અયોધ્યાના નરસિંહ મંદિરના મહંત ગુમ, ફોન બંધ થતા પૂજારીએ નોંધાવી ફરિયાદ

નરસિંહ મંદિરના મહંત રામશરણ દાસ (ઉમર 80 વર્ષ) શંકાસ્પદ સંજોગોમાં ગુમ થયા છે. મંદિરના પૂજારી સહિત અન્ય લોકોની પોલીસ પૂછપરછ કરી રહી છે. CCTV કેમેરાનું પણ સ્કેનિંગ કરાઇ રહ્યું છે. મહંત પ્રયાગરાજના માઘ મેળામાં જવાના હતા એવી વાત સામે આવી છે. તેમની શોધખોળ માટે પોલીસ ટીમને પ્રયાગરાજ રવાના કરવામાં આવી છે. પોલીસ અધિકારી મનોજ શર્માના જણાવ્યા મુજબ, મહંત રામશરણ દાસ 11 જાન્યુઆરીના રોજ પૂજારીને એમ કહીને નીકળ્યા હતા કે, અયોધ્યાના બડી છાવની મંદિર જઇ રહ્યા છે, પરંતુ તેઓ ત્યાં પહોંચ્યા નહોતા. એ દિવસથી તેમનો કોઇ અતોપતો નથી.

તેમનો ફોન સ્વિચ ઓફ છે. પૂજારીએ રવિવારે રાત્રે આ અંગે માહિતી આપી હતી. એના આધારે અયોધ્યામાં પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. મહંતની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસ મંદિરના કર્મચારીઓની પૂછપરછ કરી રહી છે. CCTV ફૂટેજ પણ જોવામાં આવી રહ્યા છે. મહંતના ફોનની કોલ-ડિટેઇલની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસનો દાવો છે કે તપાસ યોગ્ય દિશામાં ચાલી રહી છે. મહંતને ટૂંક સમયમાં શોધી કાઢવામાં આવશે.

18 ઓગસ્ટ, 2022ના રોજ નરસિંહ મંદિરમાં કબજો જમાવવા મુદ્દે બોમ્બધડાકાની ઘટના બની હતી. સવારે લગભગ 3:00 વાગ્યે બોમ્બ ધડાકો થયો હતો. ત્યારબાદ મંદિરના પૂજારી સહિત 6 અન્ય લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પૂજારીને છોડાવવા માટે અયોધ્યાના ઘણા પ્રતિષ્ઠિત સંત મહંતોએ કલાકો સુધી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. અયોધ્યા પોલીસે સંતોના હસ્તક્ષેપ બાદ આ મામલે જીવલેણ હુમલો, મંદિરની સંપત્તિ કબજો કરવા સહિત ઘણા ગંભીર કલમો હેઠળ 7 લોકો વિરુદ્ધ કેસ નોંધી લેવામાં આવ્યો છે. ઘટનાની તપાસ હજુ પૂરી થઇ નથી. આ અંગે SPએ નારાજગી વ્યક્ત કરી હતી. છેલ્લા 5 દિવસથી આ કેસની તપાસ ઝડપથી ચાલી રહી હતી.

નરસિંહ મંદિરની સુરક્ષા માટે અયોધ્યા પોલીસે બે સુરક્ષાકર્મીઓને તૈનાત કર્યા હતા છતા મહંત ગુમ થતા અનેક તર્કવિતર્કો થઇ રહ્યા છે. તેમના ગુમ થયા બાદ મંદિરના સુરક્ષાકર્મીઓ શંકાના ઘેરામાં છે. અયોધ્યા પોલીસ સ્ટેશનના નિરીક્ષક મનોજ કુમાર બતાવે છે કે, મંદિર પાસે રહેનારા વ્યક્તિ પાસે રહેતા વ્યક્તિ પાસેથી મળેલી ફરિયાદના આધારે ગુમ થયાનો કેસ નોંધી લેવામાં આવ્યો છે. મહંતની તપાસ માટે પૂજારી દ્વારા કહેવામાં આવેલી પ્રયાગ સ્નાનની વાતને લઇને એક ટીમને રવાના કરવામાં આવી છે. મોબાઇલ સર્વિલાન્સ CCTV ફૂટેજ દ્વારા તપાસ કરવામાં આવી છે અને તપાસમાં મળેલા તથ્યોના આધાર પર કાર્યવાહી થશે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.