શું છે દવાની પટ્ટી પર બનેલી લાલ રંગની લાઇનનો અર્થ શું છે? માત્ર ડિઝાઇન કે છુપાયેલો છે કોઈ જરૂરી સંદેશ

તમે ધ્યાન આપ્યું હશે તો કેટલીક દવાઓની પટ્ટી પાછળ લાલ રંગની લાઇન હોય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે છે? આવું દરેક દવા પર આવું નથી હોતું, તો શું તે માત્ર પેકેજિંગ ડિઝાઇન છે કે આ લાલ લાઇનનો કોઇ અર્થ છે? વાસ્તવમાં દવાની પટ્ટી પાછળની લાલ રંગની લાઇન એક ખૂબ જ જરૂરી સંદેશ આપે છે, પરંતુ માહિતીના અભાવે લોકો ઘણીવાર તેને અવગણે છે. ચાલો જાણીએ કે દવાઓની પાછળની આ લાલ લાઇનનો અર્થ શું છે.

antibiotics2
hindustantimes.com

લાલ લાઇનનો અર્થ શું છે?

આ લાલ લાઇનનો સીધો અર્થ એ છે કે, એ દવા માત્ર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનથી જ વેંચી શકાય છે અથવા તેનો ઉપયોગ કરી શકાય છે. આ લાલ લાઇન ફાર્માસિસ્ટને સીધી ચેતવણી છે કે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના કોઈપણ ગ્રાહકને લાલ પટ્ટીવાળી દવાઓ વેચવી નહીં. તે સામાન્ય લોકોને ચેતવણી પણ આપે છે કે ડૉક્ટરની સલાહ અથવા નિર્દેશ વિના આ દવાઓ બીજા કોઈને ન લો અથવા ન આપો, ભલે લક્ષણો સમાન કેમ ન હોય. આમ કરવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે.

એન્ટિબાયોટિક્સ અને રેજિસ્ટેન્સ

લાલ લાઇન મુખ્યત્વે એન્ટિબાયોટિક્સ પર જોવા મળે છે. આ પાછળનું મુખ્ય કારણ એન્ટિમાઇક્રોબાયલ રેજિસ્ટેન્સનું જોખમ ઘટાડવાનું છે. લોકો ઘણીવાર ડૉક્ટરની સલાહ લીધા વિના તાવ કે શરદી જેવા નાના ઇન્ફેક્શનમાં પણ ડૉક્ટરની સલાહ વિના એન્ટિબાયોટિક્સ ખરીદી લે છે, અથવા ડૉક્ટર દ્વારા બતાવેલો કોર્સ પૂર્ણ કરતા નથી.

antibiotics
indiatoday.in

જ્યારે એન્ટિબાયોટિક્સનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે શરીરની અંદરના બેક્ટેરિયા પૂરી રીતે ખતમ થતા નથી. જે ​​બાકી રહે છે તે એન્ટિબાયોટિક સામે રેજિસ્ટેન્ટ બની જાય છે. સમય સાથે આ રેજિસ્ટેંટ બેક્ટેરિયા મજબૂત થઈને સુપરબગ્સનું રૂપ લઈ લે છે. ત્યારબાદ, સાધારણ એન્ટિબાયોટિક્સ એ ઇન્ફેક્શન પર કામ કરવાનું બંધ કરી દે છે, જેથી સારવાર મુશ્કેલ બની જાય છે અને ક્યારેક દર્દી માટે જીવલેણ પણ બની જાય છે. દવાઓની પાછળની આ લાલ લાઇન એક પ્રકારની ચેતવણી છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે. દવાઓ પ્રત્યે બેદરકારી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -10-03-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગુજરાતમાં ધો-12 અંગ્રેજીના પેપરમાં ‘ભગવદ્ ગીતા’ના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓએ કહ્યું- આ સિલેબસ બહારના પ્રશ્નો છે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા શનિવારે લેવાયેલી ધોરણ-12 અંગ્રેજી વિષયની પરીક્ષામાં એક અનોખી અને...
Education 
ગુજરાતમાં ધો-12 અંગ્રેજીના પેપરમાં ‘ભગવદ્ ગીતા’ના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓએ કહ્યું- આ સિલેબસ બહારના પ્રશ્નો છે

નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...

ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક આર્થિક વિકાસ દરમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે, પરંતુ તેનાથી 2008ના વૈશ્વિક નાણાકીય...
World 
નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...

'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે T20 વર્લ્ડ કપ 2026ની ઐતિહાસિક જીતને ભારતીય ક્રિકેટના એવા દિગ્ગજોને સમર્પિત કરી છે...
Sports 
'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.