ભારતીય વાયુસેનાના એર-શૉમાં અફરાતફરી, 5 લોકોના નિધન, 200થી વધુ હૉસ્પિટલમાં એડમિટ

ભારતીય વાયુસેના (IAF)ની 92મી વર્ષગાંઠ મનાવવા માટે રવિવારે ચેન્નાઈમાં એક એર-શૉનું આયોજન કરવામાં આવ્યું હતું. IAFના વિમાનોએ આકાશમાં પોતાની વાયુ શક્તિ અને યુદ્ધ કૌશલ્યનું પ્રદર્શન કરતા લોકોમાં ઉત્સાહ ભરી દીધો હતો, પરંતુ એર-શૉ પૂરો થયા બાદ અહી અફરાતફરી મચી ગઈ હતી. તેમાં 5 લોકોના મોત થઈ ગયા છ, જ્યારે 200 કરતા વધુ લોકોને હોસ્પૉટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, જે લોકોના મોત થયા છે તેમાં એક વ્યક્તિનું મોત હિટ સ્ટ્રકના કારણે થયું છે.

મૃતકોની ઓળખ શ્રીનિવાસન (ઉં. વ. 48), કાર્તિકેયન (ઉં. વ. 34) અને જોન (ઉં. વ. 56)ના રૂપમાં થઈ છે, જ્યારે અન્ય 2 લોકોના નામ સામે આવ્યા નથી. 230 લોકોને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ એર શૉને જોવા માટે લાખોની સંખ્યામાં લોકો સમુદ્ર કિનારે ભેગા થયા હતા, પરંતુ પબ્લિક મેનેજમેન્ટ માટે પૂરતી વ્યવસ્થા નહોતી. શૉ જોવા માટે કેટલાક લોકો નજીકના લાઈટહાઉસ મેટ્રો સ્ટેશન અને કેટલાક ચેન્નાઈ MRTS રેલવે સ્ટેશન પર એકત્ર થઈ ગયા હતા.

તો ઘણા લોકો તો પ્લેટફોર્મ પર જ ઊભા થઈને શૉ જોઈ રહ્યા હતા. શૉ પૂરો થયા બાદ ભારે ભીડને વિખેરાવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન ત્યાં અફરાતફરી મચી ગઈ, જેમાં 5 લોકોના મોત થઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ કાર્યક્રમ શરૂ થવા અગાઉ ઘણા લોકો ગરમીના કારણે બેહોશ થઈ ગયા. ભીડ એટલી બધી હતી કે પાણીની વ્યવસ્થા પણ ઓછી પડી ગઈ હતી. ઘણા લોકોને તો પાણી પણ નસીબ ન થયું. જેવો જ શૉ ખતમ થયો તો ભારે ભીડે એક સાથે નીકળવાનો પ્રયાસ કર્યો અને આ અકસ્માત થઈ ગયો.

ઉલ્લેખનીય છે કે IAFના આ શૉમાં લગભગ 72 વિમાનોએ ભાગ લીધો હતો, જેને ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ’માં નોંધવામાં આવશે. સુપરસોનિક લડાકુ વિમાન સહિત લગભગ 50 લડાકુ વિમાનોએ એક સાથે મળીને આકાશમાં વિભિન્ન રંગોની ચમક વિખેરી હતી. ડકોટા અને હાર્વર્ડ, તેજસ, SU-30 અને સારંગે પણ હવાઈ સલામીમાં હિસ્સો લીધો. સુખોઈ SU-30એ પણ પોતાના કરતબ દેખાડ્યા હતા.

About The Author

Related Posts

Top News

દેશની એકમાત્ર ટ્રેન જે નાસ્તાથી લઈ રાત્રિભોજન સુધી બધું મફતમાં પીરસે છે, 6 જગ્યાએ લંગર લાગે છે

ભારતીય રેલ્વે દરરોજ લગભગ 2.5 કરોડ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. સ્વાભાવિક છે કે, આટલી મોટી...
National 
દેશની એકમાત્ર ટ્રેન જે નાસ્તાથી લઈ રાત્રિભોજન સુધી બધું મફતમાં પીરસે છે, 6 જગ્યાએ લંગર લાગે છે

ટાઇટેનિક જહાજની ભવિષ્યવાણી લખેલો 113 વર્ષ જૂનો પત્ર 3,14,00,000 રૂપિયામાં વેચાયો

આજે પણ 15 એપ્રિલ, 1912ની કાળી તારીખ યાદ કરીને આત્મા કંપી ઉઠે છે. આ દિવસે, વિશાળ ટાઇટેનિક...
Offbeat 
ટાઇટેનિક જહાજની ભવિષ્યવાણી લખેલો 113 વર્ષ જૂનો પત્ર 3,14,00,000 રૂપિયામાં વેચાયો

IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના 5 બેટ્સમેન,14 વર્ષના આ ખેલાડીએ વિશ્વ ક્રિકેટમાં મચાવી હડકંપ

રાજસ્થાન રોયલ્સનો 14 વર્ષીય અદ્દભુત ખેલાડી વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બોલમાં પોતાની પહેલી IPL સદી...
Sports 
IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના 5 બેટ્સમેન,14 વર્ષના આ ખેલાડીએ વિશ્વ ક્રિકેટમાં મચાવી હડકંપ

ભારતમાં રહીએ તો કાયદો માનવો પડશે, ઇસ્લામ બળવાની મંજૂરી નથી આપતું: મૌલાના સાદ

હરિયાણામા નુંહમાં તાજેતરમાં તબલીગી જમાતની ધર્મસભાં કાંઘલવી તબલીગી જમાતના પ્રમુખ મૌલાના સાદે ઘણી મહત્ત્વની વાત કરી હતી. તેમણે કહ્યું કે...
National 
ભારતમાં રહીએ તો કાયદો માનવો પડશે, ઇસ્લામ બળવાની મંજૂરી નથી આપતું: મૌલાના સાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.