ઇઝરાયલ-હમાસની લડાઇને લઇ ભારતમાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે કેમ જંગ શરૂ થઇ ગયો

દિલ્હીમાં સોમવારે કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની બેઠકમાં થઈ હતી. આ બેઠકમાં પાર્ટીએ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા અને પેલેસ્ટાઈની લોકોની ભૂમિ, સ્વશાસન અને સન્માન સાથે જીવવાના અધિકારોનું સમર્થન કરવાની વાત કહી. કોંગ્રેસ તરફથી આ પ્રકારનું નિવેદન આવ્યા બાદ કેન્દ્રની સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી (BJP)એ પ્રહાર કર્યો છે. તેની સાથે જ ભાજપના સાંસદ અને તેલંગાણા ભાજપના પૂર્વ અધ્યક્ષ બંદી સંજય કુમારે કોંગ્રેસ પર આતંકવાદનું સમર્થન કરવાનો આરોપ લગાવ્યો છે.

ભાજપના સાંસદ બંદી સંજય કુમારે પેલેસ્ટાઇનની લડાઈ લડી રહેલા સંગઠન હમાસનું સમર્થન કરવાને લઈને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) અને કોંગ્રેસ નેતાઓને આતંકના સમર્થક કહ્યા છે. તેમણે કહ્યું કે, હમાસનું સમર્થન કરીને કોંગ્રેસ અને AIMIM બંને આતંકવાદનું સમર્થન કરી રહ્યા છે. તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી. ભારતને UPAના શાસનમાં સૌથી ખતરનાક આતંકી હુમલાઓ ઝેલાવ લડ્યા હતા, પરંતુ આતંકવાદની સમર્થક કોંગ્રેસ સરકાર એ સમયે ચૂપ રહી.

બંદી સંજય કુમારે આગળ કહ્યું કે, AIMIM અને કોંગ્રેસ હંમેશાંથી PFI, હમાસના આતંકીઓ અને રોહિંગ્યાઓના પક્ષમાં રહી છે. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર ભારત માટે શ્રીરામ રક્ષા છે. તો સાંસદ સંજય કુમારના નિવેદનનું સમર્થન કરતા કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ પણ કોંગ્રેસ પર હમાસનું સમર્થન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, છેલ્લા ઘણા વર્ષોથી ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ટેન્શન જોવા મળે છે.

હવે આતંકી સંગઠન હમાસે ઇઝરાયલ પર શનિવારે હુમલો કરી દીધો. હમાસ આતંકવાદી છે અને કોંગ્રેસ તેને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. આ એવું છે જેમ કોંગ્રેસે પેલેસ્ટાઇનમાં આતંકવાદીઓને પોતાનું સમર્થન આપ્યું છે. તો કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયા મંચના માધ્યમથી સવાલ કર્યો કે કોંગ્રેસ હિંસા સાથે જ્યારે ખુલ્લી રીતે ઊભી છે તો દેશ અને તેના નાગરિકોની રક્ષા કેવી રીતે કરશે?

કોંગ્રેસે શું કહ્યું હતું?

ભારતની મુખ્ય વિપક્ષી પાર્ટીની કાર્યસમિતિએ બેઠકમાં પાસ થયેલા પ્રસ્તાવમાં તાત્કાલિક સંઘર્ષવિરામનું આહ્વાન કર્યું અને કહ્યું કે, તે પેલેસ્ટાઈની લોકોની જમીન, સ્વશાસન અને આત્મસન્માન સાથે જીવવાના અધિકારો માર્ટ દીર્ઘકાલીન સમર્થનનું પુનરાવર્તન કરે છે.

Related Posts

Top News

સુરત લેબગ્રોન ડાયમંડનું લીડર છતા 7486 કરોડની આયાત કેમ કરવી પડી?

સુરત જે રીતે નેચરલ ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગમાં દુનિયામાં  નંબર વન છે તેવી જ રીતે લેબગ્રોન ડાયમંડમાં પણ લીડર છે. ...
Business 
સુરત લેબગ્રોન ડાયમંડનું લીડર છતા 7486 કરોડની આયાત કેમ કરવી પડી?

શું છે દિલ્હી યુનિવર્સિટીનો પ્રોટોકોલ, જાણો રાહુલ ગાંધીની મુલાકાત પર કેમ થયો વિવાદ

વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુરુવારે દિલ્હી યુનિવર્સિટી પહોંચ્યા હતા. આ દરમિયાન, તેમણે ઉત્તર કેમ્પસ સ્થિત DUSUની અધ્યક્ષ ઓફિસમાં ...
National 
શું છે દિલ્હી યુનિવર્સિટીનો પ્રોટોકોલ, જાણો રાહુલ ગાંધીની મુલાકાત પર કેમ થયો વિવાદ

પેટ્રોલ પંપ પર ડીઝલને બદલે પાણી ભરી આપ્યું! વાહનો રસ્તામાં બંધ પડી ગયા, તપાસમાં આ વાત સામે આવી

ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં, ચાલતા વાહનો અચાનક બંધ થવા લાગ્યા. કોઈની ગાડી રસ્તાની વચ્ચે બંધ પડી ગઈ અને કોઈની...
National 
પેટ્રોલ પંપ પર ડીઝલને બદલે પાણી ભરી આપ્યું! વાહનો રસ્તામાં બંધ પડી ગયા, તપાસમાં આ વાત સામે આવી

‘ક્યારેક-ક્યારેક હારવું પણ જરૂરી છે, કેમ કે..’, SRH સામે હાર્યા બાદ RCBના કેપ્ટને એમ શા માટે કહ્યું?

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે શુક્રવારે (23 મેના રોજ) લખનૌમાં મેચ રમાઈ હતી. સનરાઇઝર્સ...
Sports 
‘ક્યારેક-ક્યારેક હારવું પણ જરૂરી છે, કેમ કે..’, SRH સામે હાર્યા બાદ RCBના કેપ્ટને એમ શા માટે કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.