સાપ કરડ્યા બાદ યુવાનને 13 વર્ષ પહેલાં મૃત માનીને ગંગામાં ફેંકી દેવાયો હતો તે જીવતો પાછો ફર્યો!

ઉત્તર પ્રદેશના બુલંદશહેરના સૂરજપુર ટિકરી ગામમાં દીપુ નામનો યુવાન 13 વર્ષ પછી સુરક્ષિત રીતે ઘરે પાછો ફર્યો છે. તેને સાપે કરડ્યો હતો અને મૃત માની તેના પરિવારે તેના મૃત શરીરને ગંગામાં વહેવડાવી દીધો હતો. દીપુના 'જીવતા' પાછા ફરવાના સમાચાર આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે.

હકીકતમાં, દીપુ સૈની નામનો યુવાન ઘરે પાછો ફર્યો છે. 13 વર્ષ પહેલાં, તેને સાપે કરડ્યા પછી મૃત માની લેવામાં આવ્યો હતો. આ ઘટના બુલંદશહેરના ઔરંગાબાદ વિસ્તારના સૂરજપુર ટિકરી ગામમાં બની હતી. દીપુને ઘાસના ઢગલામાંથી સાપે ડંખ માર્યો હતો. ગામના રીતરિવાજ મુજબ, તેને મૃત માની, તેના શરીરને ગંગામાં વહેવડાવી દીધો હતો. કહેવાતા સાપ પકડવાવાળા લોકોના પ્રયાસોને કારણે તે જીવતો પાછો ફર્યો હોવાનું કહેવાય છે.

Snakebite-Dead-Youth-3

દીપુના પિતા સુખપાલ સૈનીએ જણાવ્યું હતું કે, સારવાર પછી બધાએ તેને મૃત જાહેર કર્યો હતો. ગામની મહિલાઓ અને દીપુની માતા સુમન દેવી માનતા હતા કે, સર્પદંશથી મરેલા ફરીથી જીવિત થઈ શકે છે. આ દરમિયાન, સાપ પકડવાવાળાઓએ દીપુને ગંગા કિનારેથી શોધી કાઢ્યો અને તેને હરિયાણાના પલવલમાં એક બંગાળી બાબાના આશ્રમમાં લઈ ગયા. તેઓ તેને સારવાર માટે બંગાળ પણ લઈ ગયા હતા, જ્યાં તાંત્રિક વિધિઓ દ્વારા તેની સારવાર કરવામાં આવી.

દીપુ 6-7 વર્ષ બંગાળમાં રહ્યો, પછી પલવલ પાછો ફર્યો. દીપુના પરિવારને ખબર પડી કે સાપના કરડવાથી મૃત્યુ પામેલા લોકોની સારવાર પલવલમાં કરવામાં આવે છે. તેઓ તેને શોધતા શોધતા એક વર્ષ પહેલા ત્યાં પહોંચી ગયા અને ત્યાં તેમને દીપુ મળી આવ્યો. સંતોએ તેના કાન પાછળના નિશાન પરથી દીપુની ઓળખની પુષ્ટિ કરી. દીપુએ પણ તેના માતાપિતાને ઓળખી કાઢ્યા. 25 ઓક્ટોબરના રોજ, પલવલના સંતો અને ઋષિઓ દીપુને બુલંદશહેરના સૂરજપુર ટિકરી ગામમાં લઈ ગયા અને તેને તેના પરિવારને સોંપી દીધો.

Snakebite-Dead-Youth-2

દીપુના જીવતા પાછા ફરવાના સમાચાર આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે. કેટલાક લોકો તેના પર વિશ્વાસ કરે છે, જ્યારે અન્ય લોકો તેને અંધશ્રદ્ધા માને છે. આ દરમિયાન, દીપુ સૈનીએ કહ્યું, 'મને 14 વર્ષ પહેલાં સાપે ડંખ માર્યો હતો. હવે હું મારા પરિવારની પાસે પાછો આવી ગયો છું. મારી સારવાર પલવલમાં થઈ હતી. મને મારા પરિવાર સાથે ગામમાં પાછા આવીને ખૂબ સારું લાગે છે.'

આ દરમિયાન, ડોકટરોએ કહ્યું છે કે મૃત વ્યક્તિ ફરી જીવિત થઈ શકતી નથી; તબીબી વિજ્ઞાનમાં આ શક્ય નથી. તેમણે કહ્યું કે શક્ય છે કે, દીપુ માર્યો જ ન હોય, અથવા કોઈ બીજું તેની જગ્યાએ જીવંત હોવાનો દાવો કરી રહ્યું હોય. હાલ તો, તપાસ પછી જ સત્ય બહાર આવશે. ભૂતકાળમાં એવા કિસ્સાઓ બન્યા છે, જ્યાં વર્ષો પછી પુત્ર કે પતિ તરીકે પરત ફરનાર વ્યક્તિ નકલી સાબિત થયા છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

અમદાવાદના બહુચર્ચિત મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા અને કરોડો રૂપિયાના જુગારધામના પર્દાફાશ બાદ પોલીસ...
Gujarat 
અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.