એક પરિવારના 6ની ગોળી મારી હત્યા, મહિલાઓ પણ હુમલો કરતી જોવા મળી, જુઓ વીડિયો

મધ્યપ્રદેશના મુરેનામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં સિહોનિયા પોલીસ સ્ટેશન વિસ્તારના લેપા ભીડોસા ગામમાં 5 મેના રોજ સવારે એક જ પરિવારના 6 લોકોની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ધોળા દિવસે ઉપરાછાપરી ગોળીબાર કરીને હત્યા કરવામાં આવી હતી. આ મામલો જૂની અદાવતનો હોવાનું કહેવાય છે. આ ઘટના બાદ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. મામલાની ગંભીરતાને જોતા આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. આ ઘટનાની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. અહેવાલો અનુસાર આ મામલો જમીન વિવાદ સાથે જોડાયેલો છે. બંને પક્ષો વચ્ચે ઘણી જૂની દુશ્મનાવટ છે. આજે સવારે ફરીથી કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી જે ધીમે ધીમે મારામારીમાં બદલાઈ ગઈ હતી.

આ પછી મામલો એ હદે પહોંચી ગયો કે, બંને પક્ષો એકબીજાને મારવા પર મક્કમ થઈ ગયા. લાકડીઓ વડે એકબીજા પર હુમલો કરવા લાગ્યા. આ પછી જ એક પક્ષે બીજી તરફ ગોળીબાર કર્યો અને 6 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. મૃત્યુ પામેલા તમામ લોકો એક જ પરિવારના હોવાનું કહેવાય છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જ્યારે, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

અહેવાલો અનુસાર, સિહોનિયા પોલીસ સ્ટેશન વિસ્તારના લેપા ભીડોસા ગામમાં અંધાધૂંધ ગોળીબાર થતાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક બાજુના લોકો બીજી બાજુના લોકોને લાકડી-ડંડાઓ વડે માર મારી રહ્યા છે. આ ઝઘડામાં ઘરની મહિલાઓ પણ સામેલ હતી. જ્યારે બંને પક્ષો એકબીજા સાથે લાકડીઓ સાથે લડી રહ્યા હોય છે, ત્યારે એક આરોપી બંદૂક સાથે આવે છે અને એક પછી એક નિશાન લગાવીને ઝડપથી ફાયરિંગ શરૂ કરે છે. નિશાન લગાવ્યા પછી તે ઘણા લોકો પર એક પછી એક ગોળીઓથી હુમલો કરે છે. જેના પછી લોકો સતત નીચે જમીન પર પડતા રહે છે.

જે સમયે બંને પક્ષો વચ્ચે લડાઈ થાય છે, ત્યારે સર્વત્ર હોબાળો મચી જાય છે. લોકો બૂમો પાડી રહ્યા છે, ચીસો પાડી રહ્યા છે. બંને પક્ષો વચ્ચેની લડાઈમાં મહિલાઓ પણ સામેલ છે. મહિલાઓ પણ હુમલો કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં એક મહિલા બૂમો પાડતી સાંભળી શકાય છે. તે મહિલા કહી રહી છે કે, બાળકો ઘરની અંદર જાઓ. અને એક બાળક પપ્પા પપ્પા કહીને રડતો સાંભળી શકાય છે. મૃત્યુનો આ તાંડવ લાંબા સમય સુધી ચાલતો રહ્યો. આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.

આ મામલામાં મોરેના SSPનું કહેવું છે કે, ધીર સિંહ અને ગજેન્દ્ર સિંહના પરિવારજનો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. ધીર સિંહના પરિવારના બે સભ્યોની વર્ષ 2013માં હત્યા કરવામાં આવી હતી. આ બંને પરિવારોના ઘર સામસામે છે. સમાધાન બાદ ગજેન્દ્રસિંહની તરફના લોકો ગામમાં રહેવા પહોંચી ગયા હતા. આ પછી ધીરસિંહ પક્ષે ગોળીબાર શરૂ કર્યો. ગોળીબારમાં ગજેન્દ્ર સિંહ અને તેના બે બાળકોના મોત થયા છે. જ્યારે 4 લોકો ઘાયલ થયા છે. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવશે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.