સહારામાં ફસાયેલ પૈસા લેવા આ દસ્તાવેજો જરૂરી, તેના વિના અરજી મંજૂર નહીં થાય

સહારા ગ્રુપની 4 સહકારી સમિતિઓમાં જમા પોતાના પૈસા પાછા લેવા માટે અત્યાર સુધીમાં 7 લાખ લોકોએ આ વિશે શરૂ કરવામાં આવેલા સહારા રિફંડ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જાણકારી અનુસાર, અત્યાર સુધીમાં કુલ 150 કરોડ રૂપિયા રકમનો દાવો પ્રાપ્ત થયો છે. એવામાં તમને જણાવીએ કે જો તમારા પણ પૈસા સહારાની સ્કીમમાં ફસાયા છે અને તમે આ પોર્ટલના માધ્યમે રિફંડ મેળવવા અરજી કરવા જઈ રહ્યા છો તો તમારી પાસે અમુક જરૂરી દસ્તાવેજો હોવા જરૂરી છે. તેના વિના તમને રિફંડના રૂપિયા પાછા મળશે નહીં. સાથે જ તમારી અરજી પણ રદ્દ કરી દેવામાં આવશે.

દાવો કરવામાં આવેલી રકમ કઈ રીતે મળશે

દાવો કરવામાં આવેલી રકમને રિફંડ યોગ્ય લાગવા પર ક્લેમ આપવાની તારીખથી 45 દિવસો પછી સીધી રીતે જમાકર્તાના આધાર-લિંક બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે. જે રોકાણકારોનો દાવો સફળતાપૂર્વક સબમિટ થશે, તેને પોર્ટલ પર એક પાવતી સંખ્ય દેખઆશે અને વેરિફિકેશન માટે જમાકર્તાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક SMS મોકલવામાં આવશે.

10 હજાર સુધીની રકમ હમણા મળશે

સહારાની ચાર સ્કીમમાં રોકાણ માટે લગભગ 4 કરોડ રોકાણકારોના પૈસા 45 દિવસમાં પાછા આપવામાં આવશે. જોકે શરૂઆતી સ્ટેજમાં માત્ર એ લોકોના રૂપિયા પરત કરવામાં આવશે, જેમનું રોકાણ 10 હજાર રૂપિયા છે. તો 10 હજાર કરતા વધારે રોકાણ કરનારાઓને પણ પહેલા સ્ટેજમાં આટલા જ રૂપિયા આપવામાં આવશે.

તમને જણાવીએ કે, અમિત શાહે 18 જુલાઈના રોજ CRCS સહારા રિફંડ પોર્ટલની શરૂઆત કરી હતી. સરકારે માર્ચ મહિનામાં કહ્યું હતું કે ચાર સહકારી સમિતિઓના 10 કરોડ રોકાણકારોને તેમના રૂપિયા 9 મહિનામાં પરત કરી દેવામાં આવશે.

અરજી માટે આ દસ્તાવેજોની જરૂરત

  • મેંબરશિપ નંબર
  • જમા અકાઉન્ટ નંબર
  • આધાર કાર્ડ સાથે જોડાયેલ એક્ટિવ મોબાઈલ નંબર
  • ડિપોઝિટ સર્ટિફિકેટ કે પાસબુક વિવરણ
  • પાનકાર્ડ(50 હજાર રૂપિયા અને તેનાથી વધુની દાવો કરવામાં આવેલી રકમ માટે)

આ પહેલા કોર્ટે સહારા-સેબી રિફંડ ખાતામાંથી 5000 કરોડ રૂપિયાની રકમ સહકારી સમિતિઓના સીઆરસીએસના ખાતામાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. અત્યાર સુધીમાં સહારાના 7 લાખ રોકાણકારોએ પોર્ટલ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. જેના હેઠલ કુલ 150 કરોડ રૂપિયાનો દાવો કરવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.