નારાજ CM શિંદે રજા પર ઉતરી ગયા? CMએ પોતે પ્રશ્નોના જવાબ આપ્યા; DyCMએ પણ વાત કરી

મહારાષ્ટ્રની રાજનીતિમાં આ દિવસોમાં એવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે CM એકનાથ શિંદેના સ્થાને અન્ય કોઈને CM બનાવવામાં આવી શકે છે. અજિત પવારની BJP સાથેની મિત્રતા અને તેમના ઘણા ધારાસભ્યોને લાવવાની અટકળોએ આ ચર્ચાને વેગ આપ્યો છે. એટલું જ નહીં, આ દરમિયાન, CM એકનાથ શિંદે તેમના ગૃહ જિલ્લા સાતારાના ત્રણ દિવસના પ્રવાસ પર છે અને તેમના ગામની પણ મુલાકાત લીધી છે. આ કારણે ચર્ચા એવી પણ ફેલાઈ હતી કે CM એકનાથ શિંદે નારાજ ચાલી રહ્યા છે અને તેના કારણે તેઓ ત્રણ દિવસની રજા પર ઉતરી ગયા છે. જો કે આ અટકળો પર પૂર્ણવિરામ મુકવા માટે CM એકનાથ શિંદે પોતે આગળ આવ્યા છે.

તેણે કહ્યું કે હું રજા પર નથી પરંતુ ડબલ ડ્યુટી પર છું. CM એકનાથ શિંદેએ કહ્યું, 'હું અત્યારે સતારાના પ્રવાસે છું. અહીં આવ્યા બાદ મેં તાપોલા ખાતે પુલનું નિરીક્ષણ કર્યું અને તપોલા મહાબળેશ્વર રોડનું ભૂમિપૂજન પણ કર્યું. મહાબળેશ્વરમાં પ્રવાસનના સંદર્ભમાં સમીક્ષા બેઠક પણ યોજી હતી, તેથી હું રજા પર છું તે સાચું નથી. ખરેખર હું ડબલ ડ્યુટી પર છું.' આગળ બોલતા તેમણે વિરોધીઓની ટીકાનો પણ જવાબ આપ્યો. CM શિંદેએ કહ્યું કે, તે લોકો પાસે કંઈ બચ્યું નથી, તેથી તેઓ મારા પર આરોપ લગાવી રહ્યા છે. અમે તેમને ઘરે બેસાડી દીધા છે, તેથી તેઓ આરોપો જ લગાવશે.

CM એકનાથ શિંદેએ કહ્યું કે, અમે આવા લોકોને આરોપોથી નહીં પરંતુ કાર્યોથી જવાબ આપીશું. તેમણે કહ્યું કે, સતારા આવ્યા પછી ઘણા લોકો તેમને મળવા આવ્યા. અહીંના લોકોની સમસ્યાઓના નિરાકરણ પર મારી પ્રાથમિકતા છે. તે માટે નિયમિત બેઠકો યોજવામાં આવી રહી છે. અહીં તમને જણાવી દઈએ કે, ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સુષ્મા અંધારેએ ગઈ કાલે CM એકનાથ શિંદે રજા પર ઉતરી ગયા છે તેમ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, CM એકનાથ શિંદેની ખુરશી જોખમમાં છે અને મને કહેવામાં આવ્યું છે કે, તેઓ પોતાને બચાવવા માટે સાતારામાં પૂજા કરવા ગયા છે.

આ દરમિયાન DyCM દેવેન્દ્ર ફડણવીસ પણ તેમના સાથીદારના બચાવમાં આવ્યા છે. તેમણે એક TV ચેનલને કહ્યું કે, અમારું જોડાણ મજબૂત છે. DyCM ફડણવીસે કહ્યું કે, અમે 2024ની લોકસભા ચૂંટણી પણ CM એકનાથ શિંદેના નેતૃત્વમાં લડીશું. તેમણે કહ્યું હતું કે, સરકારની અસ્થિરતાની વાતો જનતામાં નથી પરંતુ મહાવિકાસ આઘાડી દ્વારા ફેલાવવામાં આવી રહી છે. હું પરિવર્તન જોઈ રહ્યો છું. દરેક પસાર થતા દિવસોમાં અમારું જોડાણ દિવસે-દિવસે મજબૂત થઈ રહ્યું છે.

વધુમાં, DyCM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, જેણે પણ નાગપુરમાં તેમને ભાવિ CM કહીને બેનર લગાવ્યું છે, તેણે તરત જ બેનર ઉતારી લેવું જોઈએ. કમ સે કમ BJPમાં કોઈએ આવી મૂર્ખતા ન કરવી જોઈએ. DyCM ફડણવીસે એમ પણ કહ્યું કે, તેમને નથી લાગતું કે, બેનર લગાવનાર વ્યક્તિ BJPનો હશે. કેટલાક અતિ ઉત્સાહી લોકો એવા હોય છે કે, જેઓ પ્રસિદ્ધિ માટે, પોતાને સમાચારોમાં લાવવા માટે આવા બેનર લગાવતા હોય છે.

Related Posts

Top News

ભાજપના નેતા કહે GPSC ઈન્ટરવ્યૂમાં ઓપન કેટેગરીને વધુ માર્ક્સ અપાય છે, પણ શું આ શક્ય છે?

ગુજરાત ભાજપના નેતા અને અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરિ દેસાઇએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને GPSCના...
Education 
ભાજપના નેતા કહે GPSC ઈન્ટરવ્યૂમાં ઓપન કેટેગરીને વધુ માર્ક્સ અપાય છે, પણ શું આ શક્ય છે?

સુરતમાં એમ્બ્યુલન્સને સાઇડ ન આપનારા મોયુનુદ્દીનને દીકરાનું કારણ આપી દીધું

સુરતમાં શનિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક કાર ચાલક BRTS રૂટ પર કાર ચલાવી રહ્યો...
Gujarat 
સુરતમાં એમ્બ્યુલન્સને સાઇડ ન આપનારા મોયુનુદ્દીનને દીકરાનું કારણ આપી દીધું

બોર્ડની પરીક્ષામાં માત્ર 35 ટકા માર્ક્સ પણ પરિવારે આખા ગામમાં ઉજવણી કરી

સામાન્ય રીતે બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થાય તો જે ટોપર વિદ્યાર્થીઓ હોય તેમના પરિવારો ખુશીથી ઉજવણી કરે, મિઠાઇ વ્હેંચે....
Education 
બોર્ડની પરીક્ષામાં માત્ર 35 ટકા માર્ક્સ પણ પરિવારે આખા ગામમાં ઉજવણી કરી

વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ,  દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ

થાઇલેન્ડના કિંગ કોંગે વિશ્વના સૌથી ઉંચા જીવંત પાણીમાં રહેતા પાડા (GWR) માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પાડો...
Offbeat 
વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ,  દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ
Copyright (c) Khabarchhe All Rights Reserved.