માથામાં એક સાઈડ થાય છે દુખાવો, ખતરનાક સાબિત થઈ શકે છે તેની અવગણના કરવી

દુનિયાભરમાં લગભગ 50 ટકા લોકોએ માથાના દુખાવાનો સામનો કરવો પડે છે. કેટલાંકનો દુખાવો સામાન્ય હોય છે, જેને ઘરેલુ ઉપાયની મદદથી સારો કરવામાં આવી શકે છે પરંતુ કેટલાંક માથાના દુખાવા એવા હોય છે, જેને સારા કરવા માટે મેડિકલ કેરની જરૂર પડે છે. જો માથામાં દુખાવાની સાથે તમને ધૂંધળુ દેખાય, ગભરામણ થવી જેવા લક્ષણ જોવા મળે છે તો તમારે ડૉક્ટરની મુલાકાત જરૂરથી લેવી જોઈએ. જો કોઈ વ્યક્તિને એક તરફ ઘણો દુખાવો અને કમજોરી મહેસૂસ થઈ રહી હોય તો તેણે તરત ઈમરજન્સીમાં મેડિકલ કેરની જરૂર છે.

કેટલાંકને માથાનો દુખાવો જમણી બાજુ થતો હોય, જેમાં માઈગ્રેન, ક્લસ્ટર માથાનો દુખાવો સામેલ છે. ડૉક્ટર માથાના દુખાવાને બે રીતે ક્લાસિફાઈ કરે છે. પ્રાઈમરી અને સેકેન્ડરી. પ્રાઈમરી માથાના દુખાવામાં દુખાવાના મુખ્ય લક્ષણ હોય છે અને સેકેન્ડરી માથાનો દુખાવો બીજા કોઈ કારણે પણ હોઈ શકે છે કે જેમ કે બ્રેઈન ટ્યૂમર, સ્ટ્રોક અને ઈન્ફેક્શન. તેમાં માથાનો દુખાવો જમણી બાજુ સહિત માથાના બીજા ભાગમાં પણ થઈ શકે છે.

માઈગ્રેનના કારણે જમણી અને મધ્યમાં ગંભીર રીતે માથાનો દુખાવો થાય છે. માઈગ્રેનના કારણે થનારો માથાનો દુખાવો માથાની જમણી બાજુ થાય છે. આ ઓછો અથવા ઘણી વખત વધારે હોઈ શકે છે. માઈગ્રેનના કારણે થનારો માથાનો દુખાવો આંખ સુધી અને આખા માથામાં ફેલાઈ શકે છે. માઈગ્રેનના લક્ષણોમાં આંખમાં પરિવર્તન, જીવ ગભરાવવો અને ઉલ્ટી, ચક્કર આવવા, લાઈટ, ટોર્ચની લાઈટથી વધારે સેન્સિટીવ થવું જેવા સામેલ છે.

ક્લસ્ટર માથાના દુખાવાના કારણે માથાનો એક ભાગ અથવા આંખની આસપાસ ઘણો દુખાવો થાય છે. ક્લસ્ટર માથાનો દુખાવો થવા પર ઘણી જલન થતી હોવાનો પણ અહેસાસ થાય છે. આ દુખાવો એક જ ભાગમાં વારંવાર થઈ શકે છે.તેમાં થનારો દુખાવો 30 થી 60 મિનિટ સુધી થઈ શકે છે. તેના લક્ષણમાં નાક વહેવું, આઈલિડ્સનું પડવું, એક આંખમાં પાણી આવવું અથવા લાલ થવી અને ચહેરા પર પસીનો આવવો સામેલ છે.

સવાર્ઈકોલોજેનિક માથાના દુખાવામાં ગરદનમાં ઈજા લાગવાના કારણે પણ થઈ શકે છે. સવાર્ઈકોજેનિક માથાનો દુખાવો ગરદનના કોઈ પણ ભાગથી શરૂ થઈને માથા સુધી જાય છે. આ દુખાવો થવા પર તમને થોડો દુખાવો અને ડલ ફિલિંગનો અહેસાસ થાય છે. પરંતુ ઘણી વખત આ દુખાવો વધારે પણ થઈ શકે છે. આ દુખાવો ગરદન, માથા અને ચહેરાની એક તરફ થાય છે. આ દુખાવાના લક્ષણ અલગ અલગ લોકોમાં અલગ જોવા મળી શકે છે.

