ખાંસી! તો તમને આ બીમારીઓ હોઇ શકે છે

જો સવારે ઉઠ્યા પછી તમને ખાંસી આવે છે અને ઘણાં દિવસો સુધી આ સમસ્યા બની રહે છે તો તમારે સારવાર લેવી જોઇએ. સવારે ઉઠ્યા પછી આવનારી ખાંસી ઘણી બીમારીઓનો સંકેત આપે છે. જો આના પર સમય રહેતા ધ્યાન ન આપવામાં આવે તો ધીમે ધીમે સ્થિતિ બગડી શકે છે. આનાથી તમારા ફેફસાં પર પણ ગંભીર અસર પડી શકે છે. ડૉક્ટર પાસેથી જાણો આ ખાંસીના કારણો શું હોય છે.

દિલ્હીના મૂલચંદ હોસ્પિટલના પ્લમોનોલોજી ડિપાર્ટમેન્ટના ડૉ. ભગવાન મંત્રી જણાવે છે કે, ઘણાં લોકોને સવારે ઉઠ્યા પછી જોરમાં ખાંસી આવે છે. પછી સાંજ સુધીમાં આ ખાંસી ઓછી થઇ જાય છે. બદલાતા વાતાવરણમાં આ સમસ્યા વધારે જોવામાં આવે છે. જેમ હવે ધીમે ધીમે વાતાવરણમાં ફેરફાર થવાનું શરૂ થઇ રહ્યું છે, તો અમુક લોકોને આવી પરેશાની થવા લાગશે. આવું થોડા અઠવાડિયા કે પછી ઘણાં મહીનાઓ સુધી પણ થતું રહે છે. પણ લોકો આના પર ધ્યાન આપતા નથી. જેને લીધે મુશ્કેલી વધતી રહે છે. સારવારમાં મોડુ થઇ જાય છે, જે લંગ્સ ઇન્ફેક્શનનું કારણ બની શકે છે.

ડૉ.મંત્રી કહે છે કે, આ પ્રકારની પરેશાની ફેફસામાં બેક્ટેરિયા કે કોઇ વાયરસના સંક્રમણને કારણે થાય છે. બદલાતા વાતાવરણમાં આ બેક્ટેરિયા એક્ટિવ થઇ જાય છે અને શ્વાસ દ્વારા ફેફસાં સુધી પહોંચી જાય છે. ફેફસા સુધી ઠંડી હવા જવાને લીધે પણ આવું બની શકે છે. ઘણાં કિસ્સાઓમાં પ્રદૂષણ પણ આનું એક મોટું કારણ હોય છે. એવામાં લોકોએ સવારે આવતી ખાંસીને હળવાશમાં લેવી જોઇએ નહીં. જે આ બીમારીઓના લક્ષણ હોઇ શકે છે.

અસ્થમા

એલર્જી કે બેક્ટેરિયાના સંક્રમણના કારણથી અસ્થમાની બીમારી થઇ જાય છે. જેમાં વ્યક્તિને શરૂઆતમાં ખાંસી આવે છે. ઘણાં કેસોમાં સવારના સમયે ખાંસી આવે છે અને રાતે સૂતા સમયે પણ આ સમસ્યા રહે છે. સવારના સમયે ઠંડી હવાને કારણે શ્વસનળીમાં સોજા વધવા લાગે છે. જેને લીધે જોરમાં ખાંસી આવે છે. એવામાં જો કોઇને રોજ સવારે ખાંસી આવવાની સમસ્યા છે તો તેણે તરત ડૉક્ટરની સલાહ લેવી જોઇએ.

બ્રોંકાઇટિસ

પાછલા અમુક વર્ષોમાં બ્રોંકાઇટિસની બીમારીની સમસ્યા ઘણી વધી રહી છે. આ રોગ બાળકોથી લઇ વૃદ્ધોમાં થઇ રહી છે. બ્રોંકાઇટિસ પણ વાયરસના સંક્રમણથી થઇ જાય છે. જેમાં ગળામાં શ્વાસની નળી(બ્રોન્કિયલ ટ્યૂબ)માં સોજા આવી જાય છે. જેને કારણે જોરમાં વારેવારે ખાંસી આવે છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.