2+2 હંમેશાં 4 નથી હોતા, PM મોદી 2024ની ચૂંટણીમાં બધા રેકોર્ડ તોડશેઃ CM શિંદે

આગામી લોકસભાની ચૂંટણીને લઇને એક હાલના સર્વેક્ષણમાં મહારાષ્ટ્રમાં પૂર્વ સત્તાધારી મહાવિકાસ અઘાડી (MVA) ગઠબંધનની જીત દેખાડવામાં આવી છે. સરવેને નકારતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શુક્રવારે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં બધા રેકોર્ડ તોડશે. સર્વેક્ષણ સાથે જોડાયેલા સવાલ પર મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સીધો જવાબ આપ્યો.

તેમણે કહ્યું કે, આગામી સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બધા રેકોર્ડ ધ્વસ્ત કરી દેશે અને રાષ્ટ્રીય જનતાત્રિક ગઠબંધન બહુમતથી પોતાની સત્તા યથાવત રાખશે? મુઠ્ઠીભર લોકો વચ્ચે કરવામાં આવેલું સર્વેક્ષણ યોગ્ય તસવીર પ્રસ્તુત કરતું નથી. તેમણે હાલમાં જ સંપન્ન થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામોને નજરઅંદાજ કરી દીધા, જેમાં બાલાસાહેબચી શિવસેના (શિંદેની આગેવાનીવાળો કેમ્પ) અને ભારતીય જનતા પાર્ટી (BJP)એ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું.

એકનાથ શિંદેએ કહ્યું કે, બે પ્લસ બે હંમેશાં ચાર હોતા નથી. મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર પાડવાથી લઇને શિંદે અને 39 ધારાસભ્યોના સંદર્ભમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે આરોપ લગાવ્યો હતો કે છળ અને પાર્ટી બદલવાથી શિવસેના અને મહારાષ્ટ્રની બદનામી થઇ છે. તેના જવાબમાં એકનાથ શિંદેએ કહ્યું કે, અમે પોતાના કામથી જવાબ આપીશુ. જો તમે 2 આરોપ લગાવશો તો અમે 4 ચાર કામ કરીશું. એ અમારો જવાબ હશે. લોકોની રુચિ આરોપ-પ્રત્યારોપમાં નથી.

એકનાથ શિંદે અગાઉ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ‘જો આજે લોકસભાની ચૂંટણી થાય છે તો મહાવિકાસ અઘડી કુલ 48 સીટોમાંથી 34 સીટો જીતીને શિંદે-ફડણવીસ ગઠબંધનને હરાવી દેશે. ઉદ્ધવ ઠાકરેએ ઇન્ડિયા ટૂડે C વૉટરના મૂડ ઓફ ધ નેશન પોલ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મને વિશ્વાસ છે કે MVA વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ઓછામાં ઓછી 40 સીટો જીતશે.’ ઉદ્ધવ ઠાકરેને નેતૃત્વવાળી MVA સરકાર એકનાથ શિંદેના બળવા બાદ પડી ગઇ હતી.

આ ગઠબંધનમાં ઉદ્ધવ સેના સિવાય કોંગ્રેસ અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) સામેલ છે. ઉદ્ધવના નેતૃત્વવાળી સરકારને પડ્યા બાદ જ્યારે ગયા વર્ષે ઓગસ્ટમાં એક સરવે થયો હતો તો MVAના પક્ષમાં 30 સીટો ગઇ હતી, પરંતુ હવે આ સંખ્યા વધી છે. UBTના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, તો ‘મૂડ ઓફ નેશન સરવે’ સાબિત કરે છે કે મહારાષ્ટ્રના લોકોએ ગદ્દારો અને ગેરકાયદેસર પગલાંના સુત્રાધાર ભાજપ પ્રત્યે દયા દેખાડી નથી. સરવે મુજબ, સૌથી લોકપ્રિયા મંત્રીઓની લિસ્ટમાં પણ એકનાથ શિંદે 8માં નંબર પર છે. સરવે મુજબ માત્ર 2.2 ટકા લોકો તેમના પક્ષમાં છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.