વાસ્કુલિટિસ એક એવી બીમારી છે જે તમારી રક્ત કોશિકાઓ, ધમનીઓ અને કોશિકાઓને પ્રભાવિત કરી શકે છે. આ બીમારી કોઈ પણ ઉંમરના લોકોને થઈ શકે છે. આ બીમારીના કારણે માથામાં હાજર રક્ત કોશિકાઓ પર ઘણી ખરાબ અસર પડે છે. આ બીમારી 50 થી વધુ ઉંમરના લોકોમાં જોવા મળે છે. તેના લક્ષણોમાં આંખની રોશની ખોવી, માથામાં એક સાઈડ દુખાવો થવો, કંઈક ચાવતી વખતે દુખાવો જેવા સામેલ છે. તેનો સમય પર ઈલાજ ન થાય તો આંખની રોશની હંમેશાં માટે જઈ શકે છે. જો તમેન ઉપરના કોઈ પણ લક્ષણો જોવા મળે તો તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. માથાના દુખાવાની પેટર્નમાં બદલાવ થવો, દુખાવો એક હદ કરતા વધારે દુખાવો થવો જેવા લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લઈ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે સ્ટ્રેસથી દૂર રહો, ભરપૂર ઊંઘ લો અને એવી વસ્તુઓ ન ખાવી જોઈએ જેનાથી દુખાવો થાય.

About The Author

Related Posts

Top News

રિષભ પંતના રાજીનામાની વાર્તા ખોટી નીકળી, લખનૌ ટીમ મેનેજમેન્ટે તેની હકાલપટ્ટી કરી હતી

લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ IPL 2025 મેગા ઓક્શનમાં ભારતીય વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને રૂ. 27 કરોડમાં ખરીદ્યો હતો, ...
Sports 
રિષભ પંતના રાજીનામાની વાર્તા ખોટી નીકળી, લખનૌ ટીમ મેનેજમેન્ટે તેની હકાલપટ્ટી કરી હતી

થારને મોડીફાઇ કરાવી, હવે અકસ્માત પછી વીમા કંપનીએ 4 લાખનો ઈન્શ્યોરન્સ ક્લેઇમ ફગાવી દીધો

તમારી પાસે 17 લાખ રૂપિયાની મહિન્દ્રા થાર છે. તમારી પાસે વાર્ષિક 42 હજાર રૂપિયાનો વીમો પણ છે. તમારી કારનો અકસ્માત...
Tech and Auto 
થારને મોડીફાઇ કરાવી, હવે અકસ્માત પછી વીમા કંપનીએ 4 લાખનો ઈન્શ્યોરન્સ ક્લેઇમ ફગાવી દીધો

અલ નિનોની આગાહી 5 વખત ફેલ થઇ છે, જાણો આ સીઝનમાં ચોમાસું કેવું રહેશે?

છેલ્લા 7 દાયકામાં 17 મુખ્ય અલ નિનો ઘટનાઓમાંથી, ભારતમાં ઓછામાં ઓછા 5માં સામાન્ય અથવા વધુ વરસાદ પડ્યો. 1980...
Science 
અલ નિનોની આગાહી 5 વખત ફેલ થઇ છે, જાણો આ સીઝનમાં ચોમાસું કેવું રહેશે?

IIIT સુરતે નવા અભ્યાસક્રમોની જાહેરાત કરી, પ્રવેશ ક્ષમતામાં વધારો કર્યો

ભારતીય માહિતી પ્રોદ્યોગિકી સંસ્થા (IIIT) સુરત, જે રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થા છે, એ શૈક્ષણિક વર્ષ 2026-27 થી બે નવા શૈક્ષણિક અભ્યાસક્રમો...
Gujarat 
IIIT સુરતે નવા અભ્યાસક્રમોની જાહેરાત કરી, પ્રવેશ ક્ષમતામાં વધારો કર્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.