શિક્ષણ મંત્રીએ કહ્યું- મહંમદ પયંગબર મર્યાદા પુરુષોત્તમ હતા

છેલ્લા ઘણા મહિનાઓથી વિવાદોમાં રહેલા બિહાર સરકારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરનું વધુ એક નવું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે ઈસ્લામ ધર્મના સ્થાપક પયગંબર મહંમદને મર્યાદા પુરુષોત્તમ કહ્યા છે. શિક્ષણ મંત્રીએ નાલંદામાં આ નિવેદન આપ્યું છે. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખર યાદવ જન્માષ્ટમીના અવસરે નાલંદાના હિલસામાં બાબ અભય નાથ ધામ પરિસરમાં આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થવા માટે ગયા હતા. આ કાર્યક્રમમાં તેમણે પયગંબર મહંમદને મર્યાદા પુરુષોત્તમ બતાવ્યા હતા.

પોતાના નિવેદનમાં શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે કહ્યુ કે, જ્યારે બદમાશી વધી, વિશ્વમાં વિશ્વાસનો અંત આવ્યો, અપ્રમાણિક લોકો અને બદમાશો આવ્યા, ત્યારે મધ્ય એશિયાના પ્રદેશમાં ભગવાને એક અદભૂત સમજદાર, પયગંબર, મર્યાદા પુરુષોત્તમનું સર્જન કર્યું, જેને તમે મહંમદ સાહેબ કહો છો. તેમણે કહ્યુ કે ઇસ્લામ આવ્યું વિશ્વાસ માટે, ઇસ્લામ આવ્યું અપ્રમાણિકતા સામે, ઇસ્લામ આવ્યું બદમાશોની સામે, પરંતુ અપ્રમાણિક માણસો પણ પોતાને મુસલમાન કહે છે, જેની પરવાનગી કુરાન આપતું નથી.

ચંદ્રશેખરે જેવું પયગંબર મહંમદની સરખામણી મર્યાદા પુરુષોત્તમ સાથે કરી કે તરત ભાજપ આ નિવેદનથી ગુસ્સામાં આવી ગયું હતું અને RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર પર નિશાન સાધી દીધું હતું. ભાજપે લાલુ પ્રસાદ પર ધર્મ અને જાતિના નામ પર ભાવનાને ઠેસ પહોંચાડીને વોટ ભેગા કરવાનો આરોપ લગાવ્યો હતો.

ભાજપના પ્રવક્તા અરવિંક કુમાર સિંહે કહ્યું કે, શિક્ષણ મંત્રી ચંદ્રશેખર માનસિક બિમારીના શિકાર થઇ ગયા છે. RJD નથી હિંદુની કે નથી મુસલમાનની, તે તો માત્ર એક પરિવારની છે. ચંદ્રશેખર ક્યારેક હિંદુઓ વિશે બોલી દેશે તો ક્યારેક મુસલમાનો વિશે, તો ક્યારેક રામાયણ પર ટીપ્પણી કરશે તો ક્યારેક મહંમદ સાહેબ પર. આ લોકો ધર્મ અને જાતિના નામ પર લડાવીને વોટની રાજનીતિ કરે છે.

આ વર્ષના જાન્યુઆરી મહિનામાં ચંદ્રશેખરે કહ્યું હતું કે, રામચરિતમાનસ નફરત ફેલાવતો ગ્રંથ છે. ત્યારે પણ ભારે વિવાદ થયો હતો.

તેમણે કહ્યું હતું કે, મનુસ્મૃતિમાં, 85 ટકા વસ્તી ધરાવતા સમાજના ઉચ્ચ વર્ગ સામે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. રામચરિતમાનસના ઉત્તરકાંડમાં લખ્યું છે કે નીચલી જાતિના લોકો શિક્ષણ મેળવ્યા પછી સાપની જેમ ઝેરી બની જાય છે. તેમણે કહ્યું કે એક યુગમાં મનુસ્મૃતિ, બીજા યુગમા રામચરિતમાન, ત્રીજા યુગામાં ગુરુ ગોલવલકરના બંચ ઓફ થોટ્સ આ બધા સમાજમાં નફરત ફેલાવનારા છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.