ઇઝરાયલ-હમાસની લડાઇને લઇ ભારતમાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે કેમ જંગ શરૂ થઇ ગયો

On

દિલ્હીમાં સોમવારે કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની બેઠકમાં થઈ હતી. આ બેઠકમાં પાર્ટીએ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા અને પેલેસ્ટાઈની લોકોની ભૂમિ, સ્વશાસન અને સન્માન સાથે જીવવાના અધિકારોનું સમર્થન કરવાની વાત કહી. કોંગ્રેસ તરફથી આ પ્રકારનું નિવેદન આવ્યા બાદ કેન્દ્રની સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી (BJP)એ પ્રહાર કર્યો છે. તેની સાથે જ ભાજપના સાંસદ અને તેલંગાણા ભાજપના પૂર્વ અધ્યક્ષ બંદી સંજય કુમારે કોંગ્રેસ પર આતંકવાદનું સમર્થન કરવાનો આરોપ લગાવ્યો છે.

ભાજપના સાંસદ બંદી સંજય કુમારે પેલેસ્ટાઇનની લડાઈ લડી રહેલા સંગઠન હમાસનું સમર્થન કરવાને લઈને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) અને કોંગ્રેસ નેતાઓને આતંકના સમર્થક કહ્યા છે. તેમણે કહ્યું કે, હમાસનું સમર્થન કરીને કોંગ્રેસ અને AIMIM બંને આતંકવાદનું સમર્થન કરી રહ્યા છે. તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી. ભારતને UPAના શાસનમાં સૌથી ખતરનાક આતંકી હુમલાઓ ઝેલાવ લડ્યા હતા, પરંતુ આતંકવાદની સમર્થક કોંગ્રેસ સરકાર એ સમયે ચૂપ રહી.

બંદી સંજય કુમારે આગળ કહ્યું કે, AIMIM અને કોંગ્રેસ હંમેશાંથી PFI, હમાસના આતંકીઓ અને રોહિંગ્યાઓના પક્ષમાં રહી છે. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર ભારત માટે શ્રીરામ રક્ષા છે. તો સાંસદ સંજય કુમારના નિવેદનનું સમર્થન કરતા કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ પણ કોંગ્રેસ પર હમાસનું સમર્થન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, છેલ્લા ઘણા વર્ષોથી ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ટેન્શન જોવા મળે છે.

હવે આતંકી સંગઠન હમાસે ઇઝરાયલ પર શનિવારે હુમલો કરી દીધો. હમાસ આતંકવાદી છે અને કોંગ્રેસ તેને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. આ એવું છે જેમ કોંગ્રેસે પેલેસ્ટાઇનમાં આતંકવાદીઓને પોતાનું સમર્થન આપ્યું છે. તો કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયા મંચના માધ્યમથી સવાલ કર્યો કે કોંગ્રેસ હિંસા સાથે જ્યારે ખુલ્લી રીતે ઊભી છે તો દેશ અને તેના નાગરિકોની રક્ષા કેવી રીતે કરશે?

કોંગ્રેસે શું કહ્યું હતું?

ભારતની મુખ્ય વિપક્ષી પાર્ટીની કાર્યસમિતિએ બેઠકમાં પાસ થયેલા પ્રસ્તાવમાં તાત્કાલિક સંઘર્ષવિરામનું આહ્વાન કર્યું અને કહ્યું કે, તે પેલેસ્ટાઈની લોકોની જમીન, સ્વશાસન અને આત્મસન્માન સાથે જીવવાના અધિકારો માર્ટ દીર્ઘકાલીન સમર્થનનું પુનરાવર્તન કરે છે.

Related Posts

Top News

ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકારણમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ આજે એક એવા નેતા તરીકે ઝળકી રહ્યું છે જેઓ પોતાના સૌમ્ય સ્વભાવ...
Gujarat  Opinion 
ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

શિક્ષણ વિભાગ તરફથી જિલ્લાની તમામ સરકારી શાળાઓમાં પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ પરત લેવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જો...
National  Education 
પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

કેદારનાથ ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર અને તેમની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા અંગે ચર્ચાઓ પ્રબળ બની છે. કેદારનાથના BJP ધારાસભ્ય આશા...
National 
કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

ટેસ્લા આ બે કાર સાથે ભારતમાં આવી રહી છે, સર્ટિફિકેશન પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ

અમેરિકન ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક TESLAના ભારતમાં પ્રવેશ અંગે એક નવું અપડેટ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટેસ્લા...
Tech & Auto 
ટેસ્લા આ બે કાર સાથે ભારતમાં આવી રહી છે, સર્ટિફિકેશન પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.