એર સ્ટ્રાઇકના પુરાવા માગનારા અંગે CM વિજય રૂપાણી આપ્યું નિવેદન

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, બાલાકોટમાં વાયુસેનાની એર સ્ટ્રાઇકના પુરાવા માગનારા તમામ લોકો દેશવિરોધી અને પાકિસ્તાન સમર્થક છે પછી ભલે એ શહીદોના પરિવારજનો કેમ ન હોય. મંગળવારે ગાંધીનગર સ્થિત પાર્ટીની મુખ્ય કચેરી કમલમમાં તેમણે કહ્યું હતું કે, હું ફરી એકવાર કહી રહ્યો છું કે, આ ચૂંટણી ભારત અને પાકિસ્તાન વચ્ચેની છે. કેમ? કારણ કે પાકિસ્તાન એર સ્ટ્રાઇકના પુરાવા માગે છે અને કોંગ્રેસ પણ કંઇક આવી જ માગ કરી રહ્યું છે. બંનેની ભાષા એક જ છે.

ગુજરાતના મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આવા લોકો ભારતની કાર્યવાહી પર શંકા છે અને ભારતને બદનામ કરવા માટે પાકિસ્તાનના ઇરાદાઓનું સમર્થન કરે છે.  એક રિપોર્ટર દ્વારા મુખ્યમંત્રીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, હુમલાના પુરાવા તો વિકટીમના પરિવારજનોએ પણ માંગ્યા હતા, તો એ શું પાકિસ્તાની થઈ ગયા..?” જેના જવાબમાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, હા, પાકિસ્તાની ભાષા છે, એટલા માટે કે પુરાવા ના હોય આના, આના પુરાવા એટલે માટે ના હોય કે પાકિસ્તાની ધરતી પર જઈ આપણે ઓપરેશન કર્યુ

BJPના સંકલ્પ પત્રના ગુજરાતી ભાષાંતરના લોન્ચિંગ દરમિયાન તેમણે કહ્યું હતું કે, આ નવા ભારતની પ્રતિજ્ઞા છે. દુનિયાએ માન્યું છે કે ભારતે પાછલા પાંચ વર્ષમાં પ્રગતિ કરી છે. વીતેલા 60 મહિનામાં મોદી સરકારે ભ્રષ્ટાચાર સાથે સીધી લડાઇ લડી છે.

About The Author

Top News

MIમાં બધું બરાબર નથી ચાલી રહ્યું! કેપ્ટનને ખેલાડીઓનો સપોર્ટ નથી મળી રહ્યો...; ક્રિકેટરનો ખુલાસો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સિઝનમાં, મુંબઈ ઈન્ડિયન્સ (MI) 9માંથી 7 મેચ હારી ચુકી છે...
Sports 
MIમાં બધું બરાબર નથી ચાલી રહ્યું! કેપ્ટનને ખેલાડીઓનો સપોર્ટ નથી મળી રહ્યો...; ક્રિકેટરનો ખુલાસો

કયા રાજ્યમાં કોની સરકાર બનશે? ચૂંટણી પરિણામો પહેલા સટ્ટા બજાર ધમધમ્યું! પોલીમાર્કેટમાં 247 કરોડ દાવ પર

પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી આવતીકાલે, 4 મેના રોજ શરૂ થશે. બપોર સુધીમાં...
Business 
કયા રાજ્યમાં કોની સરકાર બનશે? ચૂંટણી પરિણામો પહેલા સટ્ટા બજાર ધમધમ્યું! પોલીમાર્કેટમાં 247 કરોડ દાવ પર

પંચમહાલમાં શિક્ષણ વિભાગમાં 2.79 કરોડનું કૌભાંડ, કાગળ પર ખરીદી બતાવી ખોટા બિલો મૂકી રૂપિયા ઉપાડી લીધા

પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. ગોધરા પોલીસ-બી ડિવિઝનમાં નોંધાયેલી ફરિયાદમાં કહેવામાં...
Gujarat 
પંચમહાલમાં શિક્ષણ વિભાગમાં 2.79 કરોડનું કૌભાંડ, કાગળ પર ખરીદી બતાવી ખોટા બિલો મૂકી રૂપિયા ઉપાડી લીધા

ફોનમાં હવે જીવવું અશક્ય છે… કહી જજે જીવન ટુંકાવ્યું, IAS સાળી અને પત્ની પર આરોપ

"હવે જીવવું અશક્ય છે," આ શબ્દો દિલ્હીમાં કાર્યરત જજ અમન શર્માએ તેમના પિતા સાથેની અંતિમ ફોન કોલ દરમિયાન...
National 
ફોનમાં હવે જીવવું અશક્ય છે… કહી જજે જીવન ટુંકાવ્યું, IAS સાળી અને પત્ની પર આરોપ
Copyright (c) Khabarchhe All Rights Reserved.