દુનિયાની ટોપ 150 રેસ્ટોરાંમાં ભારતની આ 7 રેસ્ટોરાંએ બનાવી જગ્યા

દુનિયાની 150 પ્રસિદ્ધ રેસ્ટોરાંનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તેમા ભારતની પણ ઘણી રેસ્ટોરાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. યાત્રા ઓનલાઇન ગાઇડ ટેસ્ટ એટલસે આ લિસ્ટ જાહેર કર્યું છે. ગાઇડ અનુસાર, આ ફૂડ જોઇન્ટ્સ માત્ર ભોજન માટે જ યોગ્ય સ્થાન નથી પરંતુ, તેની સરખામણી દુનિયાના સૌથી પ્રસિદ્ધ સંગ્રહાલયો અને સ્મારકો સાથે કરી શકાય છે. આ લિસ્ટમાં વિયના, ફિગ્લ્મુલર (ઓસ્ટ્રિયા) ટોપ પર છે. ત્યારબાદ અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત કાટ્ઝ્સ ડેલિસટેસનનું નામ આવે છે. તેમજ, ઇન્ડોનેશિયાના સાનૂરમાં વારુંગ માક ત્રીજા નંબર પર આવે છે. આ ઉપરાંત, ભારતના અમરીક સુખદેવ ઢાબા, ટુંડે કબાબી, પીટર કેટ જેવી ભારતીય રેસ્ટોરાંને પણ જગ્યા મળી છે.

ખુશીની વાત એ છે કે, ભારતની સાત રેસ્ટોરાંએ દુનિયાની 150 સૌથી પ્રસિદ્ધ રેસ્ટોરાંની યાદીમાં જગ્યા બનાવી છે. કોઝિકોડની ઐતિહાસિક પેરાગોન રેસ્ટોરાંને દુનિયાની 11મી સૌથી પ્રસિદ્ધ રેસ્ટોરાં જાહેર કરવામાં આવી છે. અહીંની બિરયાનીને તેનું સૌથી પ્રતિષ્ઠિત વ્યંજન ગણાવવામાં આવ્યું છે. ટેસ્ટ એટલસે કહ્યું, કેરળના કોઝિકોડમાં પેરાગોન સમૃદ્ધ ગેસ્ટ્રોનોમિક ઇતિસાહનું પ્રતીક છે. અહીંની બિરયાની ખૂબ જ ખાસ છે. આ તેની સદીઓ જૂની ખાસિયત છે. તેને સ્થાનિકરૂપથી પ્રાપ્ત સામગ્રીથી જ તૈયાર કરવામાં આવે છે. આ રેસ્ટોરાંની સ્થાપના 1939માં કરવામાં આવી હતી. પેરાગોન રેસ્ટોરાં સ્થાનિક ઉત્પાદનોને પ્રદર્શિત કરવા અને પારંપરિક ભોજન બનાવવાની રીતોને અપનાવવામાં ગર્વ અનુભવે છે.

12માં નંબર પર લખનૌની ટુંડે કબાબી છે. તે પોતાના મોગલાઈ વ્યંજનો માટે ખૂબ જ લોકપ્રિય છે. અહીંનું ગલૌટી કબાબ ખૂબ જ ફેમસ છે. તેને કાચા પપૈયા અને વિવિધ પ્રકારના મસાલાઓ સાથે બારીક કીમાથી તૈયાર કરવામાં આવે છે. સ્વાદ એટલસ અનુસાર, તેની વિશિષ્ટ સ્વાદ પ્રોફાઇલ અને તેના નિર્માણ પાછળની વિરાસતે ટુંડે કબાબીને ઘરેલૂં અને આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્થાપિત કરી છે.

 
 
 
View this post on Instagram

A post shared by TasteAtlas (@tasteatlas)

આ ઉપરાંત કોલકાતાની પીટર કેટ, મુરથલનો અમરીક ઢાબા, બેંગ્લોરનો માવલી ટિફિન રૂમ, દિલ્હીની કરીમ અને મુંબઈની રામ આશ્રયને ક્રમશઃ 17મું, 23મું, 39મું, 87મું અને 112મું સ્થાન મળ્યું છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.