ધીરેન્દ્ર શાસ્ત્રીને ભાજપ સરકારે આપી Y કેટેગરીની સુરક્ષા, 11 સુરક્ષાકર્મી મળશે

બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીને ‘Y’ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. મધ્ય પ્રદેશ શાસને આ અંગે આદેશ પણ જાહેર કરી દીધો છે. તમામ રાજ્યોને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, પ્રાવધાનો અંતર્ગત પણ તેમના રાજ્યમાં ધીરેન્દ્ર ગર્ગ કૃષ્ણ શાસ્ત્રી આવે, તો તેમને Y કેટેગરીનું સિક્યોરિટી કવર આપવામાં આવે. બાબા બાગેશ્વરના દેશભરમાં થઈ રહેલા આયોજનોમાં ભેગી થઈ રહેલી ભીડને ધ્યાનમાં રાખીને તેમને આ સુરક્ષા આપવામાં આવી છે. બિહારમાં શનિવાર 13 મેથી 17 મે સુધી ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફ બાગેશ્વર બાબાનો દરબાર ચાલ્યો. આ દરમિયાન બાબ બાગેશ્વર અને તેમના ભક્તોએ ઘણા નવા કીર્તિમાન બનાવ્યા છે અને દરબારમાં અરજી લગાવવાના તમામ જૂના રેકોર્ડ તૂટી ગયા.

હનુમંત કથા દરમિયાન 30 લાખ કરતા વધુ ભક્તો પહોંચ્યા અને બિહારના લોકોએ આશરે 18 લાખ અરજીઓ લગાવી. અરજી લગાવવા માટે લાલ કપડામાં બાંધીને નારીયેળને કથાવાળા સ્થાન પર મુકવામાં આવે છે. તરેત પાલી મઠના પ્રસાદ અને નારીયેળનું વેચાણ કરનારા દુકાનદારોએ માત્ર આ બંને વસ્તુઓ દ્વારા જ 5 કરોડ રૂપિયા કરતા વધુનો વ્યવસાય કર્યો.

હિંદુ રાષ્ટ્રની માંગ કરવાની સાથે જ ધીરેન્દ્ર શાસ્ત્રીની પ્રસિદ્ધિ વધતી જઈ રહી છે. તેમજ, ભક્તોની પીડા અને તેનો ઉપચોર પોતાની ચિઠ્ઠીમાં પહેલાથી જ લખીને મુકી દે છે. આ કારણોથી તેમની પ્રસિદ્ધિ વધી, તો વિવાદ પણ થવા માંડ્યો. સુરતના હીરા વેપારી જનક બાવરિયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કરી ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર આપ્યો.

કહ્યું કે, તેઓ પહેલો કાર્યક્રમ સુરતના લિંબાયતમાં કરવા જઈ રહ્યા છે, જ્યાં તેઓ તેમને મળવા માંગે છે. જો તેઓ પોતાના દિવ્ય દરબારમાં બધાની સામે જણાવી દેશે કે તેમના હાથમાં રાખેલા પેકેટમાં કેટલા હીરા છે તો તેઓ શાસ્ત્રીની દિવ્ય શક્તિનો સ્વીકાર કરી લેશે. સાથે જ તેમના ચરણોમાં બે કરોડના હીરા અર્પિત કરી દેશે. જોકે, બાદમાં હીરા કારોબારી હવે મીડિયાથી દૂર ભાગી રહ્યા છે. ચેલેન્જ બાદ ઊભા થયેલા વિવાદને તેઓ હવે પૂરો કરવા માંગે છે. આ સંબંધમાં તેણે એક લેટર પણ લખ્યો છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલાએ બાબાના માધ્યમથી BJP પર નિશાનો સાધ્યો છે. તેમણે કહ્યું કે, નૌટંકી કરનારા બાબાનું BJP માર્કેટિંગ કરે છે. રાજકારણમાં ધર્મનો ઉપયોગ ના હોવો જોઈએ. 2014ની ચૂંટણીમાં રામદેવ બાબા આવ્યા હતા જ્યારે 2019ની ચૂંટણીમાં બીજા બાબા મેદાનમાં આવ્યા હતા. હવે વધુ એક બાબા મેદાનમાં આવ્યા છે.

બાબાનો દિવ્ય દરબાર ભરાય છે, તો મારી માંગે છે કે પેપર લીક થઈ રહ્યા છે તો તે પેપર કોણ લીક કરી રહ્યું છે? બાબા જણાવે કે શિક્ષકોની અછત છે, તો આ શિક્ષકો ક્યારે સ્કૂલોમાં આવશે? બાબા એ પણ જણાવે કે મોંઘવારીમાંથી સામાન્ય લોકોને ક્યારે મુક્તિ મળશે? બાબા એ પણ જણાવો કે ખેડૂતો જે દેવામાં ડૂબ્યા છે, તેમને ન્યાય ક્યારે મળશે?

Y કેટેગરીની સુરક્ષામાં કુલ 11 સુરક્ષાકર્મી સામેલ હોય છે. જેમા બે PSO (અંગત સુરક્ષાગાર્ડ) પણ હોય છે. આ શ્રેણીમાં કોઈ કમાન્ડો તહેનાત નથી હોતા.

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.