આ તે કેવો રાક્ષસ, પત્ની, 2 દીકરી, 1 દીકરાની હત્યા કરીને પછી પોતે પણ લટકી ગયો

ઉત્તર પ્રદેશથી એક એવી ઘટના સામે આવી છે જે જાણીને તમે ક્રોધથી લાલચોલ થઇ જશો. શૈતાનને પણ શરમાવે તેવી એક હરકત યુવાને કરી છે. પોતાની પત્નીનું માથું ફોડી નાંખીને યમસદન પહોંચાડી દીધી, પછી 2 માસૂમ દીકરીઓ અને એક દીકરાનું ગળું દબાવીને હત્યા કરી નાંખી, એ પછી પોતે ફાંસી પર લટકી ગયો. આવા રાક્ષસોને કારણે પરિવારની જિંદગી નર્ક બની જતી હોય છે.

ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના મડિયાહૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જયરામપુર કસ્બામાં મંગળવારે મોડી રાત્રે એક યુવકે પોતાની પત્નીનું માથું ફોડી નાંખ્યું હતું અને મોતને ઘાટ ઉતારી હતી, જ્યારે 2 દીકરીઓ અને 1 દીકરાના ગળા દબાવીને હત્યા કરી નાંખી હતી, પછી ફાંસીએ લકટી ગયો હતો. પિતા હોય તે દીકરી પર હાથ ઉઠાવતા સો વખત વિચાર કરે અને આ રાક્ષસે તો 3 સંતાનોના ગળા દબાવી દીધા.

જૌનપુરના જયરામપુર કસ્બામાં રહેતા 35 વર્ષના નાગેશ વિશ્વકર્માએ પત્ની અને 3 સંતાનોની હત્યા કર્યા પછી રૂમમાં જઇને ફાંસી પર લટકી ગયો હતો. સવારે જ્યારે નાગેશના ઘરના દરવાજા ન ખુલ્યા તો પડોશી તેમને ઉઠાડવા માટે પહોંચ્યા હતા. પડોશીને એમ કે આજે કેમ આ લોકો મોડે સુધી જાગ્યા નથી. પરંતુ નાગેશના ઘરમાં જઇને પડોશીએ જે દ્રશ્ય જોયેં તે જોઇને તેમના હોંશ ઉડી ગયા હતા.તેમના મોંઢામાંથી ચીસ નિકળી ગઇ હતી, કારણકે ઘરમાં 5 લાશો પડી હતી.

નાગેશના ભત્રીજાએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા આખા ગામમાં પરિવારના પાંચેય લોકોના મોત થી શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. હત્યાની ઘટનાની જાણકારી મળતા SP ગ્રામિણ ડો, અજય કુમાર શર્મા, CO મડિયાહુ અને 5 પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસે નાગેશના ભાઇ અને પરિવારજનોને પણ પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા. જાણવા મળેલી માહિતી મુજબ ઘટના પાછળા પારિવારિક તણાવ અને નોકરી નહીં મળવી મુખ્ય કારણ હોય શકે છે.

જાણવા મળેલી માહિતી મુજબ મડિયાહૂ તહસીલના સલાલુપુર ગામમાં સ્વ. પ્રેમશંકર વિશ્વકર્માના બે પુત્રો છે એક ત્રિભુવન અને બીજો નાગેશ. બંને ભાઇઓ 8 વર્ષ પહેલાં જ અલગ થઇ ગયા હતા. નાગેશ વિશ્વકર્મા જયરામપુર કસ્બામાં રહેવા ચાલ્યો ગયો હતો.બંને વચ્ચે મુંબઇ અને ગામના ઘરોનું વિભાજન કરી દેવામાં આવ્યું હતું.

પોલીસે કહ્યું હતું કે નાગેશ વિશ્વકર્મા પોતાની 31 વર્ષની પત્ની રાધિકા, 11 વર્ષની પુત્રી નિકિતા, 3 વર્ષની પુત્રી આયુષી અને 8 વર્ષનો દીકરો આદર્શ એમ 5 જણનો પરિવાર સાથે રહેતો હતો.પોલીસે કહ્યું કે આ નિર્દય નાગેશે પત્ની રાધિકાને માથામાં હઠોડાનો ઘા ઝંકીને મોતને ઘાટ ઉતારી હતી અને 3 બાળકોના સાડીથી ગળા દબાવીને હત્યા કરી નાંખી હતી. પછી પંખાના હુક સાથે લટકી ગયો હતો.

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 26-05-2025 દિવસ: સોમવાર  મેષ: આજનો દિવસ તમારી મહત્વકાંક્ષાઓની પૂર્તિનો દિવસ રહેશે. સાંજના સમયે તમને વ્યવસાય સંબંધિત કોઈ યોજનાનો લાભ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાન માટે IMFએ લોન તો મંજૂર કરી, પણ 11 એવી શરતો રાખી કે પ્રજા પર ભાર પડશે

IMFએ પાકિસ્તાનને બેલ આઉટટ પ્રોગામ આપ્યો છે. બેલઆઉટનો મતલબ એ છે કે કોઇ બિઝનેસને બચાવવા માટે જે સહાય આપવામાં...
World 
પાકિસ્તાન માટે IMFએ લોન તો મંજૂર કરી, પણ 11 એવી શરતો રાખી કે પ્રજા પર ભાર પડશે

26 તારીખે ગુજરાતમાં PM મોદીનો મેગા રોડ શો, અમદાવાદમાં S-400, બ્રહ્મોસ અને સૈનિકોના કટઆઉટ લગાવાયા

ઓપરેશન સિંદૂરની સફળતા પછી, PM નરેન્દ્ર મોદી પહેલી વાર ગુજરાત આવી રહ્યા છે. PM મોદી 26 અને 27 મેના...
Gujarat 
26 તારીખે ગુજરાતમાં PM મોદીનો મેગા રોડ શો, અમદાવાદમાં S-400, બ્રહ્મોસ અને સૈનિકોના કટઆઉટ લગાવાયા

પદ-પૈસા આપણી સંપત્તિ હોય, તો એક દિવસ તેનો અંત આવે, પણ માન-સન્માન આપણી સંપત્તિ હોય, તો તે અનંત છે!

(ઉત્કર્ષ પટેલ) જીવન એક એવી યાત્રા છે જ્યાં આપણે ઘણી બધી સંપત્તિઓ એકઠી કરવાનો પ્રયાસ કરીએ છીએ. પરંતુ સાચી સંપત્તિ...
Opinion 
પદ-પૈસા આપણી સંપત્તિ હોય, તો એક દિવસ તેનો અંત આવે, પણ માન-સન્માન આપણી સંપત્તિ હોય, તો તે અનંત છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.