ગુજરાતમાં બનેલો 60 ક્વિન્ટલ વજનનો ૐ કેદારનાથ ધામમાં સ્થાપિત થયો, Video

ઉત્તરાખંડમાં આવેલા કેદારનાથના ગોલ પ્લાઝામાં ભગવાન આશુતોષના દ્વાદશ જ્યોતિર્લિંગમાં 60 ક્વિન્ટલ વજનની ભવ્ય કાંસાની ૐની આકૃતિ સ્થાપિત કરવામાં આવશે. આ આકૃતિને સ્થાપિત કરવા માટે, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ સફળ ટ્રાયલ હાથ ધરી છે. જલ્દી જ જરૂરી કામ પૂર્ણ થતાં તેને કાયમી ધોરણે સ્થાપિત કરી દેવામાં આવશે. 

PM નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હેઠળ કેદારનાથને સુરક્ષિત કરવાની સાથે તેને ભવ્ય રીતે શણગારવામાં આવી રહ્યો છે. આ દિવસોમાં કેદારનાથ ધામમાં બીજા તબક્કાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં મંદિર સંકુલના વિસ્તરણની સાથે મંદિર માર્ગ અને ગોલ પ્લાઝાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 

હવે, આ ગોળાકાર પ્લાઝા, જે મંદિરથી લગભગ 250 મીટર પહેલા સંગમની બરાબર ઉપર સ્થિત છે, તેના પર ૐની આકૃતિ સ્થાપિત કરવામાં આવી રહી છે. કાંસાની બનેલી 60 ક્વિન્ટલ વજનની ૐની આકૃતિ ગુજરાતના વડોદરામાં બનાવવામાં આવી છે. 

ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, લોનીવીએ હાઈડ્રા મશીનની મદદથી ગોલ પ્લાઝામાં ૐ આકૃતિને સ્થાપિત કરવા માટે ટ્રાયલ હાથ ધર્યું હતું, જે સંપૂર્ણ રીતે સફળ રહ્યું હતું. એક્ઝિક્યુટિવ બોડીના EE વિનય ઝીકવાને જણાવ્યું કે, ૐના આકારને સંપૂર્ણ રીતે સુરક્ષિત કરવા માટે ચારેય બાજુથી તાંબા વડે વેલ્ડિંગ કરવામાં આવશે. તેમજ વચ્ચેના ભાગની સાથે સાથે તેની કિનારીઓને પણ સુરક્ષિત કરવામાં આવશે, જેથી કરીને તેને હિમવર્ષાને કારણે નુકસાન ન થાય. એક અઠવાડિયાની અંદર ૐ આકૃતિ કાયમી ધોરણે સ્થાપિત કરી નાંખવામાં આવશે. 

રુદ્રપ્રયાગના જિલ્લા મેજિસ્ટ્રેટ મયુર દક્ષિતે જણાવ્યું કે, ૐની આકૃતિ સ્થાપિત થયા પછી કેદારનાથ ગોલ પ્લાઝાની ભવ્યતા એકદમ વધી જશે. DDMA દ્વારા ૐ આકૃતિની સ્થાપના માટે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી રહી છે. 

કેદારનાથમાં દુર્ઘટના બાદ કેદારપુરીને જે રીતે નુકસાન થયું હતું, હવે તેને સુંદર બનાવવા માટે પુનઃનિર્માણના ઘણા પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. જે મંદિર સંકુલને વધુ સુંદર અને ભવ્ય બનાવશે. આ હેતુ માટે, કેદારનાથના ગોલ પ્લાઝામાં 60 ક્વિન્ટલ વજનની ભવ્ય કાંસાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. 

કેદારનાથ એ ભગવાન શિવનું 11મું જ્યોતિર્લિંગ છે, અને સૌથી ઉંચા સ્થાને જ્યોતિર્લિંગ છે. ઉત્તરાખંડના ચાર ધામોમાં કેદારનાથ ત્રીજા નંબરે છે. આ મંદિર રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે. ભગવાન વિષ્ણુનું બદ્રીનાથ ધામ દેશના અને ઉત્તરાખંડના ચાર ધામોમાંનું એક છે. આ મંદિર ચમોલી જિલ્લામાં આવેલું છે. 

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.