સરકારી શાળાની શિક્ષિકાએ પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી, લેવાયા આ પગલા

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા, જેના કારણે પાકિસ્તાન બોખલાઈ ગયું હતું. તે એટલું તો બોખલાઈ ગયું હતું કે ભારતના રેસિડેન્સિયલ વિસ્તારોમાં ડ્રોન અને મિસાઈલથી હુમલો કરવા લાગ્યું હતું, પરંતુ ભારતીય સેનાએ આ હુમલાઓનો જડબાતોડ જવાબ આપ્યો અને દરેક હુમલાને નિષ્ફળ બનાવી દીધા. ભારતે નૂર ખાન એરબેઝ સહિત કેટલાક અન્ય એરબેઝને તબાહ કરી દીધા. ત્યારબાદ પાકિસ્તાન ઘૂંટણીયે પડી ગયું અને સીઝફાયર માટે વિવિધ દેશોને આજીજી કરવા લાગ્યું. ત્યારબાદ 10 મેના રોજ બંને દેશોની સહમતિથી સીઝફાયર કરી દેવામાં આવ્યું. પાકિસ્તાન જે થોડા દિવસ અગાઉ કહી રહ્યું હતું કે કંઈ થયું નથી અને પોતાના લોકોને મૂર્ખ બનાવીને જીતનું સેલિબ્રેશન મનાવી રહ્યું હતું. તે હવે કહી રહ્યું છે કે નુકસાન થઈ ગયું છે.

Operation-Sindoor
timesofindia.indiatimes.com

શાહબાઝ શરિફનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહી રહ્યા છે કે 9-10 તારીખ દરમિયાનની રાત્રે લગભગ 2:30 વાગ્યે જનરલ અસિમ મુનરે મને સિકયોર ફોન પર જણાવ્યુ કે, વજીરે આઝમ સાહબ હિન્દુસ્તાને પોતાની બેલેસ્ટિક મિસાઇલ અત્યારે લોન્ચ કરી દીધી છે, જેમાંથી એક નૂર ખાન એરબેઝ પર પડી છે અને કેટલીક બીજા વિસ્તારોમાં પડી છે. આપણી વાયુસેનાએ પોતાના દેશને બચાવવા માટે સ્વદેશી ટેક્નિકનો ઉપયોગ કર્યો અને તેમણે ચીની ફાઇટર જેટ્સ પર આધુનિક ગેઝેટ અને ટેક્નિકનો પણ ઉપયોગ કર્યો.

teacher1
navbharattimes.indiatimes.com

હવે મહિલા શિક્ષિકાને પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરવી મોંઘી પડી છે. પાકિસ્તાની સેનાના પક્ષમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ મધ્ય પ્રદેશમાં એક સરકારી મહિલા શિક્ષિકાને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય સિંહ તોમરે આ કડક કાર્યવાહી કરી છે. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, મહેતવાડાની શિક્ષિકા શહનાઝ પરવીનના એકાઉન્ટ પરથી કરવામાં આવેલી એક સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ ગઈ હતી. તેમાં પાકિસ્તાનનો પક્ષ બતાવવામાં આવ્યો હતો.

આ મામલો સામે આવ્યા બાદ, જિલ્લા શિક્ષણ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરતા મહિલા શિક્ષિકાને સસ્પેન્ડ કરી દીધી હતી. શિક્ષણ વિભાગનું કહેવું કે શહનાઝ પરવીને પોતાની પોસ્ટના માધ્યમથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાનું ઉલ્લંઘન કર્યું, અને તેને કદાચાર  માનતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યવાહી સોશિયલ મીડિયા પર ખોટી સામગ્રી શેર કરવા સામે શિક્ષણ વિભાગની કડક નીતિને દર્શાવે  છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ મંત્રીની પુત્રીએ SBI મેનેજરને તમાચો મારી દીધો, FIR દાખલ કરાઈ

તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં સત્તાની દમદાટી અને ગેરવર્તણૂકનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના...
National 
પૂર્વ મંત્રીની પુત્રીએ SBI મેનેજરને તમાચો મારી દીધો, FIR દાખલ કરાઈ

કોણ છે નવા શિક્ષણ મંત્રી પ્રલહાદ જોશી? ધર્મેન્દ્ર પ્રધાનથી ઓછું ભણ્યા છે

NEET પરીક્ષાના પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યાના થોડા કલાકો બાદ જ નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રીના નામની જાહેરાત...
Politics 
કોણ છે નવા શિક્ષણ મંત્રી પ્રલહાદ જોશી? ધર્મેન્દ્ર પ્રધાનથી ઓછું ભણ્યા છે

ખેડૂતે જમીન, 2 માળનું મકાન... પોતાની બધી મિલકત ભગવાન સાંવલિયા શેઠને દાનમાં આપી દીધી

મંદિરોમાં લોકો શું પ્રસાદ ચઢાવે છે? કેટલાક નારિયેળ, કેટલાક મીઠાઈ, કેટલાક સોનું અને ચાંદી ચઢાવે છે. પરંતુ...
National 
ખેડૂતે જમીન, 2 માળનું મકાન... પોતાની બધી મિલકત ભગવાન સાંવલિયા શેઠને દાનમાં આપી દીધી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પંજાબમાં શિક્ષણમંત્રીને હટાવવાની માંગ કેમ થઈ રહી છે?

પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની અસર હવે પંજાબના રાજકારણ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પેપર લીક અને પરીક્ષા...
National 
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પંજાબમાં શિક્ષણમંત્રીને હટાવવાની માંગ કેમ થઈ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.