20 લાખ કિંમત, 26 તોલા સોનુ, કિન્નર મહંતે સાંઈ મંદિરમા હીરા જડિત મુગટ અર્પણ કર્યો

આ સાંઈ મંદિર ચંદીગઢના સેક્ટર 29માં આવેલું છે.અહીં મોટી સંખ્યામાં ભક્તો આવે છે. સાઈ રામ પ્રત્યે લોકોમાં એટલી બધી શ્રદ્ધા અને ભક્તિ છે કે, માત્ર ચંદીગઢ જ નહીં પરંતુ દૂર-દૂરથી લોકો ચંદીગઢના સેક્ટર 29 મંદિરમાં સવારથી સાંજ સુધી પૂજા અને સેવા કરવા આવે છે.

ચંદીગઢના પ્રખ્યાત સાંઈ રામ મંદિરમાં આ વખતે એક કિન્નરે સાંઈ રામને લગભગ સાડા 26 તોલાનો સોનાનો મુગટ ભેટમાં આપ્યો છે. ગુરુ પૂર્ણિમાના અવસર પર કિન્નર બંટી મહંતે સેક્ટર 29માં બાબાને સોનાનો હીરા જડિત મુગટ અર્પણ કર્યો હતો. ચંદીગઢના ધનાસના કિન્નર સમાજના મહંત બંટીએ જણાવ્યું કે, 26.4 તોલાના આ મુગટને તૈયાર કરવામાં લગભગ 20 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.

બંટીએ કહ્યું કે, બાબાને તમામ રીતિ રિવાજો અને નિયમાનુસાર મુગટ પહેરાવવામાં આવ્યો હતો. બાબાને મુગટ અર્પણ કરતા પહેલા મંદિરમાં સૌથી પહેલા તેની પૂજા કરવામાં આવી હતી. આ મુગટને સેક્ટર 37ના ઝવેરી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં હીરા અને મોતી પણ લગાવવામાં આવ્યા છે. સેક્ટર 37ના માલિક અમિત કપૂરે જણાવ્યું હતું કે, સાંઈજીને અર્પણ કરાયેલા મુગટમાં પોતાનું યોગદાન આપતી વખતે તેણે તેની બનાવટના પૈસા લીધા ન હતા.

આ સમય દરમિયાન, સાંઈ ભક્તોએ સાંઈ બાબાની મૂર્તિને હરિદ્વારથી ખાસ લાવવામાં આવેલા ગંગાના પવિત્ર જળથી સ્નાન કરાવ્યું હતું અને જલાભિષેક કર્યો હતો. આ પ્રસંગે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સવારના 5 વાગ્યાથી જ મંદિરની બહાર કતાર લાગી હતી.

બપોરે 201 સાધુઓ માટે વિશેષ ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને તે બધાને ભોજન બાદ વસ્ત્રો અને દક્ષિણા આપવામાં આવી હતી. મંદિર સમિતિના જણાવ્યા અનુસાર, આજે દિવસમાં ત્રણ વખત વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક પ્રકારની વાનગીઓ પીરસવામાં આવી હતી.

મીડિયા સૂત્રો સાથે વાત કરતા કિન્નર બંટીએ જણાવ્યું કે, દર વર્ષે તે શિરડી સાંઈ બાબા પાસે જાય છે અને સેવા કરે છે, પરંતુ આ વખતે તેણે ચંદીગઢના સાંઈ મંદિરમાં સેવા કરી છે અને બાબાને નાનકડી ભેટ આપી છે.

તેમણે કહ્યું કે, જ્યાં પણ સાંઈ દેખાય છે, તે શિરડી છે અને લોકોમાં સાંઈ રામ પ્રત્યે એટલી બધી શ્રદ્ધા અને ભક્તિ છે કે, માત્ર ચંદીગઢ જ નહીં પરંતુ દૂર-દૂરથી લોકો આ ચંદીગઢના સેક્ટર 29ના મંદિરમાં સવારથી સાંજ સુધી ભક્તિભાવ સાથે સેવા કરવા આવે છે.

Related Posts

Top News

ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા

ટેસ્ટ સિરીઝની પાંચમી અને નિર્ણાયક મેચ  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શરૂ થઈ છે. આ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર...
Sports 
ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા

ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?

ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારત પર 25 ટકા ટેરિફ નાંખવાની અને 1 ઓગસ્ટથી અમલ કરવાની જાહેરાત કરી. ટ્રમ્પના આ ટેરિફની સૌથી...
Business 
ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્તતારીખ -01-08-2025વાર - શુક્રવારમાસ - તિથિ-  શ્રાવણ સુદ આઠમઆજની રાશિ - તુલા ચોઘડિયા, દિવસચલ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર

અમેરિકા દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી, ભારતીય શેરબજારમાં ઉથલપાથલ મચી ગઈ છે. હવે આજે...
Business 
ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર
Copyright (c) Khabarchhe All Rights Reserved.