સરકારી શાળાની શિક્ષિકાએ પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી, લેવાયા આ પગલા

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા, જેના કારણે પાકિસ્તાન બોખલાઈ ગયું હતું. તે એટલું તો બોખલાઈ ગયું હતું કે ભારતના રેસિડેન્સિયલ વિસ્તારોમાં ડ્રોન અને મિસાઈલથી હુમલો કરવા લાગ્યું હતું, પરંતુ ભારતીય સેનાએ આ હુમલાઓનો જડબાતોડ જવાબ આપ્યો અને દરેક હુમલાને નિષ્ફળ બનાવી દીધા. ભારતે નૂર ખાન એરબેઝ સહિત કેટલાક અન્ય એરબેઝને તબાહ કરી દીધા. ત્યારબાદ પાકિસ્તાન ઘૂંટણીયે પડી ગયું અને સીઝફાયર માટે વિવિધ દેશોને આજીજી કરવા લાગ્યું. ત્યારબાદ 10 મેના રોજ બંને દેશોની સહમતિથી સીઝફાયર કરી દેવામાં આવ્યું. પાકિસ્તાન જે થોડા દિવસ અગાઉ કહી રહ્યું હતું કે કંઈ થયું નથી અને પોતાના લોકોને મૂર્ખ બનાવીને જીતનું સેલિબ્રેશન મનાવી રહ્યું હતું. તે હવે કહી રહ્યું છે કે નુકસાન થઈ ગયું છે.

Operation-Sindoor
timesofindia.indiatimes.com

શાહબાઝ શરિફનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહી રહ્યા છે કે 9-10 તારીખ દરમિયાનની રાત્રે લગભગ 2:30 વાગ્યે જનરલ અસિમ મુનરે મને સિકયોર ફોન પર જણાવ્યુ કે, વજીરે આઝમ સાહબ હિન્દુસ્તાને પોતાની બેલેસ્ટિક મિસાઇલ અત્યારે લોન્ચ કરી દીધી છે, જેમાંથી એક નૂર ખાન એરબેઝ પર પડી છે અને કેટલીક બીજા વિસ્તારોમાં પડી છે. આપણી વાયુસેનાએ પોતાના દેશને બચાવવા માટે સ્વદેશી ટેક્નિકનો ઉપયોગ કર્યો અને તેમણે ચીની ફાઇટર જેટ્સ પર આધુનિક ગેઝેટ અને ટેક્નિકનો પણ ઉપયોગ કર્યો.

teacher1
navbharattimes.indiatimes.com

હવે મહિલા શિક્ષિકાને પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરવી મોંઘી પડી છે. પાકિસ્તાની સેનાના પક્ષમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ મધ્ય પ્રદેશમાં એક સરકારી મહિલા શિક્ષિકાને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય સિંહ તોમરે આ કડક કાર્યવાહી કરી છે. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, મહેતવાડાની શિક્ષિકા શહનાઝ પરવીનના એકાઉન્ટ પરથી કરવામાં આવેલી એક સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ ગઈ હતી. તેમાં પાકિસ્તાનનો પક્ષ બતાવવામાં આવ્યો હતો.

આ મામલો સામે આવ્યા બાદ, જિલ્લા શિક્ષણ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરતા મહિલા શિક્ષિકાને સસ્પેન્ડ કરી દીધી હતી. શિક્ષણ વિભાગનું કહેવું કે શહનાઝ પરવીને પોતાની પોસ્ટના માધ્યમથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાનું ઉલ્લંઘન કર્યું, અને તેને કદાચાર  માનતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યવાહી સોશિયલ મીડિયા પર ખોટી સામગ્રી શેર કરવા સામે શિક્ષણ વિભાગની કડક નીતિને દર્શાવે  છે.

Related Posts

Top News

ગાવસ્કરે કેમ કહ્યું કે બુમરાહને પાકિસ્તાન સામે આરામ આપવો જોઈએ?

ભારતીય ટીમ 2025 એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફરી એક વખત પાકિસ્તાનનો સામનો કરવા માટે તૈયાર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે...
Sports 
ગાવસ્કરે કેમ કહ્યું કે બુમરાહને પાકિસ્તાન સામે આરામ આપવો જોઈએ?

₹88 લાખ ફી સાથે H-1B વીઝા અંગે મોટા સમાચાર, USએ કહ્યું - ભારતથી ઉતાવળમાં પાછા ફરવાની જરૂર નથી

રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ બાદ H-1B વીઝા પર વાર્ષિક  100,000 ડોલરની ફી લાદવામાં આવી હોવાના હોબાળા વચ્ચે, યુએસ વહીવટીતંત્રે હવે નોંધપાત્ર...
World 
₹88 લાખ ફી સાથે H-1B વીઝા અંગે મોટા સમાચાર, USએ કહ્યું - ભારતથી ઉતાવળમાં પાછા ફરવાની જરૂર નથી

નવરાત્રિ માટે ખોડલધામ સમિતિનો ક્રાંતિકારી નિર્ણય, 28 જગ્યાએ ગરબા થશે

નવલી નવરાત્રીના પવિત્ર ઉત્સવનો 22 સપ્ટેમ્બર સોમવારથી પ્રારંભ થઇ રહ્યો છે તે પહેલા સુરત ખોડલધામ સમિતિનો નિર્ણય ચર્ચાનો વિષય બન્યો...
Gujarat 
નવરાત્રિ માટે ખોડલધામ સમિતિનો ક્રાંતિકારી નિર્ણય, 28 જગ્યાએ ગરબા થશે

PM મોદી જયા ગયા તે અમદાવાદના નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ વિશે જાણો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાતની મુલાકાતે આવેલા છે. ગુજરાતમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. અમે નેશનલ મેટીટાઇમ હેરીટેજ મ્યુઝીયમ વિશે...
Gujarat 
PM મોદી જયા ગયા તે અમદાવાદના નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ વિશે જાણો

Opinion

એ વાત સાચી છે કે... વનતારા વન્યજીવન સંરક્ષણ માટે નિઃસ્વાર્થ કઠોર મહેનત કરે છે એ વાત સાચી છે કે... વનતારા વન્યજીવન સંરક્ષણ માટે નિઃસ્વાર્થ કઠોર મહેનત કરે છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના જામનગરમાં વસતું વનતારા એક અદ્ભુત અને પ્રેરણાદાયી સેવાકીય પ્રકલ્પ છે જે અંબાણી પરિવારની નિઃસ્વાર્થ મહેનત અને વિઝનનું...
સુરતની સચિન GIDCના ઉદ્યોગકારોને બ્લેકમેલિંગ, લાઇઝનિંગ અને લાંચખોરીથી કોણ બચાવશે?
વેસુ કેનાલ વોકવે ખાઉધરાગલીમાં પરિવર્તિત થઈ રહ્યો છે: શું આરોગ્યની ભેટ હવે વેપારીકરણનું માધ્યમ બની રહી છે?
GIDCના લાંચીયા અધિકારીઓથી સમગ્ર ગુજરાતના ઉદ્યોગકારો ત્રાહિમામ
શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.