અભિનેત્રીને 40 દિવસ ખોટી રીતે કસ્ટડીમાં રાખી... IPS અધિકારીની ધરપકડ

આંધ્રપ્રદેશના વરિષ્ઠ IPS અધિકારી P. સીતારામ અંજનેયુલુની પોલીસે ધરપકડ કરી છે. આ IPS અધિકારી પર અભિનેત્રી કાદંબરી જેઠવાનીને ખોટી રીતે હેરાન કરવાનો અને તેમની ધરપકડ કરાવવાનો આરોપ છે. આ બધું ગયા વર્ષે થયું હતું. જ્યારે Y. S. જગન મોહન રેડ્ડી CM હતા, ત્યારે અંજનેયુલુ ગુપ્તચર વિભાગના વડા હતા. આ કેસમાં, તેમને સપ્ટેમ્બર 2024માં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આંધ્ર પ્રદેશ CIDએ અંજનેયુલુની હૈદરાબાદથી ધરપકડ કરી અને તેમને વિજયવાડા લાવ્યા.

Kadambari-Jethwani3
peoplesupdate.com

એવો આરોપ છે કે, અંજનેયુલુએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો. તેણે અભિનેત્રી અને તેના માતા-પિતાને મુંબઈથી ગેરકાયદેસર રીતે ધરપકડ કરાવી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બધું YSRCP નેતા કુક્કલ વિદ્યાસાગરના કહેવાથી થયું છે. આ કેસમાં ઘણા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સંડોવાયેલા છે, તેથી આ મામલો ખૂબ ચર્ચામાં છે. આ ઉપરાંત, તે રાજકીય રીતે ખૂબ જ સંવેદનશીલ છે. CIDનું કહેવું છે કે અભિનેત્રી સામે કયા આરોપો લગાવવા જોઈએ, તેની ધરપકડ કેવી રીતે કરવી જોઈએ અને કોને ફસાવવા જોઈએ તે નક્કી કરવામાં અંજનેયુલુએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. અભિનેત્રી કહે છે કે, તેને ખોટી રીતે જેલમાં ધકેલી દેવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું કે, કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ વિદ્યા સાગર સાથે મળીને આ બધું કર્યું.

AP-IPS-Officer1
deshdigital.in

આ મામલો ફેબ્રુઆરી 2024નો છે. વિદ્યાસાગરે અભિનેત્રી પર જગ્ગાયાહપેટમાં ખોટા દસ્તાવેજો બનાવીને મિલકત વેચવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ તપાસ દરમિયાન CIDને જાણવા મળ્યું કે આ ફરિયાદ એક મોટા ષડયંત્રનો ભાગ હતી. ખરેખર, આ બધું જમીન વિવાદને કારણે થયું હતું. અભિનેત્રીએ વિદ્યા સાગર પર તેને ફસાવવા માટે નકલી જમીનના દસ્તાવેજો બનાવવાનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રી કહે છે કે, તેને અને તેના પરિવારને ખોટી રીતે જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે, કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ વિદ્યા સાગર સાથે મળીને આ બધું કર્યું. CID હવે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

4
etvbharat.com

કાદમ્બરી જેઠવાનીની ઉંમર 28 વર્ષની છે. તે એક અભિનેત્રી અને મોડેલ છે. કાદંબરીનો જન્મ ગુજરાતના અમદાવાદમાં થયો હતો. તે એક હિન્દુ સિંધી પરિવારની છે. તેમના પિતા નરેન્દ્ર કુમાર મર્ચન્ટ નેવીમાં અધિકારી હતા અને માતા આશા ભારતીય રિઝર્વ બેંકમાં મેનેજર છે. કાદમ્બરીએ અમદાવાદથી MBBSની ડિગ્રી મેળવી છે.

About The Author

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.