હાર માટે '400 પાર'ને જવાબદાર ઠેરવી CM શિંદેએ માર્યો ટોણો,BJP-શિવસેના વચ્ચે તિરાડ

On

લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન પછી મહારાષ્ટ્રમાં BJP-શિવસેના અને NCPના મહાગઠબંધનમાં તિરાડ વધી રહી હોય એવું લાગી રહ્યું છે. BJPના સહયોગી શિવસેના પ્રમુખ અને રાજ્યના CM એકનાથ શિંદે હવે તેમને ટોણા મારવાનું ચાલુ કર્યું છે. તેમણે રાજ્યમાં શાસક ગઠબંધનના નબળા પ્રદર્શન માટે BJPના 400થી વધુના નારાને જવાબદાર ઠેરવવાનું શરૂ કર્યું છે.

CM એકનાથ શિંદેએ BJPના '400 પાર'ના નારા પર કટાક્ષ કરતા કહ્યું કે, 'BJPએ '400 પાર'નો નારો આપ્યો હતો અને લોકસભા ચૂંટણીમાં 400થી વધુ સીટો જીતવાનો લક્ષ્‍યાંક રાખ્યો હતો, પરંતુ તેને લઈને કેટલાક વિસ્તારોમાં નકારાત્મક વલણ રાખવામાં આવ્યું હતું કે, બંધારણમાં ફેરફાર કરી નાંખવામાં આવશે અને તેની સાથે '400 પાર' કરવાના લક્ષ્યાંકને જોડી દેવામાં આવ્યો હતો.'

આ સૂત્રની આડઅસર વર્ણવતા CM શિંદેએ કહ્યું, 'લોકોએ વિરોધ પક્ષની આ વાતને ધ્યાનમાં લીધી અને તેની વિપરીત અસર થઈ. તેમની ગાડી 300નો આંકડો પણ પાર કરી શકી નહીં. ઘણા રાજ્યોમાં તેને મોટો આંચકો લાગ્યો. આ કારણે મહારાષ્ટ્રમાં પણ મહાયુતિને અપેક્ષા મુજબની સફળતા મળી નથી, જેની તેમને આશા હતી.'

શિવસેના પ્રમુખે કહ્યું કે, 'લોકોમાં ખોટા નિવેદનો અને અફવાઓ મોટા પાયે ફેલાવવામાં આવી હતી કે, બંધારણ બદલી નાંખવામાં આવશે અને અનામતમાં ઘટાડો થશે. તેમાં મુસ્લિમ, દલિત અને બીજા ઘણા લોકો હશે. આજે સર્જાયેલી મૂંઝવણ ચોક્કસપણે લોકો સમક્ષ આવશે. જે વોટબેંકની રાજનીતિ થઈ છે તેની લોકોને ખબર પડશે. વોટબેંકની રાજનીતિ કરનારાઓના અસલી ચહેરા પણ ચોક્કસપણે સામે આવશે.'

આ સાથે મહારાષ્ટ્રના પરિણામો પર CM એકનાથ શિંદેએ કહ્યું કે, 'હું કહીશ કે અમારી શિવસેનાનું પ્રદર્શન, અમારી સ્ટ્રાઈક રેટ પહેલા કરતા વધુ સારી થઈ ગઈ છે. અમે 13 બેઠકો પર ચૂંટણી લડી અને તેમાંથી 7 જીતી. અમને મુંબઈમાં તેમના કરતા 2 લાખથી વધુ મત મળ્યા છે. શિવસેનાના 90 ટકા વોટમાંથી અમારી પાસે 40 ટકા વોટ છે. અમને શિવસેનાના આધારે મત મળ્યા છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે અમે સ્ટ્રાઈક રેટ, વોટ શેરમાં આગળ છીએ અને લોકો અમારી સાથે છે.'

CM શિંદેના આ નિવેદનોને દબાણની રાજનીતિ તરીકે જોવામાં આવી રહ્યા છે. હકીકતમાં, મહારાષ્ટ્રમાં CM શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના લોકસભામાં 7 અને રાજ્યસભામાં એક સાંસદ છે. PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી રચાયેલી સરકારમાં, પાર્ટીને આયુષ મંત્રાલયમાં કેન્દ્રીય રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો) અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય પ્રધાનનું પદ મળ્યું છે.

શિવસેનાના ઘણા નેતાઓએ પણ હાલના દિવસોમાં મોદી કેબિનેટમાં સ્થાન ન મળવા પર નારાજગી વ્યક્ત કરી છે. માવલના લોકસભાના સભ્ય શ્રીરંગ બારનેએ પણ કહ્યું કે, જો શિવસેનાને કેબિનેટ અને રાજ્યના બે મંત્રી પદ મળે તો કેટલાક સાંસદોને સ્થાન મળત, પરંતુ તેમની માંગણી યોગ્ય સમયે પૂરી કરવામાં આવશે.

Related Posts

Top News

ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ લોનીથી ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને કારણ બતાવો નોટિસ જાહેર...
National  Politics 
ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

દેશના જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ  HCLના સ્થાપક શિવ નાદરે તેમની એકની એક દીકરી માટે મોટો નિર્ણય લીધો છે. શિવ...
Business 
HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

બિહારના મુઝફ્ફરપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પરિણીત પ્રેમિકાને છુપાઈને મળવા પહોંચેલા પ્રેમીને રંગે હાથે પકડીને ઢોર માર...
National 
પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે આસામમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે એક વિદ્યાર્થી તરીકે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને તેમની...
National 
મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ
Copyright (c) Khabarchhe All Rights Reserved.