નારાજ CM શિંદે રજા પર ઉતરી ગયા? CMએ પોતે પ્રશ્નોના જવાબ આપ્યા; DyCMએ પણ વાત કરી

મહારાષ્ટ્રની રાજનીતિમાં આ દિવસોમાં એવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે CM એકનાથ શિંદેના સ્થાને અન્ય કોઈને CM બનાવવામાં આવી શકે છે. અજિત પવારની BJP સાથેની મિત્રતા અને તેમના ઘણા ધારાસભ્યોને લાવવાની અટકળોએ આ ચર્ચાને વેગ આપ્યો છે. એટલું જ નહીં, આ દરમિયાન, CM એકનાથ શિંદે તેમના ગૃહ જિલ્લા સાતારાના ત્રણ દિવસના પ્રવાસ પર છે અને તેમના ગામની પણ મુલાકાત લીધી છે. આ કારણે ચર્ચા એવી પણ ફેલાઈ હતી કે CM એકનાથ શિંદે નારાજ ચાલી રહ્યા છે અને તેના કારણે તેઓ ત્રણ દિવસની રજા પર ઉતરી ગયા છે. જો કે આ અટકળો પર પૂર્ણવિરામ મુકવા માટે CM એકનાથ શિંદે પોતે આગળ આવ્યા છે.

તેણે કહ્યું કે હું રજા પર નથી પરંતુ ડબલ ડ્યુટી પર છું. CM એકનાથ શિંદેએ કહ્યું, 'હું અત્યારે સતારાના પ્રવાસે છું. અહીં આવ્યા બાદ મેં તાપોલા ખાતે પુલનું નિરીક્ષણ કર્યું અને તપોલા મહાબળેશ્વર રોડનું ભૂમિપૂજન પણ કર્યું. મહાબળેશ્વરમાં પ્રવાસનના સંદર્ભમાં સમીક્ષા બેઠક પણ યોજી હતી, તેથી હું રજા પર છું તે સાચું નથી. ખરેખર હું ડબલ ડ્યુટી પર છું.' આગળ બોલતા તેમણે વિરોધીઓની ટીકાનો પણ જવાબ આપ્યો. CM શિંદેએ કહ્યું કે, તે લોકો પાસે કંઈ બચ્યું નથી, તેથી તેઓ મારા પર આરોપ લગાવી રહ્યા છે. અમે તેમને ઘરે બેસાડી દીધા છે, તેથી તેઓ આરોપો જ લગાવશે.

CM એકનાથ શિંદેએ કહ્યું કે, અમે આવા લોકોને આરોપોથી નહીં પરંતુ કાર્યોથી જવાબ આપીશું. તેમણે કહ્યું કે, સતારા આવ્યા પછી ઘણા લોકો તેમને મળવા આવ્યા. અહીંના લોકોની સમસ્યાઓના નિરાકરણ પર મારી પ્રાથમિકતા છે. તે માટે નિયમિત બેઠકો યોજવામાં આવી રહી છે. અહીં તમને જણાવી દઈએ કે, ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સુષ્મા અંધારેએ ગઈ કાલે CM એકનાથ શિંદે રજા પર ઉતરી ગયા છે તેમ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, CM એકનાથ શિંદેની ખુરશી જોખમમાં છે અને મને કહેવામાં આવ્યું છે કે, તેઓ પોતાને બચાવવા માટે સાતારામાં પૂજા કરવા ગયા છે.

આ દરમિયાન DyCM દેવેન્દ્ર ફડણવીસ પણ તેમના સાથીદારના બચાવમાં આવ્યા છે. તેમણે એક TV ચેનલને કહ્યું કે, અમારું જોડાણ મજબૂત છે. DyCM ફડણવીસે કહ્યું કે, અમે 2024ની લોકસભા ચૂંટણી પણ CM એકનાથ શિંદેના નેતૃત્વમાં લડીશું. તેમણે કહ્યું હતું કે, સરકારની અસ્થિરતાની વાતો જનતામાં નથી પરંતુ મહાવિકાસ આઘાડી દ્વારા ફેલાવવામાં આવી રહી છે. હું પરિવર્તન જોઈ રહ્યો છું. દરેક પસાર થતા દિવસોમાં અમારું જોડાણ દિવસે-દિવસે મજબૂત થઈ રહ્યું છે.

વધુમાં, DyCM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, જેણે પણ નાગપુરમાં તેમને ભાવિ CM કહીને બેનર લગાવ્યું છે, તેણે તરત જ બેનર ઉતારી લેવું જોઈએ. કમ સે કમ BJPમાં કોઈએ આવી મૂર્ખતા ન કરવી જોઈએ. DyCM ફડણવીસે એમ પણ કહ્યું કે, તેમને નથી લાગતું કે, બેનર લગાવનાર વ્યક્તિ BJPનો હશે. કેટલાક અતિ ઉત્સાહી લોકો એવા હોય છે કે, જેઓ પ્રસિદ્ધિ માટે, પોતાને સમાચારોમાં લાવવા માટે આવા બેનર લગાવતા હોય છે.

About The Author

Related Posts

Top News

શું ધોની વગર ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ નથી? ક્યાં સુધી આવું ચાલશે?

મુઝ સે પહલે કિતને શાયર આયે ઔર આ કર ચલે ગયે, કુછ આંહે ભર કર લૌટ ગયે, કુછ...
Sports 
શું ધોની વગર ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ નથી? ક્યાં સુધી આવું ચાલશે?

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા દિલ્હીના ભૂતપૂર્વ DyCM મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન...
National 
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.