ભ્રષ્ટાચારને લઇ વરૂણનો હુમલો-જે લોકોની આપણી ચંપલ ઉઠાવવાની ઔકાત ન હતી તે આજે...

પીલીભીતથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ વરુણ ગાંધીએ રાજનીતિમાં ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરતા સોમવારે કહ્યું કે, ‘જે આપણાં ચપ્પલ ઉઠાવવાની ઔકાત રાખતા નહોતા, તેઓ આજે 5-5 ગાડીઓના કાફલામાં ચાલી રહ્યા છે.’ વરુણ ગાંધીએ પોતાના સંસદીય મતવિસ્તાર ક્ષેત્ર પીલીભીતના લાલૌરીખેડા બ્લોક ક્ષેત્રમાં થયેલા જનસંવાદ કાર્યક્રમમાં રાજનીતિમાં ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરતા કોઈનું નામ લીધા વિના કહ્યું કે, જે લોકો આપણાં ચપ્પલ ઉઠાવવની ઔકાત રાખતા નહોતા, તે આજે 5-5 ગાડીઓના કાફલામાં ચાલી રહ્યા છે, છે કે નહીં?’

તેમણે કહ્યું કે, ‘જે લોકો ચૂંટણી અગાઉ અને ત્યારબાદ કોલોનિયો બનાવતા હતા, તેઓ હવે 5-5 ગાડીઓના કાફલામાં ચાલી રહ્યા છે.’ વરુણ ગાંધીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેના જાત જાતના અર્થ કાઢવામાં આવી રહ્યા છે. ભાજપ સાંસદે ભ્રષ્ટાચારને લઈને પોતાની જ પાર્ટીની સરકાર પર નિશાનો સાધ્યો. તેમણે કહ્યું કે, ‘આજે તમે જ્યારે પોલીસ સ્ટેશને જાઓ છો તો લાંચ આપવી પડે છે. પેન્શન, રૂમ, આવાસ લેવા માટે પૈસા આપવા પડે છે. આ જે પાપ છે, એ જે ભ્રષ્ટાચારનો સમય ચાલી રહ્યો છે, તમને શું લાગે છે કે તમારી ભૂલોના કારણે થઈ રહ્યું છે.

તેમણે કહ્યું કે, જ્યારે પણ ચૂંટણી આવે છે તો લોકો જાતિ-ધર્મના આધાર પર વોટ આપે છે. લોકો એ વિચારતા નથી કે કોઈ સારા વ્યક્તિને જીતાડીએ. લોકો એ વિચારતા નથી કે કટ્ટર ઈમાનદારને જીતાડીએ. લોકો એ વિચારે છે કે આ ઉમેદવાર સહધર્મી છે એટલે તેની સાથે ચાલો. આજકાલ કનોને ખુશ કરનારી વાતોની રાજનીતિ છે. ન છુટ્ટા ગૌવંશની સમસ્યા હલ થયું, નહીં અપાત્રોને આવાસ આપવા પર રોક લગાવી શકાય. હિન્દુ-મુસ્લિમ બંને જ જ્યારે મજબૂત થશે, ત્યારે દેશ વિકાસ કરશે.

કોઈ એક સમાજને ડરાવવું સારું નથી. રવિવારે સાંસદ વરુણ ગાંધીએ બરખેડાના દિયોહના ગામમાં પેનિયા રામકિશન તેમજ જ્યોરહ કલ્યાણપુરમાં જનસંવાદ કર્યો. તેમણે કહ્યું કે, તેઓ એ નેતાઓની જેમ નથી, જે ચૂંટણીના સમયે મોટા મોટા વાયદા કરે છે અને ત્યારબાદ ફરીને જોતા નથી. તેમની રાજનીતિ સત્ય, ઈમાનદારી અને દેશભક્તિ પર આધારિત છે. એવા પણ નેતા છે જેમની કથની અને કરણીમાં મોટો ફરક છે. ખેડૂત અને યુવાનો પરેશાન છે. લોકો ભેદભાવ છોડીને જાતિ-ધર્મથી ઊઠીને મળીને સાથે ચાલશે. ત્યારે જ દેશ સાચી રીતે ખુશાલ અને મજબૂત થશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.