20 લાખ કિંમત, 26 તોલા સોનુ, કિન્નર મહંતે સાંઈ મંદિરમા હીરા જડિત મુગટ અર્પણ કર્યો

આ સાંઈ મંદિર ચંદીગઢના સેક્ટર 29માં આવેલું છે.અહીં મોટી સંખ્યામાં ભક્તો આવે છે. સાઈ રામ પ્રત્યે લોકોમાં એટલી બધી શ્રદ્ધા અને ભક્તિ છે કે, માત્ર ચંદીગઢ જ નહીં પરંતુ દૂર-દૂરથી લોકો ચંદીગઢના સેક્ટર 29 મંદિરમાં સવારથી સાંજ સુધી પૂજા અને સેવા કરવા આવે છે.

ચંદીગઢના પ્રખ્યાત સાંઈ રામ મંદિરમાં આ વખતે એક કિન્નરે સાંઈ રામને લગભગ સાડા 26 તોલાનો સોનાનો મુગટ ભેટમાં આપ્યો છે. ગુરુ પૂર્ણિમાના અવસર પર કિન્નર બંટી મહંતે સેક્ટર 29માં બાબાને સોનાનો હીરા જડિત મુગટ અર્પણ કર્યો હતો. ચંદીગઢના ધનાસના કિન્નર સમાજના મહંત બંટીએ જણાવ્યું કે, 26.4 તોલાના આ મુગટને તૈયાર કરવામાં લગભગ 20 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.

બંટીએ કહ્યું કે, બાબાને તમામ રીતિ રિવાજો અને નિયમાનુસાર મુગટ પહેરાવવામાં આવ્યો હતો. બાબાને મુગટ અર્પણ કરતા પહેલા મંદિરમાં સૌથી પહેલા તેની પૂજા કરવામાં આવી હતી. આ મુગટને સેક્ટર 37ના ઝવેરી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં હીરા અને મોતી પણ લગાવવામાં આવ્યા છે. સેક્ટર 37ના માલિક અમિત કપૂરે જણાવ્યું હતું કે, સાંઈજીને અર્પણ કરાયેલા મુગટમાં પોતાનું યોગદાન આપતી વખતે તેણે તેની બનાવટના પૈસા લીધા ન હતા.

આ સમય દરમિયાન, સાંઈ ભક્તોએ સાંઈ બાબાની મૂર્તિને હરિદ્વારથી ખાસ લાવવામાં આવેલા ગંગાના પવિત્ર જળથી સ્નાન કરાવ્યું હતું અને જલાભિષેક કર્યો હતો. આ પ્રસંગે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સવારના 5 વાગ્યાથી જ મંદિરની બહાર કતાર લાગી હતી.

બપોરે 201 સાધુઓ માટે વિશેષ ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને તે બધાને ભોજન બાદ વસ્ત્રો અને દક્ષિણા આપવામાં આવી હતી. મંદિર સમિતિના જણાવ્યા અનુસાર, આજે દિવસમાં ત્રણ વખત વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક પ્રકારની વાનગીઓ પીરસવામાં આવી હતી.

મીડિયા સૂત્રો સાથે વાત કરતા કિન્નર બંટીએ જણાવ્યું કે, દર વર્ષે તે શિરડી સાંઈ બાબા પાસે જાય છે અને સેવા કરે છે, પરંતુ આ વખતે તેણે ચંદીગઢના સાંઈ મંદિરમાં સેવા કરી છે અને બાબાને નાનકડી ભેટ આપી છે.

તેમણે કહ્યું કે, જ્યાં પણ સાંઈ દેખાય છે, તે શિરડી છે અને લોકોમાં સાંઈ રામ પ્રત્યે એટલી બધી શ્રદ્ધા અને ભક્તિ છે કે, માત્ર ચંદીગઢ જ નહીં પરંતુ દૂર-દૂરથી લોકો આ ચંદીગઢના સેક્ટર 29ના મંદિરમાં સવારથી સાંજ સુધી ભક્તિભાવ સાથે સેવા કરવા આવે છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.