CM શિંદેનું સ્ટીકર હટાવીને પવાર સીધા CMની ખુરશી પર બેસી ગયા,મહારાષ્ટ્રમાં હંગામો

મુંબઈના નરીમાન પોઈન્ટ વિસ્તારમાં મનોરા વિધાયક નિવાસનો ભૂમિપૂજન કાર્યક્રમ હતો. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર અને બંને DyCM હાજર રહ્યા હતા. જો કે આ કાર્યક્રમમાં CM એકનાથ શિંદે કોઈ કારણોસર હાજર રહી શક્યા ન હતા. રાહુલ નાર્વેકરે અજિત પવારને CMની ખુરશી પર બેસવા કહ્યું. આ પહેલા નાર્વેકરે ખુદ ખુરશી પર CM શબ્દો લખેલું સ્ટીકર પણ હટાવી દીધું હતું. રાહુલ નાર્વેકરની આ હરકત પછી ઘણા લોકોની આંખો તરડાઈ ગઈ હતી.

અહીં તમને જણાવી દઈએ કે, અજિત પવારે કરેલા બળવા પછી મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણો બદલાઈ ગયા છે. અજિત પવારના સમર્થકો સતત દાવો કરી રહ્યા છે કે, તેઓ ટૂંક સમયમાં મહારાષ્ટ્રના CM બનશે. તેમના સિવાય વિરોધ પક્ષોના નેતાઓ દ્વારા પણ આવા દાવા કરવામાં આવી રહ્યા છે. આ ઘટના બન્યા પછી વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે પણ તેમની પ્રતિક્રિયા આપી છે. રાહુલ નાર્વેકરે કહ્યું કે, આવા શુભ દિવસે નકામી ચર્ચાઓ શરૂ ન કરો. CM શિંદે અંગત સમસ્યાઓના કારણે કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા.

ભૂમિપૂજન કાર્યક્રમ થયા પછી મંચ પર ચંદ્રકાંત પાટીલ, નીલમ ગોરે, રવિન્દ્ર ચવ્હાણ, રાહુલ નાર્વેકર, DyCM દેવેન્દ્ર ફડણવીસ બેઠા હતા. આ દરમિયાન DyCM અજિત પવાર પણ મંચ પર આવ્યા હતા. તેમની બેઠક ચંદ્રકાંત પાટીલ અને નીલમ ગોરે વચ્ચે રાખવામાં આવી હતી. અજિત પવાર પોતાની ખુરશી પર બેસી ગયા હતા. CM એકનાથ શિંદેની ખુરશી ખાલી હતી.

CM શિંદે આ કાર્યક્રમમાં હાજરી આપી શક્યા ન હોવાથી, વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે અજિત પવારને CM શિંદેની ખુરશી પર બેસવા વિનંતી કરી. પરંતુ ખુરશી પર CM લખેલું સ્ટીકર હતું. રાહુલ નાર્વેકરે બાજુની ખુરશી પરથી સ્ટીકર જાતે હટાવી દીધું. રાહુલ નાર્વેકરના સ્ટીકર હટાવ્યા પછી અજિત પવાર તે ખુરશી પર બેસી ગયા. આ પછી કાર્યક્રમ શરૂ થયો.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના ધારાસભ્યો માટે મનોરામાં આવાસ બનાવવામાં આવી રહ્યા છે. એક બિલ્ડિંગમાં 40 માળ અને બીજી બિલ્ડિંગ 28 માળની હશે. એક જ પરિસરમાં લગભગ 1200 કરોડના ખર્ચે વિધાનસભાના 288 અને વિધાન પરિષદના 78 સહિત કુલ 368 ધારાસભ્યો માટે આવાસની વ્યવસ્થા કરવામાં આવી છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.