સાંસદનું કામ લોકોના ઘરે-ઘરે જવાનું નથી: હેમા માલિની

ભારતીય જનતા પાર્ટીએ બે વખતથી સાંસદ રહેલી બોલિવુડ અભિનેત્રી હેમા માલિનીને ફરી ત્રીજી વખત રિપીટ કર્યા છે. હેમા માલિનીએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સાંસદનું કામ લોકોના ઘરે-ઘરે જવાનું નથી હોતું. પત્રકારે સવાલ પુછ્યો હતો કે મથુરાના અનેક લોકોનો સવાલ છે કે તેમના સાંસદનું પ્રજા સાથે કોઇ જોડાણ નથી.

બોલિવુડ અત્રિનેત્રી મથુરા લોકસભા બેઠક પરથી બે વખત જીત્યા છે અને ભાજપે તેમને ફરી એક વખત ટિકિટ આપી છે. હેમાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, સાંસદોએ લોકોના ઘરે જઈને બેસવું જોઈએ નહીં. એ મારું કામ નથી. શું વડાપ્રધાન દરેક વ્યક્તિના ઘરે જઈ શકે છે? સાંસદો જાહેર સભાઓમાં જાય છે. આ સિવાય અમારા ધારાસભ્યો હંમેશા તેમની સાથે છે. જ્યારે લોકોને જરૂરિયાત હોય ત્યારે તેમની વચ્ચે રહેવું મારી જવાબદારી છે, પરંતુ જ્યારે તેઓ જરૂરિયાતમાં ન હોય તો મારે શા માટે હાજર હોવું જોઈએ?

હેમા માલિનીએ આગળ કહ્યું કે,મારું કામ ઓફિસમાં છે. હું લોક કલ્યાણની યોજનાઓને અમલમાં મૂકવાનું કામ કરું છું. તે વધુ મહત્વનું છે. જો હું લોકોની વચ્ચે બેસીશ, તો તેઓ મારી સાથે ફોટા જ ખેંચ્યા કરશે.

હેમા માલિનીએ કહ્યું કે તે હાલમાં 84 કોસ પરિક્રમા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. સાંસદે કહ્યું, મેં મોટાં કામો હાથમાં લીધાં છે. ડ્રેનેજ અને સફાઈની જવાબદારી ધારાસભ્યો અને અન્ય સ્થાનિક પ્રતિનિધિઓની છે. અમારી પાસે દરેક જગ્યાએ ધારાસભ્યો છે.

અભિનેત્રીમાંથી સાંસદ બનેલા અને ભારતીય જનતા પાર્ટીના મથુરાના લોકસભા ચૂંટણીના ઉમેદવાર હેમા માલિનીને આશા છે કે આગામી પાંચ વર્ષમાં કૃષ્ણ જન્મભૂમિ વિવાદનો અંત આવશે. તેમણે કહ્યું કે,અમે ચોક્કસપણે ટૂંક સમયમાં કંઈક ભવ્ય જોઇશું અને તે મારા માટે સૌભાગ્યની વાત હશે.

બે વખતના સાંસદને પોતાની જીતનો વિશ્વાસ છે. હેમા માલિનીએ કહ્યું કે,મારા ચાહકો અને સમર્થકોએ મને ત્રીજી વખત ચૂંટણી લડવાનું કહ્યું હતું. મેં છેલ્લા 10 વર્ષમાં જે પ્રોજેક્ટ શરૂ કર્યા છે તે આગામી ટર્મમાં પૂરા થઈ શકે છે, તેથી જ મેં ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે મતવિસ્તારમાં તેમના કામને કારણે ભાજપે તેમને બીજી તક આપી.

મથુરામાં બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થવાનું છે. ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર મુકેશ ધનગર હેમા માલિનીને પડકારી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.