ચૂંટણી લડ્યા વિના જ ભાજપે જીતી લીધી રાજ્યસભાની 2 સીટો, કોણ કોણ સાંસદ બન્યા

આસામની સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)એ સોમવારે રાજ્યસભાની 2 સીટો ચૂંટણી લડ્યા વિના જ જીતી લીધી હતી. સોમવારે નામાંકન પરત લેવાની છેલ્લી તારીખ હતી, જ્યારે રાજ્યમાં થનારી રાજ્યસભાની પેટા ચૂંટણી માટે ભાજપ તરફથી માત્ર 2 જ ઉમેદવાર મેદાનમાં હતા એટલે એ બંને ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ ગયા હતા. જે 2 નેતાઓની ચૂંટણી રાજ્યસભાના સાંસદના રૂપમાં થઈ છે, તેમાં એક રામેશ્વર તેલી છે, જ્યારે બીજું નામ મિશન રંજન દાસ છે.

આ બંને નેતાઓએ ગયા અઠવાડિયે પોતાનું નામાંકન દાખલ કર્યું હતું. સોમવારે નામાંકન પરત લેવાની તારીખ પૂર્ણ થયા બાદ રિટર્નિંગ અધિકારી રાજીબ ભટ્ટાચાર્યએ બંનેને બિનહરીફ ચૂંટાયા હોવાનું પ્રમાણપત્ર આપી દીધું હતું. જો કે, નામાંકન પરત લેવાના છેલ્લા દિવસે જ 2 ઉમેદવાર મેદાનમાં રહ્યા હતા, એટલે રામેશ્વર તેલી અને મિશન રંજન દાસ બંનેને બિનહરીફ જાહેર કરી દેવામાં આવ્યા અને તેમને પ્રમાણપત્ર સોંપી દેવામાં આવ્યા હતા.

3 સપ્ટેમ્બરે 9 રાજ્યોની 12 રાજ્યસભાની સીટો માટે થનારી ચૂંટણી માટે નામાંકન પરત લેવાની છેલ્લી તારીખ 26 ઑગસ્ટ (સોમવાર) હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી રામેશ્વર તેલી અને ઉત્તરી કરીમગંજથી 4 વખતના ધારાસભ્ય રહેલા મિશન રંજન દાસે 21 ઑગસ્ટે નામાંકન દાખલ કર્યું હતું. રાજ્યની બંને રાજ્યસભા સીટો પૂર્વ કેન્દ્રીય મંત્રી સર્બાનન્દ સોનોવાલના ડીબ્રૂગઢ સીટથી અને કામાખ્યા પ્રસાદ તાસા કાજીરંગા સીટથી લોકસભાની ચૂંટણી જીત્યા બાદ ખાલી થઈ હતી.

પહેલા જ બંને સીટો પર ભાજપના સાંસદ હતા, પછી બંને સીટો ભાજપના જ ખાતામાં આવી છે. સોનોવાલે ડીબ્રૂગઢથી આસામ જાતીય પરિષદના અધ્યક્ષ લુરિનજ્યોતિ ગોગોઈને 2,79,321 માતાના અંતરથી હરાવ્યા હતા, જે INDIA ગઠબંધનના ઉમેદવાર હતા. તાસા જૂન 2019માં રાજ્યસભા માટે ચૂંટાયા હતા. લોકસભાની ચૂંટણીમાં કાજીરંગા સીટથી ચૂંટણી લડી અને કોંગ્રેસ ઉમેદવાર રોજલિના તિર્કીને 2,48,947 મતોથી હરાવ્યા હતા.

Related Posts

Top News

22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કિશની વિસ્તારમાં જટપુરા ચાર રસ્તા પાસે 22 વીઘા...
National 
22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન...
Gujarat 
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા...
Gujarat 
કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

હજીરા - સુરત, જૂન 4, 2025: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) – વિશ્વના...
Gujarat 
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.