ભાજપના યુવા મોર્ચા અધ્યક્ષને દોડાવી-દોડાવીને માર્યો, પોલીસ દોડતી થઈ

ફરૂખાબાદમાં આવેલા શમશાબાદના મુખ્ય બજારમાં ભાજપ યુવા મોર્ચાના અમૃતપુર મંડળ પ્રમુખને લાઠી, લાત અને મુક્કાઓ વડે માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો હતો. ભાજપ યુવા મોરચાના અમૃતપુર મંડળના પ્રમુખ મનોજ મિશ્રાએ અંગ્રેજી શરાબના ઠેકા પર ઓનલાઈન પેમેન્ટ કરવાના વિવાદમાં શરાબ વિક્રેતા સાથે ઝઘડો કર્યો હતો. વિવાદ એટલો વધી ગયો કે ભાજપ યુવા મોરચાના વિભાગીય પ્રમુખ મનોજ મિશ્રાને દારૂના ઠેકેદારોએ લાકડીઓ, લાતો અને મુક્કાઓથી દોડાવી દોડાવીને માર માર્યો હતો. મનોજ મિશ્રાએ ફાયરીંગ કરવામાં આવ્યું હોવાનું પણ પોલીસ ફરિયાદમાં કહ્યું છે.

પોલીસ ઘટના સ્થળે પહોંચી છતા ઠેકેદોરો ભાજપ યુવા મોર્ચા પ્રમુખને મારપીટ કરી રહ્યા હતા. મનોજ મિશ્રાના 4 મિત્રોને પણ જબરદસ્ત માર પડ્યો હતો. કોઇએ ઘટનાનો વીડિયો ઉતારી દીધો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો,જેને કારણે ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.

અમૃતપુર પ્રદેશના ભાજપ યુવા મોરચા મંડળના પ્રમુખ મનોજ મિશ્રા તેમના સાથીદારો સાથે કારમાં શમશાબાદ ગયા હતા, તેઓ પોલીસ સ્ટેશનના ચોક પર જ અંગ્રેજી શરાબના કોન્ટ્રાક્ટ પર દારૂ ખરીદવા માટે રોકાયા હતા. આ દરમિયાન સેલ્સમેન સાથે ઓનલાઈન પેમેન્ટ બાબતે બોલાચાલી થઈ હતી. થોડીવારમાં જ દલીલ અપશબ્દો સુધી પહોંચી ગઈ હતી અને સેલ્સમેનોએ  ઠેકેદારો સાથે મળીને ચારેયને લાકડીઓ, લાતો અને મુક્કા વડે માર માર્યો હતો.

પોલીસે ભાજપના યુવા મોર્ચા પ્રમુખ સહિત 4 લોકોને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી અને તેમનું મેડિકલ ચેક-અપ કરાવવામાં આવ્યું હતું. મનોજ મિશ્રાએ મનોજ યાદવ સહિત અન્ય લોકો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ અધિકારી કયામગંજ શોહરાબ આલમે માહિતી આપતાં જણાવ્યું કે, ફકરપુર ગામનો રહેવાસી મનોજ મિશ્રા શમશાબાદ આવ્યો અને તેણે માહિતી આપી કે તે તેના એક સાથી સાથે શમશાબાદ શહેરમાં અંગ્રેજી શરાબની દુકાન પર દારૂ ખરીદવા ગયો હતો, જ્યાં ઓનલાઈન પેમેન્ટ કરવામાં આવ્યું હતું. કે સેલ્સમેન, ઠેકેદાર અને અન્ય ત્રણ વ્યક્તિઓએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને મારવાના ઇરાદે ફાયરિંગ કર્યું હતું, માર મારવામાં આવ્યો હતો અને તેના ગળામાં પડેલી સોનાની ચેન અને તેના ખિસ્સામાં રાખેલા પૈસા છીનવી લેવામાં આવ્યા હતા. પોલીસ તપાસ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.