29 રજવાડા પર પણ તમારો અધિકાર, જમ્મુ-કાશ્મીરના યુવાનોને એમ શા માટે બોલ્યા અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરના યુવાનો સાથે વાતચીત કરી હતી. અમિત શાહે 'વતન કો જાનો' કાર્યક્રમ હેઠળ યુવાનોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે તમે ડૉક્ટર, એન્જિનિયર, IAS અધિકારી બની શકો છો અથવા કોઈ વ્યવસાય કરી શકો છો. તેના માટે દેશભરમાં કામ કરવું પડશે. પછી તમારે આખા દેશને જાણવો પડશે. 

આ સંદર્ભે, ભારત સરકારે 'વતન કો જાનો' કાર્યક્રમ બનાવ્યો. તેમણે કહ્યું કે, ઘણા લાંબા સમય સુધી કાશ્મીરમાં અરાજકતા ચાલતી રહી. મોદીજીએ કલમ 370 નાબૂદ કરીને સમગ્ર દેશને એક કરી દીધો. કાશ્મીર હવે દેશના બાકીના રાજ્યો જેવું થઇ ગયું છે. કાશ્મીરના બાળકોનો આ દેશ પર એટલો જ અધિકાર છે જેટલો દિલ્હીના બાળકોનો છે. તમને આ જ વાત જાણવા અને સમજવા માટે અહીં લાવવામાં આવ્યા છે.

 

તેમણે કહ્યું કે પહેલા તેઓ શીખવતા હતા કે કાશ્મીર આપણું છે અને કાશ્મીર પર આપણો અધિકાર છે. એ તો છે જ, તમે ત્યાં જન્મ્યા છો, ત્યાં રહો છો, ત્યાંના રહેવાસી છો, તેથી તમારો અધિકાર છે જ. પરંતુ કાશ્મીરની સાથે-સાથે, 29 રજવાડાઓ પર પણ તમારો અધિકાર છે. એટલા માટે આ કાર્યક્રમ કાશ્મીરના બાળકો માટે બનાવવામાં આવ્યો છે.

ભારતને દુનિયામાં બનાવીશું નંબર વન

યુવાનો સાથે વાતચીત કરતા અમિત શાહે કહ્યું કે છેલ્લા 10 વર્ષથી અમે આ દેશને દુનિયામાં નંબર વન બનાવવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. જો તમે કોઈ બાળકને પૂછો કે તેઓ ક્યાં ભણવા માગે છે, તો તે કહેશે કે તે અમેરિકા, કેનેડા કે ઓસ્ટ્રેલિયા જવા માગે છે.

10 વર્ષ બાદ, દેશ એવો થઇ જશે કે વિશ્વના તમામ દેશોના બાળકો ભારતમાં અભ્યાસ કરવા આવશે. જ્યારે આ દેશ આગળ વધશે તો, તમારી પણ પ્રગતિ થવા સ્વાભાવિક છે. આ દેશ જેટલો સમૃદ્ધ હશે, એટલો જ તેનો વિકાસ થશે, તમને તેનો લાભ થશે. આજે જે, કાશ્મીરમાં જ્યાં પહેલા નળમાં પીવાનું પાણી નહોતું, ત્યાં 80 ટકા ઘરોમાં પીવાનું પાણી પહોંચાડી દેવામાં આવ્યું છે.

Related Posts

Top News

વાણી સ્વાતંત્ર્યનો અર્થ એ નથી કે તમે... જાણો હાઈ કોર્ટની રાહુલ ગાંધીને શા માટે ઠપકો આપ્યો

સેના પર કથિત અપમાનજનક ટિપ્પણીના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી ગઈ છે. હાઈકોર્ટની લખનઉ બેન્ચે આ મામલે રાહુલ...
National 
વાણી સ્વાતંત્ર્યનો અર્થ એ નથી કે તમે... જાણો હાઈ કોર્ટની રાહુલ ગાંધીને શા માટે ઠપકો આપ્યો

બેંગ્લોરમાં સ્ટેડિયમ બહાર ભાગદોડ, 7 લોકોએ જીવ ગુમાવ્યા, સ્ટેડિયમ અંદર RCBની ટીમ કરી રહી છે ઉજવણી, આંકડો વધશે

બેંગ્લોરમાં એક ખૂબ જ દુખદ ઘટના બની છે, જ્યાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ IPL વિજેતા બનતા તેમના સન્માનમાં એક...
National 
બેંગ્લોરમાં સ્ટેડિયમ બહાર ભાગદોડ, 7 લોકોએ જીવ ગુમાવ્યા, સ્ટેડિયમ અંદર RCBની ટીમ કરી રહી છે ઉજવણી, આંકડો વધશે

વિસાવદરમાં દિગ્ગજ નેતાઓ રેસમાં હતા છતા ભાજપે કિરીટ પટેલને ટિકિટ કેમ આપી?

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે, કારણકે આ બેઠક પર 18 વર્ષથી ભાજપ જીતી શક્યું નથી. ગુજરાત...
Gujarat 
વિસાવદરમાં દિગ્ગજ નેતાઓ રેસમાં હતા છતા ભાજપે કિરીટ પટેલને ટિકિટ કેમ આપી?

બેટિંગમાં ઉતાવળ, ઐય્યરની બેદરકારી, PBKSની હારના 5 ગુનેગાર

IPL 2025ની ફાઇનલમાં પંજાબ કિંગ્સનને 6 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો. મેચમાં પંજાબ કિંગ્સ (PBKS)ના કેપ્ટન...
Sports 
બેટિંગમાં ઉતાવળ, ઐય્યરની બેદરકારી, PBKSની હારના 5 ગુનેગાર
Copyright (c) Khabarchhe All Rights Reserved.