રાહુલ ગાંધીને મળી સાચું બોલવાની સજા? જાણો સી-વોટરના સરવેમાં જનતા શું કહે છે

ઉત્તર પ્રદેશ સાથે જ હવે બિહારથી લઈને મહારાષ્ટ્ર સુધી રાજકીય પારો ચડ્યો છે. કર્ણાટકમાં ચૂંટણી ગરમાવો જોવા મળી રહ્યો છે તો પશ્ચિમ બંગાળમાં પણ રાજનૈતિક ગરમાવો જોવા મળી રહ્યો છે. તો રાહુલ ગાંધી માનહાનિ કેસ, સત્યપાલ મલિકે CBIનું મૌખિક સમન્સ, પશ્ચિમ બંગાળમાં હિંસાના મુદ્દા પણ ચર્ચામાં છે એવામાં રાજકીય માહોલમાં ABP ન્યૂઝ માટે C વૉટરે સર્વે કર્યું છે. સામ્પ્રત રાજકીય સવાલો પર ઓલ ઈન્ડિયા સરવે સોમવારથી બુધવાર સુધી કરવામાં આવ્યું છે. સરવેમાં માર્જિન ઓફ એરર પ્લસ માઇનસ 3 થી પ્લસ માઇનસ 5 ટકા છે.

આ સરવેમાં દેશની જનતાને સવાલ કરવામાં આવ્યો કે, રાહુલ ગાંધીનો આરોપ છે કે તમને સાચું બોલવાની સજા મળી છે શું એ સાચું છે? તેના પર લોકોએ ખૂબ જ ચોંકાવનારા જવાબ આપ્યા. સરવેમાં 48 ટકા લોકોએ કહ્યું કે, રાહુલ ગાંધીએ સાચું કહ્યું છે, જ્યારે 36 ટકા લોકોનું માનવું છે કે કોંગ્રેસ નેતાએ ખોટું કહ્યું છે. સરવેમાં 16 ટકા લોકો એવા પણ રહ્યા જેમણે ‘ખબર નહીં’નો જવાબ આપ્યો.

રાહુલ ગાંધીનો આરોપ છે કે તેમને સાચું બોલવાની સજા મળી છે?

48 ટકા લોકોએ સાચું કહ્યું

36 ટકા લોકોને ખોટું કહ્યું

16 ટકા લોકોએ ખબર નહીં કહ્યું.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય પૂર્ણેશ મોદી તરફથી દાખલ કરવામાં આવેલા વર્ષ 2019ના કેસમાં સુરત કોર્ટની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે 23 માર્ચના રોજ પૂર્વ કોંગ્રેસના અધ્યક્ષને દોષી ઠેરવતા 2 વર્ષની જેલની સજા સંભળાવી હતી. આ નિર્ણય બાદ રાહુલ ગાંધીને જનપ્રતિનિધિ અધિનિયમના પ્રવધાનો હેઠળ સંસદની સભ્યતાથી અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા હતા.

ત્યારબાદ રાહુલ ગાંધીએ કેન્દ્ર પર આરોપ લગાવ્યો હતો કે તેઓ અદાણી કેસમાં સાચું બોલ્યા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કર્યા એટલે તેમને સજા આપવામાં આવી. ત્યારબાદ રાહુલ ગાંધીએ આ નિર્ણયને સુરત સેશન્સ કોર્ટમાં પડકાર આપ્યો હતો, પરંતુ ત્યાં તેમની અરજી ફગાવી દેવામાં આવી. હવે તેઓ ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા છે, પરંતુ હાઇકોર્ટના જજ ગીતા ગોપીએ રાહુલ ગાંધીના પડકારવાળી અરજી પર પોતાને અલગ કરી લીધા છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.