ચૂંટણી લડ્યા વિના જ ભાજપે જીતી લીધી રાજ્યસભાની 2 સીટો, કોણ કોણ સાંસદ બન્યા

આસામની સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)એ સોમવારે રાજ્યસભાની 2 સીટો ચૂંટણી લડ્યા વિના જ જીતી લીધી હતી. સોમવારે નામાંકન પરત લેવાની છેલ્લી તારીખ હતી, જ્યારે રાજ્યમાં થનારી રાજ્યસભાની પેટા ચૂંટણી માટે ભાજપ તરફથી માત્ર 2 જ ઉમેદવાર મેદાનમાં હતા એટલે એ બંને ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ ગયા હતા. જે 2 નેતાઓની ચૂંટણી રાજ્યસભાના સાંસદના રૂપમાં થઈ છે, તેમાં એક રામેશ્વર તેલી છે, જ્યારે બીજું નામ મિશન રંજન દાસ છે.

આ બંને નેતાઓએ ગયા અઠવાડિયે પોતાનું નામાંકન દાખલ કર્યું હતું. સોમવારે નામાંકન પરત લેવાની તારીખ પૂર્ણ થયા બાદ રિટર્નિંગ અધિકારી રાજીબ ભટ્ટાચાર્યએ બંનેને બિનહરીફ ચૂંટાયા હોવાનું પ્રમાણપત્ર આપી દીધું હતું. જો કે, નામાંકન પરત લેવાના છેલ્લા દિવસે જ 2 ઉમેદવાર મેદાનમાં રહ્યા હતા, એટલે રામેશ્વર તેલી અને મિશન રંજન દાસ બંનેને બિનહરીફ જાહેર કરી દેવામાં આવ્યા અને તેમને પ્રમાણપત્ર સોંપી દેવામાં આવ્યા હતા.

3 સપ્ટેમ્બરે 9 રાજ્યોની 12 રાજ્યસભાની સીટો માટે થનારી ચૂંટણી માટે નામાંકન પરત લેવાની છેલ્લી તારીખ 26 ઑગસ્ટ (સોમવાર) હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી રામેશ્વર તેલી અને ઉત્તરી કરીમગંજથી 4 વખતના ધારાસભ્ય રહેલા મિશન રંજન દાસે 21 ઑગસ્ટે નામાંકન દાખલ કર્યું હતું. રાજ્યની બંને રાજ્યસભા સીટો પૂર્વ કેન્દ્રીય મંત્રી સર્બાનન્દ સોનોવાલના ડીબ્રૂગઢ સીટથી અને કામાખ્યા પ્રસાદ તાસા કાજીરંગા સીટથી લોકસભાની ચૂંટણી જીત્યા બાદ ખાલી થઈ હતી.

પહેલા જ બંને સીટો પર ભાજપના સાંસદ હતા, પછી બંને સીટો ભાજપના જ ખાતામાં આવી છે. સોનોવાલે ડીબ્રૂગઢથી આસામ જાતીય પરિષદના અધ્યક્ષ લુરિનજ્યોતિ ગોગોઈને 2,79,321 માતાના અંતરથી હરાવ્યા હતા, જે INDIA ગઠબંધનના ઉમેદવાર હતા. તાસા જૂન 2019માં રાજ્યસભા માટે ચૂંટાયા હતા. લોકસભાની ચૂંટણીમાં કાજીરંગા સીટથી ચૂંટણી લડી અને કોંગ્રેસ ઉમેદવાર રોજલિના તિર્કીને 2,48,947 મતોથી હરાવ્યા હતા.

Related Posts

Top News

સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર તેમને ગૃહમાં બોલવાની તક ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું...
National 
સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
Opinion 
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

26 માર્ચ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટના તે વિવાદાસ્પદ નિર્ણય પર રોક લગાવી દીધી જેમાં...
National 
'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.