BJPના કેબિનેટ મંત્રીએ રસ્તા વચ્ચે યુવકને માર માર્યો,વીડિયો જોઈને લોકો થયા ગુસ્સે

ઉત્તરાખંડના નાણામંત્રી પ્રેમચંદ અગ્રવાલ અને સ્થાનિક યુવક વચ્ચેની ભીષણ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યારે ઋષિકેશમાં નાણામંત્રીના ઘર પાસેની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે લોકોએ અનેક સવાલો પૂછવા માંડ્યા. વાયરલ વીડિયોમાં દેખાતા યુવકનું નામ સુરેન્દ્ર સિંહ નેગી જણાવવામાં આવી રહ્યું છે. જેને મંત્રી દ્વારા ધક્કામુક્કી કરવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, નાણામંત્રી પ્રેમચંદ અગ્રવાલ પોતાના ગનર સાથે યુવકોને માર મારી રહ્યા છે. યુવક બચવાના પ્રયાસમાં આમ-તેમ ભાગતો રહ્યો, પરંતુ મંત્રી અને તેના ગનર યુવકને સતત મારતા રહ્યા હતા. આ લડાઈને જોવા માટે કેટલાક લોકો રસ્તા પર રોકાઈ ગયા હતા અને જેના કારણે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

પીડિત સુરેન્દ્ર નેગીએ ફેસબુક પોસ્ટ દ્વારા મંત્રી પર અનેક આરોપો લગાવ્યા છે. તેણે કહ્યું, 'અમે ટ્રાફિક જામમાં અટવાઈ ગયા હતા અને હું તેમની કાર પાસેથી પસાર થઇ ગયો, તેમાં કોણ બેઠું છે તે મને ખબર ન હતી. તેમણે મને અપશબ્દો કહ્યા હતા અને જ્યારે મેં તેનો વિરોધ કર્યો ત્યારે તેઓ અને તેના માણસો તેમની કારમાંથી નીચે ઉતર્યા અને મને માર મારવા લાગ્યા.' આ સાથે તેણે પેન બતાવી કહ્યું કે, તે મંત્રીની છે અને પુરાવા તરીકે બતાવવા માટે પૂરતું છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. કેટલાક લોકોએ આ વીડિયો શેર કરતા ઉત્તરાખંડના મંત્રી પર નિશાન સાધ્યું હતું. આ આરોપો પર સ્પષ્ટતા આપતાં તેમણે કહ્યું કે, સુરેન્દ્ર સિંહ નેગી નામના વ્યક્તિએ તેમને અપશબ્દો કહ્યા ઉપરાંત તેમના પર હુમલો કર્યો અને તેમનો કુર્તો અને તેમના સુરક્ષાકર્મીઓનો યુનિફોર્મ ફાડી નાંખ્યો. જેના કારણે તેને માર મારવામાં આવ્યો હતો. આ સાથે તેમણે કહ્યું કે, આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

અત્યાર સુધી આ મામલે યુવાનનો પક્ષ સામે આવ્યો નથી. યુવકની તરફેણમાં આવતા વિસ્તારના લોકોએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો અને પોલીસ પર આ મામલે પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો. જણાવ્યું હતું કે, પોલીસે હુમલો કરનાર મંત્રી સામે કાર્યવાહી કરવાને બદલે પીડિત યુવકને પકડી લીધો હતો. આ દરમિયાન લોકોએ BJP સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

આરોપ છે કે, કેબિનેટ મંત્રી અવાર-નવાર ઘણા લોકો સાથે ગેરવર્તન કરે છે. આ પહેલો કિસ્સો નથી. દર વખતે પોલીસ મંત્રીની આવી હરકતોને સમર્થન આપે છે. આ સમાચાર લખાય છે, ત્યાં સુધી પોલીસ કક્ષાએથી આ મામલે કોઈ પ્રતિક્રિયા મળી નથી.

ઋષિકેશમાં બનેલી આ ઘટનાને લઈને કોંગ્રેસ નેતા સૂર્યકાંત ધસમણાએ BJP પર નિશાન સાધ્યું અને તેમની હકાલપટ્ટીની માંગ કરી. કોંગ્રેસ નેતાએ આ મુદ્દે કહ્યું, 'રાજ્યની કાયદો અને વ્યવસ્થાની જવાબદારી જેના ખભા પર છે, જો તેઓ જ સામાન્ય જનતા સાથે આવી રીતે લડી રહ્યા છે, તો રાજ્યમાં કાયદાનું શાસન ક્યાં રહેશે. જો CM મંત્રી અગ્રવાલને કેબિનેટમાંથી બરતરફ નહીં કરે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે.'

Related Posts

Top News

મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

દાહોદના દેવગઢ બારિયા અને ધનપુર તાલુકાના મનરેગા કૌભાંડમાં પરિવારવાદ જોવા મળ્યો છે. 71 કરોડ રૂપિયાના કૌભાંડમાં ગુજરાતના મંત્રી બચુ ખાબડના...
Gujarat 
મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

ગુજરાતમાં તોફાની વરસાદનો બીજો રાઉન્ડ 21મેથી શરૂ થવાની સંભાવના છે. અરબી સમુદ્ધમાં અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સક્રીય બની છે કે...
Gujarat 
સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને યુક્રેનમાં યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી. અહેવાલ મુજબ તેમને પૂછવામાં આવ્યું...
World 
'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું

મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ

પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ લોન્ચ કરીને પાકિસ્તાન અને PoKમાં એર સ્ટ્રાઈક કરી દીધી અને...
National 
મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.