ભારતના આ આદિવાસી ક્ષેત્રમાં સોનાની ખાન મળી, 222 ટન સોનું હોવાની આશંકા

રાજસ્થાનના આદિવાસી બહુમતી ધરાવતા બાંસવાડા જિલ્લામાં ફરી એકવાર સોનાની ખાણ મળી હોવાની પુષ્ટિ થઈ છે. સોનાનો ખજાનો મળવાથી આ જિલ્લો ફરી એકવાર ચર્ચામાં છે. આ સાથે જ, બાંસવાડા હવે દેશમાં ગોલ્ડ હબ તરીકે પોતાની પ્રતિષ્ઠા મજબૂત કરી રહ્યું છે. જિલ્લાના ઘાટોલ પ્રદેશના કાંકરિયા ગામમાં સોનાની ખાણનો બ્લોક હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે. ભૂસ્તરશાસ્ત્રીઓને કાંકરિયામાં લગભગ 3 કિલોમીટરના વિશાળ વિસ્તારમાં સંભવિત સોનાના અયસ્કના ભંડારના મજબૂત સંકેતો મળ્યા છે. જલદી જ માઇનિંગ લાયસન્સ જાહેર થયા બાદ તરત જ ખનનકામ શરૂ થશે. નોંધનીય છે કે બાંસવાડાના ઘાટોલ સ્થિત જગપુરિયા અને ભુકિયામાં અગાઉ સોનાની ખાણોની પુષ્ટિ થઈ છે.

gold-mines3

આ અગાઉ, રાજસ્થાન સરકારે લગભગ એક વર્ષ અગાઉ ભુકિયા-જગપુરા ખનન બ્લોક માટે હરાજી પ્રક્રિયા પૂર્ણ કરી હતી, જેમાં રતલામ સ્થિત એક કંપનીને લાઇસન્સ મળ્યું હતું. જો કે, કંપની દ્વારા સુરક્ષા ડિપોઝિટ જમા કરવામાં નિષ્ફળ જતા સરકારે ટેન્ડર રદ કર્યું હતું. સરકારે હવે આ બ્લોક્સ માટે ફરીથી ટેન્ડર બહાર પાડ્યા છે. સબમિશન માટેની છેલ્લી તારીખ 14 ઓક્ટોબર હતી અને ટેન્ડર 3 નવેમ્બરે ખોલવામાં આવશે. જે કંપની સૌથી વધુ આવક આપશે, તેને ખનનનું લાઇસન્સ આપવામાં આવશે.

સોનાની ખાણો કાર્યરત થયા બાદ, રાજસ્થાનનું બાંસવાડા દેશના પસંદગીના 4 રાજ્યોમાં જોડાશે જ્યાં સોનાનું ખનન થાય છે. એવો અંદાજ છે કે ભવિષ્યમાં, આ જિલ્લામાં દેશની કુલ સોનાની માગના આશરે 25% ભાગ પૂર્ણ કરવાની ક્ષમતા રાખશે. ભૂસ્તરશાસ્ત્રીઓના અંદાજ મુજબ, આ આખા ક્ષેત્રમાં 940.26 હેક્ટર ક્ષેત્રફળમાં 113.52 મિલિયન ટન (11 કરોડ 35 લાખ 20 હજાર ટન) સોનાનું આયસ્ક હોવાનો અંદાજ છે. આ વિસ્તારમાં સોનાની ધાતુનો જથ્થો 222.39 ટન હોવાનો અંદાજ છે, જે એક નોંધપાત્ર રકમ છે. આ ઉપરાંત કાંકરિયા-ગારા વિસ્તારમાં 205 હેક્ટરમાં 1.24 મિલિયન ટન સોનાના આયસ્ક નો સંભવિત ભંડાર પણ છે. આ ખાણોમાંથી સોનું કાઢવામાં આવશે, તેમજ અન્ય અનેક સહ-ખનિજો પણ કાઢવામાં આવશે.

gold-mines

બાંસવાડા જિલ્લામાં સોનાબી ખનનકામ શરૂ થવાથી ઇલેક્ટ્રોનિક્સ, પેટ્રોલિયમ, પેટ્રોકેમિકલ્સ, બેટરી અને એર બેગ્સ સહિત અનેક ઉદ્યોગોમાં નવું રોકાણ આકર્ષિત થશે. પરિણામે, જિલ્લામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારની અભૂતપૂર્વ તકો ઊભી થશે, જેનો સ્થાનિક યુવાનોને મોટો ફાયદો થશે.

About The Author

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.