અમિત શાહની બેઠક પછી મહારાષ્ટ્ર પોલીસને નક્સલવાદીઓનો પત્ર મળ્યો, જાણો શું લખ્યું

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હરિયાણાના સૂરજકુંડમાં પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી. આ એપિસોડમાં, મહારાષ્ટ્રની નક્સલ વિરોધી ટીમને હવે નક્સલવાદીઓ દ્વારા જારી કરાયેલો પત્ર મળ્યો છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા યોજાયેલી બેઠકમાં લોકસભા ચૂંટણી પહેલા મોટાભાગના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાંથી નક્સલવાદીઓને ખતમ કરવાની રણનીતિ નક્કી કરવામાં આવી છે. 28 જુલાઇથી 3 ઓગસ્ટની વચ્ચે નક્સલવાદીઓનો શહીદ સપ્તાહ હોય છે. આ દરમિયાન મહારાષ્ટ્રની એન્ટી નક્સલ ટીમને આ પત્ર મળ્યો છે.

મહારાષ્ટ્રના એન્ટી નક્સલ ટીમના DIG સંદીપ પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હરિયાણાના સુરજકુંડમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની બેઠક મળી હતી. આ બેઠક પછી નક્સલવાદીઓમાં ખાસ્સો ડર જોવા મળી રહ્યો છે. નક્સલવાદીઓએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે જે રીતે સરકારે Liberation Tigers of Tamil Eelam (LTTE)ને ખતમ કરી નાંખી એ જ રીતે  નક્સલ ગતિવિધિઓને ખતમ કરવા માંગે છે.

પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે LTTને કોર્નર કરીને તેમની મૂવમેન્ટ ચલાવવામાં આવી અને પછી અને LTTને ખતમ કરી નાંખવામાં આવી. એ જ રીતે સરકારે નક્સલી પ્રવૃત્તિઓને કોર્નર કરીને ખતમ કરવાની યોજના બનાવી ચૂકી છે.

DIG સંદીપ પાટીલે કહ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર ઝારખંડ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તેલંગાણામાં આ તમામ જગ્યાઓ પર વ્યૂહરચના હેઠળ કામ કરવામાં આવી રહ્યું છે. નક્સલવાદીઓએ આ પત્રમાં એમ પણ લખ્યું છે કે ભારતના અલગ-અલગ ખૂણામાં નક્સલવાદીઓની જે થિંક ટેંક છે, તે ભારતના અલગ અલગ ખુણામાં તેને સક્રીય કરે.

એક ખૂણામાં સક્રિય થવાથી તે LTT જેવું બનશે. એટલા માટે તેને ફેલાવવું ખૂબ જ જરૂરી છે. આ સિવાય સરકાર દ્વારા નક્સલવાદીઓના નકલી  એન્કાઉન્ટરનો પણ આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

નકસલવાદ શબ્દ પશ્ચિમ બંગાળના નક્સલવાદી ગામમાંથી ઉદભવ્યો હોવાનું કહેવામાં આવે છે. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓ ચારુ મજુમદાર અને કનુ સાન્યાલે 1967માં શાસન સામે સશસ્ત્ર ચળવળ શરૂ કરી હતી. મઝુમદાર ચીનના સામ્યવાદી નેતા માઓ ઝેડોંગના ખૂબ પ્રશંસક હતા. તેથી જ નક્સલવાદને 'માઓવાદ' પણ કહેવામાં આવે છે.નકસ્લવાદી પ્રવૃતિને કારણે અનેક નિદોર્ષ લોકો, પોલીસો અને સેનાના જવાનોએ જીવ ગુમાવવાના અનેક કિસ્સા બન્યા છે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.