29 રજવાડા પર પણ તમારો અધિકાર, જમ્મુ-કાશ્મીરના યુવાનોને એમ શા માટે બોલ્યા અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરના યુવાનો સાથે વાતચીત કરી હતી. અમિત શાહે 'વતન કો જાનો' કાર્યક્રમ હેઠળ યુવાનોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે તમે ડૉક્ટર, એન્જિનિયર, IAS અધિકારી બની શકો છો અથવા કોઈ વ્યવસાય કરી શકો છો. તેના માટે દેશભરમાં કામ કરવું પડશે. પછી તમારે આખા દેશને જાણવો પડશે. 

આ સંદર્ભે, ભારત સરકારે 'વતન કો જાનો' કાર્યક્રમ બનાવ્યો. તેમણે કહ્યું કે, ઘણા લાંબા સમય સુધી કાશ્મીરમાં અરાજકતા ચાલતી રહી. મોદીજીએ કલમ 370 નાબૂદ કરીને સમગ્ર દેશને એક કરી દીધો. કાશ્મીર હવે દેશના બાકીના રાજ્યો જેવું થઇ ગયું છે. કાશ્મીરના બાળકોનો આ દેશ પર એટલો જ અધિકાર છે જેટલો દિલ્હીના બાળકોનો છે. તમને આ જ વાત જાણવા અને સમજવા માટે અહીં લાવવામાં આવ્યા છે.

 

તેમણે કહ્યું કે પહેલા તેઓ શીખવતા હતા કે કાશ્મીર આપણું છે અને કાશ્મીર પર આપણો અધિકાર છે. એ તો છે જ, તમે ત્યાં જન્મ્યા છો, ત્યાં રહો છો, ત્યાંના રહેવાસી છો, તેથી તમારો અધિકાર છે જ. પરંતુ કાશ્મીરની સાથે-સાથે, 29 રજવાડાઓ પર પણ તમારો અધિકાર છે. એટલા માટે આ કાર્યક્રમ કાશ્મીરના બાળકો માટે બનાવવામાં આવ્યો છે.

ભારતને દુનિયામાં બનાવીશું નંબર વન

યુવાનો સાથે વાતચીત કરતા અમિત શાહે કહ્યું કે છેલ્લા 10 વર્ષથી અમે આ દેશને દુનિયામાં નંબર વન બનાવવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. જો તમે કોઈ બાળકને પૂછો કે તેઓ ક્યાં ભણવા માગે છે, તો તે કહેશે કે તે અમેરિકા, કેનેડા કે ઓસ્ટ્રેલિયા જવા માગે છે.

10 વર્ષ બાદ, દેશ એવો થઇ જશે કે વિશ્વના તમામ દેશોના બાળકો ભારતમાં અભ્યાસ કરવા આવશે. જ્યારે આ દેશ આગળ વધશે તો, તમારી પણ પ્રગતિ થવા સ્વાભાવિક છે. આ દેશ જેટલો સમૃદ્ધ હશે, એટલો જ તેનો વિકાસ થશે, તમને તેનો લાભ થશે. આજે જે, કાશ્મીરમાં જ્યાં પહેલા નળમાં પીવાનું પાણી નહોતું, ત્યાં 80 ટકા ઘરોમાં પીવાનું પાણી પહોંચાડી દેવામાં આવ્યું છે.

About The Author

Related Posts

Top News

‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

(ઉત્કર્ષ પટેલ) મુંબઈમાં માત્ર મરાઠી સમુદાય નહીં, પરંતુ ગુજરાતી અને પારસી સમુદાયોએ પણ ઊંડો અને મજબૂત પાયો નાંખ્યો છે....
Opinion 
‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો

છેલ્લા કેટલાક દિવસોથી, નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રની કંપની જેનસોલ એન્જિનિયરિંગના શેર શેરબજારમાં સમાચારમાં છે. આખરે ચર્ચામાં હોય પણ કેમ નહીં...
Business 
આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો

8.75 કરોડના ખેલાડીએ 7 મેચમાં ફક્ત 87 રન કરતા બહાર બેસાડી દેવાયો

IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે હવે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનની હાજરી ચિંતાનો વિષય બની રહી છે. ...
Sports 
8.75 કરોડના ખેલાડીએ 7 મેચમાં ફક્ત 87 રન કરતા બહાર બેસાડી દેવાયો

Goldman Sachsની આગાહી સોનાનો ભાવ આટલો ઉપર જશે

વિદેશી ઇન્વેસ્ટમેન્ટ બેંક Goldman Sachsની ગોલ્ડ પર આગાહી સામે આવી છે.રિપોર્ટમાં કહેવાયું છે કે, ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ...
Business 
Goldman Sachsની આગાહી સોનાનો ભાવ આટલો ઉપર જશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.