10માંથી 7 મહિલાઓ પતિ પ્રત્યે દગાબાજ; સર્વેનું તારણ, પુરુષોની આ ભૂલ મુખ્ય કારણ છે

ભારત દેશમાં લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે, પરંતુ જો જીવનસાથી સાથેના સંબંધો સારા ન હોય તો તે ગૂંગળામણનું કારણ બની જાય છે. એમાં કોઈ શંકા નથી કે, આજના સમયમાં લગ્નેતર સંબંધોના કિસ્સાઓ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે, જે દર્શાવે છે કે લોકો તેમના લગ્નજીવનમાં ખુશ નથી. જોકે, એ વાતને પણ નકારી શકાય નહીં કે, કેટલાક લોકો પોતાના રોમાંચ માટે પોતાના પાર્ટનરને છેતરતા હોય છે. આમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.

પરંતુ ગ્લીડન એપ દ્વારા ભારતમાં પરિણીત મહિલાઓ પર કરવામાં આવેલ એક સર્વેક્ષણ, જેમાં 5 લાખથી વધુ યુઝર્સ છે, તે દર્શાવે છે કે, મોટાભાગની મહિલાઓને તેમના જીવનસાથીના કારણે અફેર કરતી હોય છે. અહીં તમે આ સર્વેને વિગતવાર જાણી શકો છો.

શા માટે સ્ત્રીઓ અન્ય પુરુષો સાથે સંબંધ ધરાવે છે? આ સર્વે ભારતમાં લગ્નેતર ડેટિંગ એપ ગ્લીડન દ્વારા કરવામાં આવ્યો હતો. તેનો ખુલાસો તમને તમારા લગ્ન વિશે ચિંતિત કરી શકે છે. આ સર્વેમાં મોટાભાગની મહિલાઓ મુંબઈ, દિલ્હી NCR, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ અને પૂણે જેવા મેટ્રો શહેરોની હતી.

સર્વેમાં સામે આવ્યું છે કે, ભારતમાં 10માંથી 7 મહિલાઓ તેમના પતિ સાથે છેતરપિંડી કરતી હોય છે કારણ કે, તેમના પતિ તેમને ઘરના કામમાં મદદ કરતા નથી. લગ્નજીવનમાં એક જ પ્રકારની ટિપિકલ જિંદગીના કારણે કંટાળો અનુભવવાને કારણે અન્ય પુરૂષ સાથે સંબંધ બાંધનાર મહિલાઓની સંખ્યા પણ એટલી જ છે.

સર્વેમાં એ પણ બહાર આવ્યું છે કે, 37% સ્ત્રીઓ બેવફાઈ કરે છે, કારણ કે તેઓ કંઈક નવું કરવાનો પ્રયાસ કરી શકે છે અને જિંદગીમાં તેમના વર્તમાન સંબંધોને સુધારી શકે. જેના પર એપના માર્કેટિંગ વિશેષજ્ઞનું કહેવું છે કે, આનો અર્થ એ કરી શકાય છે કે, લગ્નેતર સંબંધો લગ્નને તૂટવાથી બચાવવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે.

એમાં કોઈ શંકા નથી કે આજના સમયમાં પોતાના પાર્ટનર સાથે છેતરપિંડી કરવી ખૂબ જ સામાન્ય બની ગઈ છે. લોકો પોતાના આનંદ માટે પોતાની અનુકૂળતા મુજબ પાર્ટનરનો વિશ્વાસ એક ક્ષણમાં તોડી નાખે છે. તેઓ તેને એકલા છોડીને તે સંબંધમાં ઘાયલ થાય છે, જેને જાળવી રાખવાની જવાબદારી પણ તેની છે. તેઓ ભૂલી જાય છે કે, તેઓએ પોતે જ આવનારા પરિણામોનો સામનો કરવો પડશે, જે વિનાશક પણ હોઈ શકે છે. આ સમજવું એ લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, જેઓ તેમના જીવનસાથી સાથે છેતરપિંડી કરે છે.

About The Author

Related Posts

Top News

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.